________________
લોકરિચય અધ્યયનની સ્પષ્ટ અસર જણાય છે. વળી શીતોષણયમાં ‘‘પર્યાય” (THવગત - ૩.૧.૧૦૯), કાળની આકાંક્ષા રાખનાર” કે ““જીવનની ઝંખના વગરનો' (૩.૨.૧૧૬, ૩,૪,૧૨૯, જુઓ આગળ $ ૧.૬.૨), “પ્રાણીઓના પ્રાણ” (૩.૨.૧૨૧), “લોક-અલોક-પ્રપંચ” (૩.૩,૧૨૭) જેવી નવી પરિભાષા જોવા મળે છે. (શસ્ત્રપરિજ્ઞા અને લોકરિચય અધ્યયનો આવી પરિભાષાથી અપરિચિત છે.) પરંતુ સમ્યકત્વ નામનું ચોથું અધ્યયન તો શસ્ત્રાપરિજ્ઞા અધ્યયનની પરિપકવ ભૂમિકા ઉપર રચાયું છે. તેમાં વર્ણન કરવાની એક નવી રીત અપનાવી છે. એનાં પૂર્વવર્તી અધ્યયનોમાં અનેક સ્થળે “ત્તિ વેfમ'' (એમ હું કહું છું), તથા “ભવતા. પવિત'' (ભગવાને જણાવ્યું છે, આચાર ૧.૧ , ૧.૨.૧૩, ૧.૩.૨૪, ૧.૪.૩૫, ૧.૫.૪૩, ૧.૬,૫૧, ૧.૭.૫૮) એવું જણાવી, ““અમે અનગાર - ભિક્ષુ - છીએ એવો દાવો કરતા ‘ઢોંગી’ ભિક્ષુઓ” ઈત્યાદિ વર્ણનો (આચાર ૧.૨,૧૨, ૧.૩, ૨૩, ૧.૪,૩૪, ૧.૫.૪૨, ૧.૬.૫૦, ૧.૭. પ૭) જે રીતે શરૂ થયાં હતાં તેને અહીં જુદી રીતે રજૂ કર્યા છે, જેમ કે, એ વેfમ – ને ગયા...પડુ પત્રા...સામસી અરહંતા પાર્વતો, સળે તે વાવરવંતિ...(ત હું કહું છું-જે અતીત-થઈ ગયેલા-ભાવિમાં આવનાર અહેત. ભગવાન, તે બધા આમ જણાવે છે-૪.૧.૧૩૨ - સરખાવો ઉત્તરાધ્યયન ૩.૪૫), બાવંતી -ગવંતી નોrifસ સમય માદા પુત્રો વિવાર્થ વયંતિ...સર્વે પ..હંતવ્ય...૩રિય-વથમેય. (કેટલાયે શ્રમણ અને બ્રાહ્મણ પૃથફ વિવાદ કરે છે કે સર્વે જીવોની હિંસા કરવી જોઈએ...આ અનાર્ય વચન છે. ૪.૨.૧૩૬, તથા જુઓ ૪.૨.૧૩૭). આ પછીના સૂત્રમાં ‘આર્ય વચન” માટે “અમે” (પ્રથમ પુરુષ બહુવચન, સરખાવોઃ “ત્તિ વેકિ" માં પ્રથમપુરુષ એક વચન !) શબ્દથી કોઈ જુદી જ વ્યક્તિ વિધાનો રજૂ કરે છે (વયં-પુ પર્વ બાફણામો..બારિય વાય. ૪.૨.૧૩૮). આ અધ્યયનમાં આવતાં આવાં વર્ણનોની શૈલી કંઈક નવી લાગે છે. તેમાંય ગાવંતી –વંતી થી શરૂ થતાં સૂત્રો ઉપર તો પાંચમા અધ્યયન લોકસારની (૫.૧.૧૪૭) સ્પષ્ટ અસર થઈ છે. વળી, આ ઉપરાંત, સમ્યકત્વમાં જીવના અર્થમાં પ્રાણજીવ-ભૂત-સત્ત્વ (૪.૧.૧૩૨-૧૩૮) જાણવાના અર્થમાં દષ્ટ-શ્રુત-મત-વિજ્ઞાત (૪.૧.