SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ચેલે રહેતો નથી. એ સગવડ સંધની સત્તા અને કાર્યક્ષેત્રની બહાર છે. એટલે કે-જૈન સંધમાં દાખલ થવા આવનાર વર્ગ ક્યા ધંધાથી આજીવિકા મેળવવી, કેની સાથે લગ્નાદિક સામાજીક વ્યવહાર રાખવા, કોની સાથે રેટી વ્યવહાર રાખે, કયા રાજમાં રહેવું, કેને કુળગુરુ માનવા, કે પહેરવેશ રાખે, ક્યા દેશમાં રહેવું, કોની સાથે ધંધે રોજગાર કરે, કુટુંબમાં કેવી વ્યવસ્થા રાખવી. એ વિગેરે પિતાને ફાવે તે રીતે ઘટતી રીતે સગવડ પ્રમાણે ગઠવી લે. તેમાં સંઘ વચ્ચે ન આવે, અને મદદ પણ ન કરે. એ રીતે દુનિયાના કોઈ પણ માને સંધમાં દાખલ થઈ શકે છે, થયા છે, થાય છે, ને થઇ શકશે. આમ દરેક માનવ કે પ્રજાવર્ગને જૈન સંઘમાં ધર્મપાલનને લાભ લેવા દાખલ થવાની છુટ છે, છતાં પૂર્વાપરથી ચાલ્યો આવતો જૈન સંધ અને ખાસ કરીને તેના પ્રતિનિધિઓ સંઘના ટ્રસ્ટી તરીકે નવા દાખલ થનારની અનેક પ્રકારે કસોટીઓ કરે છે. એટલે કે પ્રથમ તેની સમ્યગ દર્શનની શરત તપાસ્યા વિના દાખલ ન કરે. [ કારણ કે-દાખલ થવા આવનાર ક્ષણિક આવેશથી ન આવેલ હે જઈએ, ધર્મપાલનનો લાભ લેવા માટે સર્વ જાતના કષ્ટ સહન કરવાની મનાવૃત્તિવાળો હોવો જોઈએ. ધર્મપાલન ખાતર દુઃખ સહન કરવું પડે, તેમાં પાછી પાની ન ભરવી જોઈએ. સંઘ કાંઈ તેના નિવારણ માટે બંધાયેલ નથી. બની શકે તે સહાય આપે, તે અચ્છિક છે. ફરજીઆત નથી. દાખલ થનારે સંઘના કામમાં ભાગ લેવો એ ફરજીયાત છે. સામાજિક, આર્થિક કે એવી બીજી બાબતની તેણે સગવડ કરી લીધી છે કે નહીં ? અને નથી કરી, તે જ્યારે એ બાબતની મુશ્કેલીઓ ઉભી થાય, ત્યારે ટકી રહેશે કે નહીં ? અથવા જે નુકશાન થાય, તે સહેવાને તૈયાર છે કે નહીં ? એ બધું સંધને જાણી લેવું પડે છે. કારણ કે–દાખલ થનારના વંશવારસ પણ સંઘના સભ્ય ગણાય છે. ખાસ કાંઈ પણ વિધી સંગે ઉભા ન થાય, તો તેને તેમાંથી બાતલ કરવામાં નથી આવતા. આમ સ્થાયિ પ્રવેશ-નિવેશ હોવાથી સંઘના અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy