________________
મૂર્તિપૂજ ૩. શ્રમણાવસ્થા–ભગવાનનું કેશરહિત મસ્તક-કાર્યોત્સગા
સન વિગેરે જેઈને શ્રમણાવસ્થા ભાવવાની છે.
આ ત્રણ અવસ્થા પિંડસ્થ અવસ્થાના પિટાભેદે છે. પિંડસ્થ અવસ્થા એટલે છદ્મસ્થ અવસ્થા (કેવલજ્ઞાન પહેલાંની) છે. અને ત્યારબાદ પદસ્થ (કેવલી) અવસ્થામાં એમ ભાવના ભાવે કે હે પ્રભે ! આપે કેવલજ્ઞાનથી લોકાલેકના ભાવ જાણીને ભવ્ય જીવોને દ્રવ્ય–ગુણ પયયનું સ્વરૂપ સમજાવ્યું. ઘણા જીવને વૈરાગ્ય દેશના આપીને સંસાર સમુદ્રના પારંગામી બનાવ્યા. ધન્ય છે આપના એ પવિત્ર જીવનને. આપના પસાયથી મને તેવી સ્થિતિ પ્રાપ્ત થાય તેવી હું નમ્રભાવે વિનંતી કરું છું. આ કેવલી અવસ્થામાં પ્રભુ આઠ પ્રતિહાર્ય સહિત હોય છે. અને રત્નજડિત સિંહાસન પર બેસે છે. સેનાને નિરંતર સ્પર્શ કરવા છતાં તેમને વિતરાગ ભાવ જતે રહેતે હેત તે ગણધર મહારાજ તથા ઇંદ્રાદિ દેવે શા માટે વીતરાગ કહીને
સ્તુતિ કરત? વિતરાગપણાને ભાવ એ બાહ્ય પદાર્થ નથી કિન્તુ અત્યંતર વસ્તુ છે.
આ પ્રમાણે બીજી પદસ્થ અવસ્થા ભાવ્યા પછી ત્રીજી રૂપાતીત (મેક્ષ) અવસ્થા ભાવવાની છે. અને એ અવસ્થા ભાવવા દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ ભાવવાનું છે. એ રીતે વિવિધ વસ્તુઓથી કરાતી જિન પ્રતિમાની દ્રવ્યપૂજા સહેતુક છે, કે જેથી આત્મ પરીણતિ-ત્યાગ-વૈરાગ્યવાળી જ બને. એક પણ દ્રવ્યપૂજા વિષય-કષાયને પુષ્ટિરૂપ ન બનતાં પૂજકના આત્મામાંથી વિષયકષાયને મંદ કરવા રૂપ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org