________________
મૂર્તિપૂજા એ કાર્યને ગુરૂભક્તિનું કાર્ય ગણે છે. તે પછી પ્રતિમાને વંદન-પૂજન આદિ પ્રભુભક્તિનું કાર્ય કેમ ન ગણી શકાય?
અહીં આંક નવમાં દર્શાવેલ દેશભક્તના શબને અંગે ડે. ગાંધી કહે છે કે –
દેશ સેવકનું શબ તેણે કરેલ સેવા, ઉપકારની યાદ આપે છે. અને બીજા તેનું અનુકરણ કરે તે માટે તેના શબનું સન્માન કરવામાં આવે છે.”
જગતમાં તેણે કરેલી સેવા તથા ઉપકારને યાદ આપવા માટે તથા બીજા તેનું અનુકરણ કરે તે માટે દેશસેવકના શબને સન્માન આપવાનું જરૂરી માનનાર ડે. ગાંધીને અરિહંત પરમાત્માના ગુણોને યાદ આપવા માટે તથા બીજા આત્માઓને તે ગુણોનું અનુકરણ કરાવવાને પરમાત્માની મૂર્તિનું સન્માન કેમ વ્યાજબી નહિ લાગતું હોય?
વળી અંક દશમામાં બતાવેલ મૃત ગુરૂના શબને વાંદવા અંગેની હકિકત માટે છે. ગાંધી કહે છે કે
ગુરૂના શબને વાંદવું એ શુદ્ધ આચારમાં નથી. શરીરની યોગ્ય વ્યવસ્થા કરવી તે શ્રાવકેને યોગ્ય વ્યવહાર છે કે જેથી જૈન ધર્મની હીલના ન થાય અને બીજા લેકમાં સાધુની પ્રતિષ્ઠા વધે.”
પ્રભુની મૂર્તિપૂજાને નિરર્થક કહેનાર પિતાના મૃત ગુરૂના શબને પુનઃ પુનઃ વંદન કરે છે એટલું જ નહિ પણ કાયમી વંદન કરવા માટે તે શબના ફેટા પડાવે છે. અને તે શબ સાથે તેમના શિષ્ય વર્ગના સાધુઓ પણ સાથે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org