SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજાનું આધ્યાત્મિક જીવન આટલું બધું ખીલ્યું છે, તે ઉપરથી એમ ચોક્કસ છે કે–પ્રજાનું ઇતર જીવન પણ એટલું જ ખીલ્યું હોવું જોઈએ. ઈતર જીવન ખીલ્યા વિના આધ્યાત્મિક જીવન ખીલે નહીં. એ સ્વાભાવિક છે. આ ઉપરથી એ નિર્ણય ઉપર આવી શકાય છે કે –“ભારતમાં માત્ર ધર્મો ઉપર અને આધ્યામિક જીવન ઉપર - ભાર મૂકવામાં આવે છે, પણ વ્યાવહારિક જીવન ઉપર ખાસ ભાર મૂકવામાં નથી આવ્યું. લગભગ તેની ઉપેક્ષા કરવામાં આવી છે. ” એ વાત ખોટી ઠરે છે. એટલું ખરું છે કે કેવળ જડવાદ પિષવામાં નથી આવ્યો. આધ્યાત્મિક જીવનની પરાકાષ્ટા ઇતરજીવનેની પણ પરાકાષ્ઠા જ સૂચવે છે. ભારતની બહાર ઉત્પન્ન થયેલા અને ખીલેલા યહુદી, પ્રીરતી, ઇસ્લામ કે જરથોસ્તી ધર્મોમાં કે તે પાળનારી પ્રજાઓમાં તેમજ ગ્રીક વિગેરે તથા આધુનિકેમાં આધ્યાત્મિકતા નહીં હોય, એમ કહેવાનો આશય નથી. તેઓમાં પણ માત્ર અમુક હદ સુધીની - સંસ્કારિતા અને આધ્યાત્મિકતા સંભવિત છે, એમ કબૂલ કરવામાં વધે નથી. પરંતુ ભારતીય સંસ્કારિતા અને આધ્યાત્મિકતા કરતાં ચડતા દરજજાની રિથતિ આજસુધીન સાધનથી સાબિત થઈ શકી નથી. વસ્તુરિથતિ એવી છે કે એ સાબિત થઇ શકવું પણ સંભવિત નથી. તેઓ ખાસ કરીને નીતિ નિયમે સુધી પહોંચ્યા છે–અને ત્યાગ, વૈરાગ્ય, પરોપકાર સંયમ, વિગેરે આધ્યાત્મિક તની પણ ક્યાંક ક્યાંક છાંટ છે, એટલું જ. ૩. પ્રજાની ઉદાત્ત જીવનચર્યા - કાળ દોષ અને સંજોગ દેને લીધે આર્ય પ્રજાના કેટલાક લેકે બિચારા નિકૃષ્ટ જીવન જીવે છે, એ કબૂલ છે. પરંતુ ભારતીય પ્રજાને કેટલેક એ પણ વર્ગ છે કે-જેને જેટ જગતમાં મળે ૧૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy