________________
મૂર્તિ પૂજા
૭૧
પદાને આરોપ કરી તે મૂર્તિને તેવા રૂપે માનવી તે યુક્ત જ છે. તેા પણ જેના મગજમાં એમ ઠસી ગયું કે “ પ્રતિમા માનવી એ ભૂલ છે” તેને એક જાતના ચિત્તભ્રમ થયા સિવાય ખીજું કાંઈ નથી.
જેવા ભાવથી જુએ તેવા ફળને પામે
જ્યારે પૂજા કરનાર મનુષ્ય મૂર્તિમાં પૂજ્યપણાના ગુણાનું આરાણ કરે છે ત્યારે તેને મૂર્તિ એ સાક્ષાત વીતરાગ જ હાય એમ પ્રતિભાષિત થાય છે. ખુદ ભગવાન પોતે હાય તે તે એક માંસના લેાચા છે અને તે જ પ્રમાણે ભગવાનની પ્રતિમા એ એક પત્થરના કાળા અથવા ધેાળા ટુકડા છે. હું માંસના લેાચાને કે પત્થરના ટુકડાને પૂજું છું. એવા વિચારે પૂજા કરનારને પૂજા કર્યાનું ફળ કશું જ મળવાનું નથી પરંતુ તેમાં જે દેવત્વ રહેલું છે તેને અંતઃકરણમાં લાવીને જો એની પૂજા-ભક્તિ વિગેરે કરવામાં આવે તે જ દેવ પૂજાનું ફળ
મેળવી શકાય છે.
સાક્ષાત નેમિશ્વર ભગવાન વિગેરે અઢાર હજાર સાધુ મુનિરાજોને વિધિપૂર્વક વંદન કરવા છતાં તેમાં સાધુવંદન– ભક્તિના અધ્ય વસાયના અભાવે કૃષ્ણુ મહારાજાની સાથે વંદન કરનારા વીરા શાલવીને ગુરૂવંદનના ફળની કઈ પશુ પ્રાપ્તિ થઈ શકી નહિ. એટલે મૂર્તિને પણ જે જેવા ભાવથી જુએ તેવા ફળને આપનારી થાય છે. સાક્ષાત ભગવાન પણ તરણ તારણ હોવા છતાં તેની આશાતના કરનારને પૂરાં ફળ મળે છે તેમ મૂર્તિ પણ તારક હોવા છતાં તેની આશાતના કરનારને સંસારમાં ડુખાવનારી પણ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org