SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજા લજ્ઞાન ઉપાર્જન કરી લીધું હતું. ભરત ચક્રવતિનું આરીસા ભુવનમાં રૂપ જેવા જવું તે આશ્રવનું કારણ હતું, પણ મુદ્રિકાથી શુભ ભાવનામાં આરૂઢ થતાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તેજ રીતે સાધુ મુનિરાજે સંવર અને નિર્જરાનું કારણ છે છતાં તેમને દુઃખ દેવાથી તેમનું બુરું ચિતવવાથી તથા તેમની નિંદા આદિ કરવાથી જીવ અશુભ કર્મને આશ્રવ કરે છે, પણ તેથી સાધુ મુનિરાજનું પૂજનિકપણું નષ્ટ થઈ જતું નથી. એવી રીતે જિનેશ્વર ભગવાનની પ્રતિમા અમુક અને ભક્તિવશ પરિણામના અભાવે નિર્જરા કે સંવરનું કારણ ન બને તેથી પ્રતિમાની ઉપગિતા વ્યર્થ ગણાતી નથી. જે પ્રાણિઓને જિન પ્રતિમા પ્રત્યે ભક્તિરાગ હશે તેને જ તે સંવર અને નિર્જરાનું કારણ બનશે. આ પ્રમાણે સંવર અને નિર્જરાના કારણ અંગે ઉપરક્ત કથનને ભાવ સમજ્યા વિના ડૉ. ગાંધીએ એને અર્થ ઉધે જ લીધે છે. ખરેખર ! ચાટ્રી દ્રષ્ટિ તાદ્રશ કૃષિ જેવી દ્રષ્ટિ તેવું જ ભાષે એ ન્યાયે પરિણામના એઠા નીચે મૂર્તિની નિરૂપયોગીતા દર્શાવતાં ડૉ. ગાંધી લખે છે કે – “આસ્રવ કે નિર્જરાને મુખ્ય આધાર મનના પરિણામ ઉપર જ છે અને નહિ કે મૂર્તિ ઉપર. તે લેખક પોતે જ કબુલ કરે છે તે પછી મૂર્તિની ઉપયોગિતા જ રહેતી નથી. પરિણામની વિશુદ્ધિ ઉપશમ, ક્ષયે પશમ અથવા ક્ષાયિક ભાવથી થાય છે જેનું બાહ્ય આલંબન સૂત્રજ્ઞાન છે.” ડૉ. ગાંધીએ વસ્તુસ્વરૂપ સમજ્યા વિના આ પ્રમાણે મૂર્તિની નિરૂપયેગીતા દર્શાવી તે વ્યાજબી નથી. અહીં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy