________________
મૂર્તિપૂજા હંતનું કાર્ય કરી શકતું નથી માટે અરિહંતનું નામ પૂજનીય થઈ શકે નહિ. પણ તમે પોતે જ પ્રથમ અરિહંતના નિક્ષેપાની વ્યાખ્યામાં-“અરિહંતને જે નામ સંજ્ઞા હોય જેમકે “અરિહંત” એવું ભાવવાચક નામ અથવા વિશેષ નામ શ્રી રૂષભનાથ અરિહંત તે પૂજનીય છે” એમ કહ્યું છે એ હિસાબે અરિહંતનું કાર્ય કરી નહિ શકનાર અરિહંતની પ્રતિમાને પૂજનીય ન થઈ શકવાનું કહેવાય જ નહિ. વળી અગાઉ જણાવેલ મૃત ગુરૂનું શબ તે ગુરૂનું કાર્ય કરી શકતું નથી તે પણ તેને ખૂબ ઠાઠમાઠથી શણગારે છે એ પૂજકપણું છે તે ભગવાનની પ્રતિમાને પૂજવામાં કેમ દ્વેષ રાખે છે?
વળી આગળ જતાં ડૉ. ગાંધી જણાવે છે કે –
“મૂર્તિ જોઈને પિતા પોતાના દેવને ખ્યાલ પ્રથમ દ્રષ્ટિએ આવવા સંભવ છે. એટલે ખ્યાલમાં નિમિત્ત કારણ મૂતિ બને છે પણ ઉપાદાન કારણ તે પહેલાંનું જ્ઞાન છે કે આ અમુક ભગવાનની મૂર્તિ છે. હવે જે એ ભગવાનના ગુણોનું જાણપણું હોય તે તે ગુણમાં લીન થાય તે કામનું પણ મૂર્તિમાં લીન થવાથી શું મળવાનું હતું?”
પ્રથમ તો છે. ગાંધી પિતે જ એમ કહેતા હતા કે મૂર્તિના દર્શનથી પગલિક મોહ ઉત્પન્ન થાય છે, અને મૂર્તિએ પગલિક વસ્તુ છે તેથી જ્ઞાની પુરૂષ તેની હંમેશાં ઉપેક્ષા કરે છે તેજ હૈં. ગાંધી હવે એમ કહે છે કે “મૂર્તિ જોઈને પિતાના દેવને ખ્યાલ પ્રથમ દ્રષ્ટિએ આવવા સંભવ છે એટલે ખ્યાલમાં નિમિત્ત કારણ મૂર્તિ બને છે. આ ઉપરથી જડ મૂર્તિ શું કરી શકે એમ કહેનારાઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org