________________
મૂર્તિપૂજા
પત્ર જાણી બુદ્ધિમાન પુરૂષ સ્થાપના જિન (તીર્થકરની મૂર્તિ) પ્રત્યે અડેલ શ્રદ્ધાવાળા બની રહે છે. અને સ્થાપના નિક્ષેપાથી જિનમૂર્તિની પણ સેવા-પૂજા અનાદિ કાળની છે એવી. દ્રઢ પ્રતીતીવાળા થાય છે.
નામ કરતાં આકારમાં ઘણી વિશેષતાઓ છે. જેવા આકારનું નિરીક્ષણ કરવામાં આવે તેવા જ આકાર સંબંધી ધર્મનું મનમાં ચિંતવન થાય છે. ચિત્તની એકાગ્રતા સાધવામાં કે મનને તલ્લીન બનાવવામાં માત્ર નામસ્મરણ કરતાં પ્રતિમા અજબ અસર કરે છે. જેમ મકાને વિગેરેના પ્લાન જેવાથી તેને જાણકાને તે વસ્તુઓને તુરત ખ્યાલ આવે છે પણ કેવળ નામ માત્રથી એ બધે ખ્યાલ આવી શકત. નથી. એ રીતે પરમેશ્વરના નામ કરતાં પરમેશ્વરના આકારવાળી મૂતિથી પરમાત્માના સ્વરૂપને વધારે સ્પષ્ટ બંધ થાય છે, અને પરમાત્માનું ધ્યાન કરવા માટે ઘણી જ સરળતા પ્રાપ્ત થાય છે. એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે જિનેશ્વર ભગવાનનું નામ જેટલું ઉપયોગી છે તેના કરતાં મૂર્તિ વિશેષ ઉપયોગી છે.
વસ્તુના સાક્ષાત અભાવે તેના ચિત્ર આદિ સ્થાપના દ્વારા જમ્બર અસર પેદા કરનારાં કેટલાંક દ્રષ્ટાંત. ૧. કઈ પણ માણસ પોતાના નેહીને વિયેગમાં તેની
છબીને જોતાં જ અત્યંત હર્ષને પામે છે, અને તે નેહી પ્રત્યેના સ્નેહની લાગણીને તે છબી દ્વારા તેના હદયમાં પ્રાદુર્ભાવ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org