SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમેયવિભાગમાં વિશ્વઘટનાનું ગમે તેટલું વર્ણન કરતું હોય, પરંતુ તે આખા શાસ્ત્રનું પર્યવસાન જગમાં પ્રમાણ-પદ્ધતિ સ્થિર કરવામાં આવે છે. ન્યાયશાસ્ત્ર શિખ્યા પછી આપણને પ્રમાણુશાસ્ત્ર સરસ આવડશે. પરંતુ બીજા ઘણા વિજ્ઞાને બાકી રહી જશે. દ્રવ્યના ગુણ ધર્મોની બાબતમાં તેને વૈશેષિક ઉપર આધાર રાખવો પડે છે. સાંખ્ય જગતના તત્ત્વોનો પરસપર સમન્વય સમજાવે છે.અને તે તત્ત્વજ્ઞાનના પ્રદેશ તરફ ઉશ્યન કરે છે, પરંતુ પૃથક્કરણના વિજ્ઞાનમાં ગુંચવાઈને અપૂર્ણ રહી જાય છે, ને પિતાનું મુખ્ય વિજ્ઞાન રજુ કરીને મન પકડે છે. વૈશિષિક દર્શને મન દ્રવ્ય ગણાવ્યું, પણ તેના ફેરફાર જણાવવા માનસશાસ્ત્ર અને ચિત્ત વૃત્તિઓનું પૃથક્કરણ કરનાર યોગ દર્શન, વેગ વિદ્યાને લગતું મુખ્ય વિજ્ઞાન પૂરું પાડે છે તે વિકાસમાટે આધ્યાત્મિક જીવન જીવવાની ભલામણ કરે છે, ને તેના સાધન તરીકે ધ્યાનની પ્રક્રિયા સમજાવે છે. મીમાંસા શાસ્ત્ર શબ્દ પ્રમાણનું વિજ્ઞાન પદ્ધતિસર રજુ કરી, શાસ્ત્રો અને તેમાં બતાવેલા વિધાને ઉપર માણસની બુદ્ધિને શ્રદ્ધાળુ બનાવી શકે છે, તે બાબતમાં તેને પુરુષાર્થ વખાણવા જેવો ગણાય, છતાં તે પણ છે એક વિજ્ઞાન. જૈન શાસ્ત્ર તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર છે, તેનું “તત્વાર્થાધિગમસૂત્ર જેવાથી એ વાતની વધારે સચોટ સાબિતી મળશે. એ ગ્રન્થના કર્તા વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજ કહે છે કે “આ ગ્રન્થ જૈન દર્શનનું સંક્ષિપ્ત પ્રતિબિમ્બ છે.” ત્યારે જૈન દર્શનની દ્વાદશાડ઼ી સમગ્ર વિશ્વનું પ્રતિબિમ્બ છે, એમ ચોક્સ સિદ્ધ થાય છે. સવાથભિગમ સૂનમે મનન પૂર્વક અભ્યા. અને તેની સંક્ષિપ્તમાં સંક્ષિસ રચનાને બુદ્ધિથી વિસ્તાર્યો જાઓ. તેની પાછળ સૂક્ષ્મ બુદ્ધિના ઘણા અંશે જણાશે, તે ઉપરથી અમુક કોઈ એક વિજ્ઞાનનો બાધ ન થતાં તમારી દૃષ્ટિ સમરત વિશ્વ પર વિગતવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy