________________
મૂર્તિપૂજા બેસીને ફેટા પડાવે છે. વર્તન તે વંદનનું કરે છે અને કદાચ મૂર્તિપૂજા ગળે વળગી જાય એટલે વચનથી કહે છે કે ગુરૂના શબને વાંદવું એ શુદ્ધ આચારમાં નથી, આનું નામ માયા મૃષાવાદ કહેવાય કે નહિ ?
વળી જૈન ધર્મની હલના ના થાય તેટલા પૂરતીજ શબની વ્યવસ્થા કરવાનું કહેતા હે તો સામાન્ય માણસની માફક તે શબની વ્યવસ્થાનું કાર્ય પતાવી લેવું જોઈએ, તેને બદલે સુખડના ઢગેઢગથી બાળવાની કે માંડવી શણગારી વાજીત્રના ઠાઠ સાથે સમશાન યાત્રા કાઢવાની શી જરૂર? હૈયામાં સાક્ષાત્ ગુરૂ જેટલો જ તે શબમાં ભક્તિભાવ હોવા છતાં જૈન ધર્મની હીલના ન થવાના બહાને વ્યવસ્થા કરવાનું કહેવું એ મિથ્યા છે.
વળી શબની આડંબરપૂર્વક શમશાન યાત્રા કાઢવાથી બીજા લોકમાં સાધુની પ્રતિષ્ઠા વધે એમ કહે છે તે અરિહંત પરમાત્માની મૂર્તિની પણ મહાન આડંબર પૂર્વક ભકિત કરવાથી બીજા લોકોમાં અરિહંતની પ્રતિષ્ઠા વધે અને માણસે અરિહંતદેવ પ્રત્યે શ્રદ્ધાળુ બને એમ કેમ માનતા નથી?
વળી ડે. ગાંધી કહે છે કે –
“જેમ ચિત્ર, છબી, નકશા વિગેરે ખ્યાલ આપી શકે છે તેમ મૂર્તિ પણ અમુક ખ્યાલ આપી શકે છે. પણ જેમ ચિત્ર કે છબી મૂળ વસ્તુનું કાર્ય કરી શકતી નથી તેમ મૂર્તિ પણ અરિહંતનું કાર્ય કરી શકતી નથી. તેથી અરિહંતની જેમ પૂજનીય થઈ શકતી નથી.”
તમારા આ હિસાબે તે અરિહંતનું નામ પણ અરિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org