________________
:
૨
મૂર્તિપૂજા જડ હોવા છતાં દક્ષિણાવર્ત શંખ આદિ જગતમાં
પૂજનીક છે જગતમાં જે વસ્તુ પૂજનીક ગણાય છે તે સજીવહે કે નિજીવ હે પણ પૂજનીય છે જ. દક્ષિણાવર્ત શંખકામકુંભ -ચિંતામણી રત્ન-ચિત્રાવેલી વિગેરે પદાર્થો અજીવ અને જડ હોવા છતાં લેકમાં પૂજાય છે, અને તેમને પૂજનારાઓના મનનું ધાર્યું સિદ્ધ પણ થાય છે. જેમ એ અજીવ વસ્તુઓ પોતાના સ્વભાવથી પૂજનારાઓનું હિત કરે છે તેમ શ્રી જિન પ્રતિમા પણ પૂજનાર આત્માઓને સ્વભાવથી જ શુભ ફળ આપે છે. જે વસ્તુ જેવા પ્રકારે લાભ આપે તેવી ઉપમા તેને
આપી શકાય વસ્તુ વડે જે જે કાર્ય સાધી શકાય તે તે પ્રકારની ઉપમા આપવાને વ્યવહાર જગ પ્રસિદ્ધ છે. પુસ્તક અચેતન હોવા છતાં તેને જ્ઞાન કે વિદ્યાની ઉપમા અપાય છે, એ રીતે સમ્યગજ્ઞાન તથા ધર્મ એ આત્મિક વસ્તુ હોવા છતાં તેને જડ એવા કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નની ઉપમા અપાય છે. અને એ પ્રમાણે પરમાત્માની મૂર્તિથી પરમાત્માનું જ્ઞાન થાય છે તેથી તે મૂર્તિને પણ પરમાત્મા કહી શકાય છે.
કર્મક્ષયનાં બે અમોઘ સાધન સાધ્ય બિંદુ તરીકે મેક્ષ અને તે મેળવવા માટે અતિ આવશ્યક સકલકને ક્ષય—એ માન્યતાઓ જૈન સંસ્કારે પામેલ નાનું બાળક પણ જાણે છે, અને બેલે છે. પરંતુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org