________________
આચાર-નિર્યુક્તિ ૧૧માં (પૃ.૪) “બ્રહ્મચર્યનાં નવ અધ્યયનોવાળો વેદ” જેવા શબ્દોથી વેદની પ્રતિષ્ઠા જેટલી આચારાંગની પ્રતિષ્ઠા જણાવી છે. (આચાર-નિયુક્તિ ૧૧ પ્રક્ષિપ્ત ગાથા છે. મૂળે તે નિશીથ ભાષ્ય ગાથા.૧ છે, અહીં આચારમાં તેનું પુનરાવર્તન થયું છે. જુઓ શૂબીંગ છેદસૂત્ર પૃ.૯૨, પાદરી નં.૧૮ ઉપર અને ભટ્ટ ૧૯૯૭-૮૮ પૃ.૧૦૧). આચારાંગમાં આવતા વેદવિદ શબ્દના સંદર્ભમાં પં. માલવણીઆના કેટલાંક વિધાનોની સંક્ષિપ્ત સમીક્ષા અહીં અનિવાર્ય થઈ પડે છે, જેમ કે: “...commentaries such as Niryukti and Cūrni betray fascination for the Vedas... But the Acaranga Cūrņi (p. 185)...says that the twelve angas are the Veda. This shows the prestige of the Veda amongst the public in those days. This is why the Jainas were ready to call their canonical literature "Veda"- (Beginnings of Jaina Philosophy in the Acaranga 1 4. E4244 માલવણીમાનો લેખ, પૃ.૧૫૧ જુઓ પરિશિષ્ટ ૧) ૫. માલવણીઆ અહીં જણાવે છે કે જૈન ટીકાકારોને - નિર્યુક્તિ, ચૂર્ણિ – વ.ને વેદ પ્રત્યે અહોભાવ હતો-વેદની પ્રતિષ્ઠાથી તેઓ આકર્ષાયા હતા. પરંતુ, ઉપર્યુક્ત આચાર-ચૂર્ણિના અધ્યયન ઉપરથી સ્પષ્ટ થાય છે કે જો તે ટીકાકારોને - ચૂર્ણિ કે શીલાંકને-વેદ પ્રત્યે સાચેસાચ અહોભાવ હોત કે તેઓ વેદની પ્રતિષ્ઠાથી આકર્ષાયા હોત તો તેઓ વેદ કે વેદવિદ જેવા શબ્દોનો સાંપ્રદાયિક અર્થ ઘટાવવા કોશિશ ન કરત. તેઓએ વેદ કે વેદવિદ શબ્દનો પરંપરાગત અર્થ (જુઓ ઉપર ) તો માન્ય રાખ્યો જ નથી ! ૫. માલવણીઆએ તે લેખમાં આગળ જતાં વળી બીજું એક મંતવ્ય વ્યક્ત કર્યું છે કે આચારાંગમાં (ઉપર નિર્દેશેલાં પાંચ સ્થાનોમાં) તો જૈન ધર્મના પ્રણેતાને પણ વેદવિદ કહ્યો છે (સરખાવો “Not only this, the leader of the Jaina: is designated as vedavi ... પૃ.૧૫૧). પરંતુ ઉપર નિર્દેશેલાં પાંચેય અવતરણોમાંથી સ્પષ્ટ થાય છે કે પં. માલવણીઆ આચારાંગનું સ્વતંત્ર પરીક્ષણ કર્યા વિના ફક્ત ચૂર્ણિને (કે શીલાંકને) જ અનુસરીને આવું મંતવ્ય દર્શાવે છે, જે તદ્દન ભૂલભરેલું છે. આચાર બ્રહ્મચર્યમાં તો વેદવિદ શબ્દ બ્રહ્મવિદ, આત્મવિદ, કે ધર્મવિદની જેમ સામાન્ય અર્થમાં વપરાયો છે. સાચેસાચ તો ચૂર્ણિએ અને શીલાંકે જ સૌ પ્રથમ વેદ શબ્દનો અર્થ બદલી કાઢીને વેદવિદ શબ્દનો અર્થ તીર્થંકર કે મહાવીર સાથે જોડવા પ્રયાસ કર્યો છે! વળી. જૈનોનાં છ આવશ્યક સૂત્રોના આધારે વિકસેલાં નંદીસૂત્ર અને અનુયોગદ્વારસૂત્ર જેવા ઉત્તરકાલીન (ઈ.સ. આશરે પમી કે ૬ઠ્ઠી સદી) આગમોમાં ચાર વેદને મિથ્યાશ્રુત (નંદી ૭૨) કે લૌકિકહ્યુત (અનુયોગદ્વાર ૪૯) તરીકે ગણાવી તેમની અવગણના કરી છે અને સમગ્ર જૈન આગમોને સમ્ય-શ્રુત કે લોકોત્તરશ્રુત (નંદી ૭૧) ગણાવી તેમની પ્રશંસા કરી છે. જૈન સાંપ્રદાયિક ભાવનાની આવી સ્પષ્ટ પરિસ્થિતિની સાથે “જૈનો પોતાના આગમ સાહિત્યને વેદ તરીકે બીરદાવવા આતુર હતા” એવી મતલબનું પં. માલવણીઆનું વિધાન વિસંવાદ સરજાવે છે (જુઓ ઉપર... the Jains were ready.veda)! પં. માલવણીઆનાં આવાં વિધાનો અસ્પષ્ટ અને
