________________
૭૦
મૂર્તિપૂજા મૂર્તિપૂજાને નિરર્થક કહેનારાએ કહે છે કે જિનપ્રતિમાને જિન સરખી માની પૂજન કરે છે તે જિન સરખા અતિશય વગેરે તે પ્રતિમામાં કેમ નથી? તેના જવાબમાં તે પ્રમાણે બેલનારા જેન હોય તે તેને એમ કહેવું પડે કે તમે જેન હેવાથી જિનેશ્વર ભગવાનના જન્મ મેક્ષાદિ કલ્યાણકને (કલ્યાણ કરવાવાળી તિથિ યા દિવસને) માને છે. તે તિથિ યા દિવસ જ્યારે દરેક વર્ષે આવે છે ત્યારે આજ ભગવાનને નિર્વાણ દિવસ છે એમ આપ કરી માને છે તે ભગવાનના જન્મ વખતે અનેક દેવદેવીઓ આવી મહોત્સવ કરે છે, સાતે નરકે પ્રકાશ પડે છે, ઈત્યાદિ જૈન શાસ્ત્રમાં કહ્યા મુજબ કાર્યો તે આરોપ કરેલા જન્મ દિવસે કે મેક્ષ દિવસે થતાં નથી, તે તે દિવસને ભગવાનને જન્મ દિવસ કેમ માને છે? પુનઃ આજે ભગવાનને જન્મ દિવસ સરખો દિવસ છે એમ નહિ બેલતાં “આજે ભગવાનને જન્મ દિવસ છે” એમ જ બોલે છે, અને “જિન પ્રતિમા જિન સરખી છે” એ શબ્દો તમને અચી કર થાય છે તે તેમાં દોષ કેને? વળી એ આરેપિત જન્મ દિવસ તે પ્રતિમામાં આરેપિત કરેલા જિનેશ્વર સરખે જ છે છતાં જિનેશ્વરને બંધ કરાવનારી જિનેશ્વરની પ્રતિમા ન માનવી તે એક જાતને ભ્રમ છે. વળી એ આરેપિત કરેલા વાર્ષિક જન્મ દિવસ વગેરેને દરેક ધર્મવાળા માન આપે છે તો જેમ જન્મ લક્ષણ રહિત દિવસમાં જન્મ દિવસને ઉપચાર -આપ કરી જન્મ રહિત દિવસને પણ જન્મ દિવસ માનવામાં આવે છે અને જન્મ દિવસની માફક જ તે દિવસને આદર કરાય છે તેમ તે પદાર્થના લક્ષણ રહિત એવી મૂર્તિમાં પણ તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org