________________
મૂર્તિપૂજા લાખમે ભાગ પણ જેમનામાં નથી તેવાઓને ન સૂઝે તેટલા માત્રથી તેનું રહસ્ય નષ્ટ થઈ જતું નથી.
ડ. ગાંધી લખે છે કે –
“જે મૂર્તિ આશ્રવથી થઈ તે જ મૂર્તિ કઈ દિવસ કોઈને સંવરનું કારણુ અપવાદ માર્ગ અકસ્માતકાળ વગેરે પાંચ સમવાય યોગે બની જાય તેમાં એકતિ ના નથી. જો કે તેમાં પણ પાંચ સમવાયની મુખ્યતા છે, મૂર્તિ છે તે પાંચ માંહેનું એક નિમિત્ત માત્ર છે. નિમિત્તો તે બદલાતાં રહે છે. પણ ઉત્સર્ગ ધોરી માર્ગે નિયંત્રિત સાધન તરીકે મૂર્તિપૂજા મોક્ષનું કારણ નથી.”
મૂર્તિ આશ્રવથી થઈ શકે તેમ કહેવાય જ નહિ. સંવરના ઉદેશે કરાતું કાર્ય તે સંવરનું જ કાર્ય છે, વળી તે મૂતિને અપવાદ માર્ગો કે અકસ્માત રીતે સંવરનું કારણ નજ કહેવાય. જે વસ્તુના નિમિત્તથી અકલ્પનીય કાર્ય ઓચિંતુ ક્યારેક થઈ જાય તે અકસ્માત કારણ કહેવાય પરંતુ મૂતિથી તેમ નથી. જિનેશ્વરદેવની મૂર્તિને તે દેખનાર માત્રને દેવત્વને જ ખ્યાલ આવે, તે મૂતિને દેખતાં અન્ય કઈ ખ્યાલ પ્રાયઃ ન આવે. પણ કેઈ ભારે કમી આત્માને તે મૂર્તિના નિમિત્ત દ્વારા દેવત્વના ખ્યાલને બદલે કઈ બીજે ખ્યાલ પેદા થાય તે બીજા ખ્યાલને માટે અકસ્માતપણું મૂર્તિનું કહેવાય. સંધ્યા આદિના રંગ–વૃદ્ધ અળદ વગેરે વિરાગ્યનાં અકસ્માત નિમિત્તે કહેવાય તે રીતે જિનેશ્વરદેવની મૂર્તિને સંવરના અકસ્માત કારણ માટે ગણવી તે મૂર્ખતા છે. મી. ગાંધી જેવાને મૂર્તિ પ્રત્યે દ્વેષ હાઈ તેમના જેવા માટે અકસ્માત કારણ કહેવાય છે તે વ્યાજબી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org