ભ્રમજનક છે. ૨૬. દા.ત. યસ્તુ સર્વાળિ ભૂતાન્યાત્મજોવાનુણ્યતિ...તતો ન વિ નુતે (ઈશ ઉપનિષદ ૬ = બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૩ = કઠ ઉપનિષદ
૪.૫, જુઓ ઉપર ૬ ૧.૩) સરખાવો સુત્તનિપાત ૩૦.૨૩ ચો સત્તનાત્તાનું નાનુપતિ...યો વા તામેવં વેલાપહત્ય પમાનમત્તે સ્વ તો જે પ્રતિતિ... (કેન ઉપનિષદ ૪.૩૪. જે આ પ્રતિષ્ઠા આ પ્રમાણે જાણે છે તે પાપ દૂર કરી અંતે ઉત્તમ સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠા પામે છે) ...તમાથે વેડનુપત થી તેષાં શાન્તિઃ શાશ્વતી નેતામ (કઠ ઉપનિષદ ૨.૫.૧૩ - જે ધીર પુરુષ પોતામાં રહેલા તેને જુએ છે તેમને શાશ્વત શાંતિ છે, અન્ય કોઈને નહીં) ...:...પરં પુરુમમણ્યાયીત...સ પામના વિનિમ્w:..૫૨ ત્યાં...પુરુષમીક્ષતિ (પ્રશ્ન ઉપનિષદ ૫.૫-જે પરમ પુરુષનું ધ્યાન ધરે છે તે પાપથી મુક્ત થયેલો, પરથી પણ પર એવા પુરુષને જુએ છે) ...ક્ષીને વાસ્થ મffખ તસ્મિન દઈ પરીવર (મુંડક ઉપનિષદ ૨.૨.૮- “પર અને અવરમાં-ઉચ્ચ, નીચ, સર્વત્ર રહેલા તેને જોતાં એનાં કર્મો નાશ પામે છે)...પૂi ૮ વાવ ને તતિ વિકમ સાધુ ના રવમ્, મિર્દ પાપમરવતિ (તૈત્તિરીય ઉપનિષદ ૨.૯.= બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૨
મેં કેમ સારું કામ ન કર્યું? મેં કેમ પાપકર્મ કર્યું?” એમ એને તાપ-દુ:ખ થતું નથી...??) ...વિઢિ પાપં ન ઉત્તર્ણ (છાંદોગ્ય ઉપનિષદ ૪.૧૪.૩-એમ જાણનારને પાપ કર્મ લાગતું નથી) ...૩૫તતિક્ષ..સર્વાત્માનં પતિ નૈનં મા તતિ, સર્વ પાપાનં તરત (બૃહદારણ્યક
ઉપનિષદ ૪.૪.૨૩ - તે ઉપરત અને તિતિક્ષુ સર્વ આત્મા જુએ છે. એને પાપ તરી જતું નથી, તે પોતે બધાં પાપ તરી જાય છે). ૨૭. પી.ટેકો (Sanskrit-a-mred- “to repeat". JAOS73, 1953, P. 80) મુજબ પ્રાચીન ધાતુ ૬ ભૂ.કૃ- તુ; તેના સ્થાને તૃત્ત કે કુત્ત, તેમાંથી
પ્રાકૃતમાં તદ્દ થયું હોય. તે ઉપરથી આગળ નામધાતુ તરીકે પ્રાકૃતમાં તુતિ જેવો પ્રયોગ થયો. જયારે ૬ ધાતુમાંથી સંસ્કૃતમાં ગોદતિ જેવો
પ્રયોગ પાણિનિના સમયથી શરૂ થયો. (જુઓ બોલ્લે પૃ. ૫૪. ટિ.૮). શનિ શબ્દ માટે જુઓ બોલે II.પૃ.૩૯. ૨૮. અહીંની જેમ બીજે પણ પાપ-કર્મવાથી મુક્ત થવા સાપની કાંચળીનું દબંત આપ્યું છે. જેમ કે આચાર IT. ૧૬.૮૦૧ (ગાથા ૧૪૩૯ તથા મુiારે
નુતિયં નહીં વિમુત્ત્વ તુન માટ), ઉત્તરાધ્યયન ૧૪.૩૪ (ગાય. અર્થો મિોળ હિન્ન પત્તે મુત્તો) તથા ૧૯.૮૬ (મમાં
छिदई ताहे महानागो ज कंचुय). ૨૯. ઉપરાંત જુઓ મહાભારત ૫.૩૨.૧૪; ૫.૪૦.૨; ૧૩.૬ ૧.૬૬; મનુસ્મૃતિ ૧૧.૨૨૭; સુત્તનિપાત ૧.૧૭..અહીં સર્વત્ર પાપ-ઇત્યાદિ
દૂર કરવા સાપ-કાંચળીનું દાંત આપ્યું છે. (બોલે II પૃ.૪૬, ટિ.૩ ના આધારે), તથા બોલે ૧૯૯૦ પૃ.૩૭-૩૮..જૈિમિનીય બ્રાહ્મણ ૨.૧૩૪- યથા મંગારિણી વિવૃત = પંગણા રૂપીછાં વારે...દીઘનિકાય II. ૭૭ (દીટર ગ્લીંગલોફ Saeculum 36.4 (1985), ટિ.૪૮ ઉપરથી).
૪૨ ]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org