SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પરિભાષા આચાર- 1 માં મળતી (૩.૧.૧૧૦ : પશ્યક ઉપાધિ હોતી નથી, ૩.૪.૧૩૧ = ૪.૪.૧૪૬) તે સૂત્રકૃતાંગ I માં ફક્ત એકવાર (૨.૨.૨૭ ૩É Uગણ - ઉપાધિ દૂર કરવી) દષ્ટિગોચર થાય છે. આ પરિભાષા જૈન આગમોમાંથી લુપ્ત થતી હોય એમ લાગે છે. બુદ્ધિ જેવો શબ્દ પ્રયોગ આચાર- 1- વિભાગ ૧માં તેમ સૂત્રકૃતાંગ 1 માં પણ મળતો નથી. કર્મથી છૂટવા ઇંદ્રિયો અંદર સંકેલી લઈ – રાગદ્વેષથી દૂર થઈ – આત્મરત, આત્મસમાહિત થવાની - અંતર્મુખ થવાની વિચારણા (જુઓ ૬ ૧.૭.૧) હજી સૂત્રકૃતાંગ I માં ચાલુ રહી છે. પાંચ મહાવ્રતો, રાત્રીભોજન ત્યાગ અને ભાવના પણ સૂત્રકૃતાંગ 1 માં (૩.૯) મળી આવે છે. સૂત્રકૃતાંગ I માં વ્યક્ત થતા વિચારો, જેમ કે ગ્રંથો અંધું પડ્યું fબતો (૧.૨.૧૯, આંધળાને રસ્તે દોરતો આંધળો), a mયારમજુરા (૭.૧૬ આંધળા નેતાને અનુસરી), નાં દિગંબે સદ નોતિના વિ રૂવાડુ નો રસ ઢીનેQ (૨૨.૮ જેમ આંખ વગરના આંધળાને પ્રકાશથી પણ રૂપ વગેરે-ઘટ-પટ વગેરે દેખાતાં નથી.) નેતા ના ઘાસિ સો માં જ નાણાતિ કપરૂમાળ (૧૪.૧૨ રાત્રે અંધારામાં નહીં દેખી શકનાર નેતા રસ્તો જાણતો નથી) – તેમ મૂઢ – આંધળા લોકો પણ પોતાને જ્ઞાન થયા વગર બીજાને (અંધારામાં જ) દોરી જાય છે અને ગંતવ્ય પામતા નથી, વ. ઔપનિષદ વિચારો સાથે સરખાવી શકાય; જેમકે ફંદ્રમા (પાઠાંતર બંધચમીના:) રિત્તિ મૂઢા ઉપેનેવ નીયમના યથાસ્થા: (કઠ ઉપનિષદ ૧.૨.૫ = મુંડક ઉપનિષદ ૧.૨.૮ આંધળાથી દોરાતા આંધળા લોકોની જેમ મૂઢ લોકો સતત અટવાયા (અથડાયા) કરતા પરિભ્રમણ કર્યા કરે છે). રત (૨.૩૮.૩.) પણ કહે છે કે યથાન્યો વાન્યમન્થીયા (અથવા જેમ આંધળો આંધળા પાછળ જાય બોલે | પૃ.૯૬ ઉપરથી). સૂત્રકૃતાંગ I આગળ જણાવે છે કે જેમ શકુનિ (ગીધ, સમડી, કાગડા ?) પાંજરું તોડી શકતું નથી તેમ ધર્મ કે અધર્મના જ્ઞાન વગર કોઈ વ્યક્તિ દુઃખો દૂર કરી શકતી નથી (જુઓ ફુવું તે મારૂતુëતિ સરળ પંગર નહીં ૨.૨.૨૨), છાંદોગ્ય ઉપનિષદ પણ કહે છે કે સ તથા શનિ સૂત્રેા પ્રવર ..વંદનવો પછયત વિમેવ ...પ્રાણવંધનં દિ...મન રૂતિ (૬.૮.૨ દોરે બંધાયેલું કોઈ શકુનિ જેમ બંધનને જ આશરે દોરે જ વળગી - રહે છે તેમ જ મન પ્રાણના બંધનવાળું છે. સરખાવો - રા યર્વિસુસંવાદ્ધ પક્ષી તત્વહિન્દુ મન: પક્ષી જેમ દોરે બંધાયેલું છે તેમ મન પ્રાણથી બંધાયેલું છે. યોગશિખા ઉપનિષદ ૫૯, ઉપરાંત પાં છિવા યથા હંસો..મુને...fછત્રપાલ તથા નીવ: સંસારં તરતે સી. પાશ છેદી જેમ હંસ આકાશ ઓળંગી જાય તેમ બંધનમુક્ત જીવ હંમેશાં સંસાર તરી જાય છે. યુરિકા ઉપનિષદ ૨૨). તયાં વ નહાફ સે રયં તિ સંgય મુળી મm (તે રજ - પાપ - કર્મ સાપની કાંચળીની જેમ ત્યજી દે છે એમ જાણી મુનિ - રજ - ત્યાગનો - ગર્વ કરતો નથી). ૨૮ સૂત્રકૃતાંગ ના (૨.૨.૧) આ વિચારો સાથે વરાહ ઉપનિષદના (૬૭-૬૮) વિચારો લગભગ સમાંતર જાય છે, જેમ કે નિર્વયની નિમો નીવવગત:, વત્ની તિતિષેત્ત સો નાતે, પર્વ...શરીર નાબમ. (સાપની જીવ વિહોણી કાંચળી જેમ રાફડે પડી રહે, અને સાપ તેને બહુ ગણતો નથી,તેની દરકાર કરતો નથી - તેમ વિદ્વાન શરીરને બહુ ગણતો નથી.) આ શ્લોક બૃહદારણ્યક ઉપનિષદના આધારે રચાયો છેઃ થર્ યથા - નિર્વચની વત્ની મૃતા પ્રત્યસ્તી શીત – વિમેવેટું શરીર શૉ - ૩થામારીનો મૃતઃ પ્રાળો વ...(૪.૪.૮ જેમ સાપની કાંચળી રાફડામાં મત. ફેંકી દીધેલી પડી રહે તેમ આ શરીર પડી રહે છે અને આ અશરીરી પ્રાણ અમૃત છે, તે બ્રહ્મ જ છે). પ્રશ્ન ઉપનિષદ (પ. ૫) પણ કહે છે કે, યથા પાકોરસ્વવી વિનિચત પર્વ દ વૈ સ પાખના વિનિp: (જેમ સાપ કાંચળીથી મુક્ત થાય છે એમ તે પાપથી મુક્ત થયો). અગ્નિએ ઇંદ્રનાં બધાં પાપ બાળી નાખ્યાં છે, જૈમિનીય બ્રાહ્મણ (૨.૧૩૪) પણ આ રીતે જણાવે છે કે સ યથાદિક - દિચ્છર્ચે નિર્મચેત, કથા મુંગાવિકા વિવૃત, વમેવ સર્વમાન્ પાખનો વિરમું (જેમ સાપ કાંચળી લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] [ ૨૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy