________________
મૂર્તિપૂજા
નિમિત્ત કારણ હોવા છતાં આત્માને ઉપાદાન કારણ ન પિદા થાય તેમાં નિમિત્ત કારણને શું દેષ? સૂર્યને પ્રકાશ હેતે છતે પણ ઘુવડ ન દેખી શકે તેમાં સૂર્યને શું દેષ? ઘુવડના કમભાગ્યનોજ દેષ. અનેક આત્માઓએ ભગવાન મહાવીર તીર્થંકરના જગને પ્રાપ્ત કરી શુદ્ધ આત્મભાવ કેળવવારૂપ ઉપાદાન કારણ પેદા થવા દ્વારા સિદ્ધતા રૂપ કાર્યને સિદ્ધ કર્યું પણ કેટલાક ભારેકમી આત્માઓને તે નિમિત્ત કારણદ્વારા શુદ્ધ આત્મભાવ કેળવવારૂપ ઉપાદાન કારણ પેદા ન થયું તેમાં નિમિત્ત કારણરૂપ પરમાત્માને શું દેષ? તેવી રીતે તીર્થંકર ભગવાનની જેમ તીર્થંકર પરમાત્માની મૂતિ પણ નિમિત્ત કારણ છે એમ તે ડે. ગાંધીએ પ્રથમ કબુલી લીધું છે. એટલે પ્રતિમારૂપ નિમિત્ત કારણદ્વારા શુદ્ધ આત્મભાવ રૂપ ઉપાદાન કારણ કેઈને પેદા ન થાય તેમાં પ્રતિમા શું કરી શકવાની હતી એમ કહી શકાય નહિ.
પ્રભુના ચિતમાં તથા વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં નિમિત્ત રૂપ મૂર્તિ બને છે એ કબુલ કરીને પૂજનના નિષેધ માટે ડો. ગાંધી કહે છે કે –
“કઈ વખતે પ્રભુના ચિંતનમાં નિમિત્તરૂપ મૂર્તિ બને અથવા અકસ્માત રીતે વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં નિમિત્તરૂપ બને છતાં ગુણ રહિત હોવાથી પૂજનીય નથી. અને મૂર્તિ માટે નિયંત્રિત સાધન નથી.”
જિનેશ્વર ભગવાનની મૂર્તિમાં જિનેશ્વરના ગુણોને આરેપ થતો હોઈ તે મૂર્તિને ગુણરહિત કહેવાય જ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org