SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પતન શી રીતે થતા હશે? એ સમજી શકાતું નથી. એને એ પ્રશ્ન ફરી પાછો ઉભો રહે. “વિકાસ કે પતન ચેકસ થાય છે, એમ એક વખત જાગતી બુદ્ધિથી,અક્કલ હોંશીયારીવાળી, સમજ શક્તિથી સ્વીકારી ચૂક્યા છીએ, તેનું કેમ? અને કદાચ પાછા ફરી બેસીએ કે–“ચાલે ! અમે વિકાસ કે પતન સ્વીકારતા જ નથી, ” તે દરેક પ્રાણી સદા કાળ એકજ સ્થિતિમાં રહેતા હોવા જોઈએ. એમ પણ બુદ્ધિ કબૂલ કરતી નથી. ત્યારે સમજવું શું? વળી પાછા ત્યાંના ત્યાં આવીને ઉભા રહીએ છીએ. અ ન વ સ મા ધા ન: આ ભા. આ પ્રશ્નનું સમાધાન એક વાર નીચે પ્રમાણે હલ કરી લઈએ. બીજુ મળશે, અને આ ખોટું ઠરશે, ત્યારે આને બાતલ કરીશું. ત્યાં સુધી કાયમ રાખવું જ પડશે. ભલે તેને અત્યારે કામ ચલાઉ ગણવું હોય તે ગણીએ, પરંતુ બીજું સમાધાન જણાતું નથી, જણાયું નથી, અને કદાચ જણાશે કે કેમ? એ પણ શંકા જ છે. છતાં જણાશે તે તે વખતે સત્ય સમજી લેતાં વાર નહીં લાગે. માટે ત્યાં સુધી આ સમાધાનથી જ કામ ચલાવવું વાસ્તવિક છે, બીજો ઉપાય નથી. તે સમાધાન આ રહ્યું વિકાસની રિથતિમાં જનારી ગાય, કે જે હાથી થવાની છે, તે એકાએક હાથી ન થઈ જતાં તે વખતે તે મરી જ જાય છે, ત્યાર પછી-મર્યા પછી, તે હાથી થતી–હાથી રૂપે જન્મતી હેવી જોઈએ. એ અનુમાન પર આવવું પડે છે. મહાશય ! ભલે એમ બનતું હશે, પરંતુ ગાયનું સડી ગયેલું, ટુટી ગયેલું ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy