SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સમજી શકીએ તેમ છે. આ રીતે વિશ્વભાવના, વિશાળતા, મારું મન વિગેરે શબ્દાને દુરુપયેાગ પણ થઇ શકે છે. ] આ પ્રજા જ્યારે સરકારિ હતી અને છે, ત્યારે સંસ્કૃતિનું પ્રધાન અંગ ધર્મ સંસ્કરણ પણ સર્વોત્તમ હાય તેમાં શું આશ્ચર્ય ? આર્ય પ્રજાના ધર્મ સરકરણની ત્રણેય મુખ્ય શાખાઓ–જૈન, બૌદ્ધ અને વૈદિક–આજે પણ જગતના બીજા ધર્મો કરતાં પેાતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ખતાવી શકે છે. ત્રણેયના—સાંગોપાંગ-વિગતવાર અને સૂક્ષ્મ અભ્યાસથી આ પ્રજાનું ધર્મસંસ્કરણ કેવુ છે ? અને આદર્શ ધર્મ સંસ્કરણ કેવું હાવું જોઇએ, તે બરાબર સમજી શકાય તેમ છે.આ રીતે ભારતીય ધર્મે પહેલા વિષયમાં ઉચ્ચ નબરે ઉત્તીણ થતા માલૂમ પડે છે. ૨. અધ્યાત્મ શાસ્ત્ર. અધ્યાત્મશાસ્ત્ર આ પ્રજાએ એટલી બધી હદ સુધી ખીલવ્યું છે દુ:–આદેશ “ ધર્મના જ દેશ ” કહેવાય છે. જડવાદ ગમે તેટલુ દબાણ કરે છતાં પ્રસંગ આવ્યે અધ્યાત્મબળ ઉછાળા મારીને પાછું વખતા વખત જોર બતાવી દે છે. જીવનની નાનામાં નાની ધટના સુધી આધ્યાત્મિક પ્રયોગાને પ્રવાતુ પહેાંચી ગયા છે. આખાલ–ગે પાળ–સ્રી–વૃદ્ધ અને એક દર સર્વ પરિસ્થિતિના માનવા પાતાના જીવનમાં ગમે તેને પ્રસંગે - પણ યથાશક્તિ આધ્યાત્મિક પ્રયોગા અમલમાં મૂકી શકે, તેવી, દૂરગામી ચેાજના ગાઠવવામાં આવી છે, એટલી ઝીણવટ સુધી અધ્યાત્મ શાસ્ત્ર વિચારવામાં આવ્યું છે, અને ખીલવવામાં આવ્યું છે. મંદિરપરના કળશ તુલ્ય આધ્યાત્મિક જીવન, જીવન મદિરનું કેન્દ્ર છે—કળશ છે. આ પુસ્તક લગભગ એ વિષયનું જ હેાવાથી અહીં તેના વધારે વિસ્તાર નહીં કરીએ. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy