________________
મૂર્તિપૂજા દ્રષ્ટિમાં પડતાં તે દ્રષ્ટાને આહાદનું કારણ થઈ પડે છે,
જ્યારે તે જ માણસ તેના દુશ્મનની દ્રષ્ટિમાં પડતાં તે દુશ્મનને વૈમનસ્યની લાગણી પેદા થાય છે. વીસ વરસની યુવાન સ્ત્રી કામી પુરૂષની દ્રષ્ટિએ પડતાં કામી પુરૂષને તેના શરીરની સૌન્દર્યતા–શરીરનાં અંગે પાંગ આદિ સંબંધી કામ વિકાર પેદા કરનાર થાય છે જ્યારે તે સ્ત્રી તેના પીતાની દ્રષ્ટિએ પડતાં સંતતી વાત્સલ્યની લાગણું ખુરે છે. આમ એકને એક વ્યક્તિ દ્વારા દરેક દ્રષ્ટાને પૃથફ પૃથફ લાગણી પેદા થવાનું કારણ એજ છે કે દ્રષ્ટાના ધ્યેય ઉપર લાગણને આધાર રહે છે. એ રીતે વીતરાગ દશા ચિંતવનના ધ્યેયપૂર્વક મૂર્તિનું દર્શન કરનારને મૂતિ તે પૌગલિક મેહ ઉત્પન્ન કરવાને બદલે પગલિક મોહ દર કરે છે. બાકી મૂર્તિનાં દર્શન શું દયેયથી કરવાના છે, કઈ દ્રષ્ટિએ મૂર્તિ જેવી તેનું જેને ભાન ન હોય તેને તે મૂર્તિના દર્શનથી ગમે તે ભાવ પેદા થાય છે. ભક્તને પૌગલિક મેહ દૂર કરનાર છે. જ્યારે કલાકારને પૌગલીક મેહ પેદા કરનાર છે. તે તેમાં જેનારની દ્રષ્ટિનેજ દે છે, નહિ કે મૂર્તિને !
મૂર્તિના દર્શનની અને પૂજનની પણ વિધિ છે. એ વિધિ એ છે કે એ વિધિપૂર્વક દર્શન પૂજન કરનાર આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં નજીક નજીક આવતા જાય છે, અને પદ્ગલિક મેહ દૂર કરે છે. લાખ રૂપિયાની કિંમતને હીરે હોશિયાર ઝવેરીની દ્રષ્ટિએ લાખ રૂપિયાનું મહત્ત્વ સમજાવનાર છે. જ્યારે હીરાની સમજણથી અજ્ઞાત મનુષ્યને તે કાચને કટકેજ ભાસે છે. એ રીતે વીતરાગની મતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org