SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજા નથી. કારણ કે ત્યાં અશુભ માગે ચિત્તની એકાગ્રતા કરવાને અવસર સાધુને ભાગ્યે જ મળે છે. જ્યારે મકાનમાં સ્ત્રીની મૂતિ હોય તે તે તરફ વારંવાર ધારી ધારીને નિહાળવાનું અને તેમાં ચિત્તની એકાગ્રતા તથા મનની લીનતા થવાનું અવશ્ય બની આવે તથા પરિણામે દીલમાં કામ વિકારે જાગૃત થઈ આવે, એ વિગેરે અનિષ્ટને પૂરેપૂરે ભય છે. સૂત્રકાર મહર્ષિએની આજ્ઞા નિપ્રજન કે વિના વિચારે હોઈ શકે નહિ. એટલે મનુષ્યને ચિત્તમાં લાગણી પેદા કરવાને સ્થાપના-આકાર-ચિત્ર કે મૂર્તિ એ અમેઘ સાધન છે. ચિત્ર કે મૂર્તિ અજ્ઞાનીને ખ્યાલ આપવા માટે નથી પણ જ્ઞાનીને જ ખ્યાલ આપવા માટે છે. જેની મૂર્તિ કે ચિત્ર બનાવેલ હોય તે વ્યક્તિ કોણ છે? કેણુ થઈ ગયે? કે તેનામાં શું ગુણ-અવગુણ હતા? એ હકિકતથી અજ્ઞાત મનુષ્યને તે મૂર્તિ જેવા માત્રથી હૃદયમાં કઈ અસર પેદા થતી નથી પણ જે વ્યક્તિ કે જે વસ્તુનું ચિત્ર મૂર્તિ હોય તે વ્યક્તિ કે વસ્તુનું શાસ્ત્રો-પુસ્તકે-ઈતિહાસે કે કેઈન મુખથી વર્ણન જાણે ત્યાર બાદ તે વ્યક્તિના ગુણની અનુમોદના કરવા રૂ૫ વિચારે-તે મૂર્તિ તરફ એકાગ્રચિત્તે જોયા કર્યાથી થાય છે. ડૉ. ગાંધી પોતે “જૈન સિદ્ધાંત માસિક” સપ્ટે. બર ૧૯૫૪ ના અંકના પૃષ્ઠ. ૩૩૦ મે “સમરણાર્થે ઉભાં કરેલાં બાવલાં જોનારના મનમાં ગૌરવ પેદા કરે છે” તેના જવાબમાં લખે છે કે–જે તે પુરૂષનાં ગુણદોષ જેનારના જાણુવામાં ન હોય તે તે બાવલાં ફકત કળાના મેહમાં ઉતારે છે. એટલે જે વ્યક્તિનું બાવલું છે તે વ્યક્તિના ગુણ દેશના જ્ઞાતાને જ બાવલું ગુણના સ્મરણ માટે ઉપગી છે એમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy