________________
મૂર્તિપૂજા
૫૭ કહેનાર ડે. ગાંધી! “જ્ઞાનીને ખ્યાલ જ હેય એટલે તેને ચિત્ર કે મૂર્તિની જરૂર હોય જ નહિ પણ અજ્ઞાનીને ખ્યાલ આપવા માટે હેય” એમ કહે છે તે ખોટું છે. વળી તેમના કથન અનુસાર જે શાસ્ત્ર શ્રવણથી વંચિત હોય અને અરિહંતના સ્વરૂપને જાણતા ન હોય તેવાઓને પણું અરિ. હંત પરમાત્માની મૂર્તિ જોતાં જ આ કેની મૂર્તિ છે? એ પુરૂષ કેવા થઈ ગયા? તે શા માટે પૂજનીય બન્યા એ બધી હકિકત જાણકારને પૂછી માહિતગાર થઈ તે પણ અરિહંતની આરાધનામાં શ્રદ્ધાળુ બને એ માટે અજ્ઞાનીને પણ મૂતિ ઉપયોગી છે. એ રીતે જ્ઞાની અને અજ્ઞાની બન્નેને માટે મૂર્તિ ઉપગી અને લાભદાયક છે. વળી અરિહંતના ગુણે પ્રત્યે રાગ-ભક્તિ તે સમ્યકત્વી જીવને જ થાય નહિ કે મિથ્યાત્વને! અને સમ્યક્ત્વ ચેથા ગુણ સ્થાનથી જ હેય. અરિહંતનું ધ્યાન ધરવા સાક્ષાત્ અરિહંતના અભાવે અરિહંતની પ્રતિમાની ખાસ આવશ્યકતા રહે છે. કારણ કે આ કાળે સાલંબન ધ્યાન જ થઈ શકે છે. અને તેથી જિન પ્રતિમા ભવ્ય આત્માને મહાન આલંબનરૂપ છે. આ કાળે . નિરાલંબન ધ્યાન થઈ શકતું જ નથી. કેઈ નિરાલંબન ધ્યાન યાવી શકવાની વાત કરતું હોય તે તે અસત્ય છે. અનેક મહાપુરૂષોએ આ કાળમાં નિરાલંબન ધ્યાનના મારથ સેવ્યા છે પણ કરી શકયા નથી. તે આપણા જેવા પામરે શું હિસાબમાં? સાધુઓને પણ જ્યાં સુધી પ્રમાદપણું છે ત્યાં સુધી નિરાલંબન થઈ શકતું નથી. છઠ્ઠા ગુણ સ્થાનક સુધી પ્રમાદ દશા છે. શ્રી રત્નશેખર સૂરિ મહારાજે ગુણસ્થાન કમારોહમાં કહ્યું છે કે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org