૧૩૩, ૪.૨.૧૩૬, સરખાવો ૪.૨.૧૩૭-સરખાવો બૃહદારણ્યક ઉપનિષદ ૪.૫.૬ આત્મનિ.દઈ મને વિજ્ઞા - ઢું સર્વ વિદ્વિતમ). કહેવાના અર્થમાં સમાવંતિ - માસંતિ - પત્રāતિ - પતિ (૪.૧.૧૩૨, ૪.૨.૧૩૭-૧૩૮), હણવાના અર્થમાં હૃથ્વી - પ્રજ્ઞા વેચવા - પરિયેત્તવ્ય – રિયા વેચવા – ૩યગ્લી (૪.૧.૧૩૨, ૪.૨.૧૩૬-૧૩૮) જેવા “શબ્દાડંબરો”નો (cliche) અનેકવાર પ્રયોગ, તથા આસવ-પરિસવ અને શ્રમણ-બ્રાહ્મણ (૪.૨.૧૩૪ જુઓ આગળ હું ૧.૮), સંસાર (૪.૨,૧૩૪) જેવા નવા શબ્દો, વગેરેના આધારે એમ કહી શકાય કે પૂર્વવર્તી અધ્યયનોની વિચારસરણી રજૂ કરવાની સમ્યકત્વ અધ્યયનની રીત-શૈલી જુદી જ તરી આવે છે. આખું શસ્ત્રપરિજ્ઞા અધ્યયન સમ્યકત્વને પરિચિત હતું તે બાબતનું સમ્યકત્વ અધ્યયનમાં પણ સમર્થન મળી આવે છે. પુત્રં નિયસમયે (પૂર્વકાલીન છ નિકાયની વિચારણા-સમય, ૪.૨.૧૩૯) જેવા શબ્દોથી સમગ્ર શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો અહીં ઉલ્લેખ થયો છે (જુઓ શૂબીંગ.વો.મ. પૃ.૮૮, ટિ.૧. આ રીતે પરિણ-વિવેને માસિક્ત (Gશસ્ત્રપરિજ્ઞાનો વિવેક જણાવ્યો છેઃ આચાર ૫.૩ ૧૫૯), પરિઇ-સમર્યામિ ( શસ્ત્રપરિજ્ઞાની વિચારણા-સમયમાં આચાર I.૧૬.૮૦૧) જેવાં આચારાંગમાં આવતાં વિધાનોમાં શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો સ્પષ્ટ સંદર્ભ દર્શાવ્યો હોય છે. સૂત્રકૃતાંગમાં પણ હિંસા-સમય (I.૧.૪.૧૦ા.૧૧.૧૦) શબ્દથી શસ્ત્રપરિજ્ઞાનો નિર્દેશ થયો છે.
જૈન પરંપરાએ બ્રહ્મચર્યના આ ચોથા અધ્યયનનું નામ સમ્યકત્વ ક્યા કારણે રાખ્યું હશે તે આ અધ્યયન ઉપરથી સ્પષ્ટ કહી શકાતું નથી. સમ્યક્ત્વ જણાવે છે કે દષ્ટમાત્રથી - આ લોકથી - નિર્વેદ (ખિન્ન, વિરક્ત)-દશા પામવી, સંસારની ઉપેક્ષા કરવી, અને લોકેષણા ન રાખવી (વિર્દિ નિવ્યેય નક્કેનના, નો નો સેસને વરે. ૪.૧.૧૩૩.) તે રીતે લોકરિચય અધ્યયનમાં પણ આનંદથી (૨.૬.૯૯ = ૩.૨.૧૧૯) તથા આદાનથી ( કર્મોથી ૨.૪.૮૬) નિર્વેદ પ્રાપ્ત કરવાનું વિધાન છે. આવા વિચારો વૈદિક સાહિત્યમાં પણ પ્રાય: શબ્દશઃ મળે છે. કર્મના
૧૨ ]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org