SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યજી દે અને જેમ મુંજમાંથી ઈષીકા છૂટી પડે, તેમ તે બધાં પાપમાંથી મુક્ત થયો)૨૯ બે ભિન્ન ગ્રંથોનાં કોઈ કોઈ વિધાનોમાં રૂપક, ઉપમા કે એવા અલંકારના લીધે પ્રાપ્ત થતી સમાનતાથી તે બંને ગ્રંથાંશ કે વિધાનો વચ્ચે કાંઈ નિકટનો સંબંધ સ્થાપી શકાતો નથી (જુઓ હોર્શ. પૃ. ૪૭૫.). તે - ધીર, મુનિ - આત્મામાંથી સર્વ લોક જુએ છે. (સૂત્રકૃતાગ 1 ૧૨.૧૮. તે મારી પાસે સવનો, જુઓ હું ૧.૩).૩૦ છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે પણ આ સર્વ (જગત આત્મા જ છે. તે (આત્માદ્રષ્ટા) આમ જોતાં આત્મરતિ અને આત્માનંદ થાય છે. આ રીતે જોતા તેનું (આત્મદ્રષ્ટાનું) આ સર્વ (જગત) આત્મામાંથી જ છે (...ગાત્મવેત્ સમિતિ સ વા- પર્વ પ...માત્મત:...માત્માનં:..મતિ. ૭.૨૫.૨. તી વા હતી પશ્યતઃ..૩નાત્મન્ પવે સર્વમિતિ. ૭.૨૬.૧). સૂત્રકૃતાંગ ! આ મુદ્દાનું ઠેકઠેકાણે પુનરાવર્તન કરે છે, જેમ કે તુરં પાહિ સંગ(૨.૩.૧૨. જીવો સાથે આત્મરૂપે સંયમિત થવું), નં ૨ છંદ્ર ૨ વિવિધ વિMUM ૩ સત્રો માયાવં (૧૩.૨૧ કર્મ અને છંદ - ઇચ્છા/કામના પ્રત્યે નિર્વેદ રાખી સર્વત્ર આત્મભાવ કેળવવો), અત્તત્તાપુ રિવ્વા (ઉ.૩.૭ = ૧૧.૩૨, આત્મત્વ - સર્વ કાંઈ આત્મા છે તેવા ભાવ-માટે પરિવ્રજય સ્વીકારવી. વિસ્તાર માટે જુઓ બોલે II પૃ.૧૧૫). અન્યત્ર ભિક્ષુને આત્મતત્વની ખાતર સંવૃત-(ઇંદ્રિયો સંકેલી લીધી છે) કહ્યો છે (સૂત્રકૃતાંગ II 2.29. રૂદ ઘણુ મત્તા સંવુડસ મળ / રસ.), સૂત્રકૃતાંગ . આગળ જણાવે છે કે તે વિદ્વાન, વિરત અને આત્મગુપ્ત છે, જિતેંદ્રિય છે, સદા દમનશીલ - ઇંદ્રિયો પર કાબૂ રાખે-છે (..વિડ વિરતો નાયરે ૭.૨૦, ૩રાયપુર નિષ્ફવિણ ૧૧.૧૬, ૩ીયમુને સયા વંતે ૧૧.૨૪). આચાર બ્રહ્મચર્યના આત્મસમાહિત (૪.૩.૧૪૧) કે આત્મોપરત (૪.૪.૧૪૬) સાથે સૂત્રકૃતાંગ 1 ના આત્મગુપ્તની તુલના થઈ શકે. આત્મસમાહિત ઈહા વગરનો છે, આત્મોપરત છે, ઉપાધિ વગરનો છે (બ્રહ્મચર્ય ૪.૩.૧૪૧, ૪.૪.૧૪૬), અધ્યાત્મ-સંવૃત છે, ઉપશાંતરતિ સંસાર સ્રોતમાં સર્વત્ર ગુપ્ત છે (બ્રહ્મચર્ય ૫.૪.૧૬૫, ૫.૫.૧૬૬). જેવી રીતે સ્વયં પોતે (આત્મા) છે તેવી રીતે સર્વ પ્રાણીઓ છે, આમ સર્વ પ્રાણીઓને સ્વયં તુલ્ય માનીને વિરત મુનિએ દૃઢમનથી પત્રિજયા સ્વીકારવી એવું સૂત્રકૃતાંગ I. પણ ઔપનિષદ વિચારોની જેમ જ રજૂ કરે છે; જેમકે વરણ મધમે૬િ ને રું ન, તેજસ કgવમાયા થા વં પરિવ્ય(સૂત્રકૃતાંગ 1. ૧૧.૩૩) “વિષયવાસનાઓ - કામથી વિરત મુનિએ પૃથ્વી ઉપર જે કોઈ પ્રાણીઓ છે તેમનો આત્મા તે પોતાનો આત્મા છે એવી તુલનાથી (કે તુલના માટે) હિંમત (દઢનિશ્ચય) કરી પદ્મિજયા સ્વીકારવી. અહીં ઈશ ઉપનિષદની (ગાથા ૧) અસર સ્પષ્ટ થાય છે. શાવામિદં સર્વ વત્ &િ ૨ ત્યાં નાત, તેન ત્યોન મુંગીથા મા વૃધ: શ્યવિદ્ ઘનમ્ – “પૃથ્વી ઉપર જે કાંઈ ગતિશીલ (=રાણી) છે તે ઇશ્વરથી રહેવા લાયક છે (=તેમાં ઇશ્વર વસ્યો છે). આથી તું ત્યજી દીધેલાથી (ભિક્ષાવૃત્તિ, ઉછ) આહારવિહાર કર. તું કોઈના ધનની લાલસા ન રાખ. અહીં સૂત્રકૃતાંગમાં અને ઇશ ઉપનિષદમાં સર્વ પ્રાણીઓનાં સ્વયં પોતે જ વસી રહ્યો છે એવી આત્મદષ્ટિ (જુઓ તેfi અgવમાયા અને શાવામિત્રે સર્વ), વિષયોથી વિરતિ (બ્રહ્મચર્ય) કે પરિવ્રજયા (જુઓ વિરપુ ગામ ઘઉં પરિવ્યા અને તેને તેના મુંનીથી) જેવા વિચારો તરી આવે છે. ઉપરાંત તે જણાવે છે કે સર્વ પ્રાણીઓમાં આત્મા-ઇશ વસી રહ્યો છે તેથી કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી કે તેના પ્રાણ ઝૂંટવી ન લેવા. ફક્ત સ્વેચ્છાએ ત્યક્તથી (ભૈક્ષ કે ઉછ) જીવન વીતાવવું. સૂત્રકૃતાગ 1. ૨.૩.૧૪ (૩છે..વિસુદ્ધમાદ), ઉત્તરાધ્યયન ૩૫.૧૬ (૩છેfસજા), દશવૈકાલિક ૧૦.૧૭ (૩છે ) પણ એવી ભિક્ષાવૃત્તિનું વર્ણન કરે છે, અને કોઈનું ધન” પચાવી લેવું નહીં તેમ જણાવે છે ( ય ભોમિ દ્ધો રે jછે મર્યાપશે દશવૈકાલિક ૮.૨૩ અને મા ઘ ચ સ્વિત્ ઘનમ્ ઈશ ઉપનિષદ).૧ ૩૦ ]. [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy