SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ ધર્મની પરિષદ કેવી જોઈએ? તથા ગમે તેવા ડોળદમામવાળી હોવા છતાં કેવી પરિષદ “સર્વ ધર્મપરિષદા શબ્દને લાયક વાસ્તવિક રીતે નથી હતી? એ બન્ને તને ફેટ આ પ્રકરણથી તમારા સમજવામાં બરાબર આવ્યો હશે, આ દૃષ્ટિબિંદુથી જોતાં ભારતમાં–“સર્વધર્મો સરખાએ જાતની -ભાવના ચલાવવી, રાજાએ કાયદાઓનું એ જાતનું વલણ રાખવું,અને -દરેકને એક કરવામથવું એ કેટલું અણઘટતું છે?કે, કેટલાક રાજાઓના માનસની આ સ્થિતિનું કારણ–હિંદ વિષે યુરોપીયનેના વિચાર વાતાવરણને પરિચય, ધર્મગુરુઓને અપરિચય, ધર્મનું અજ્ઞાન, વિગેરે છે. દરેકની વચ્ચેના વાંધાઓની તકરાર હેય, તેનું સમાધાન કરી એક સંપી રથાપવા સામે, તથા તો સમજી તેની એક વાક્યતા સમજવા સામે, અમારું આ વિધાન નથી, પરંતુ એક સંપીના બાના નીચે સૌને બિન કુદરતી રીતે એક કરી નાંખવાની પેરવી કરવી, તેની સામે વાંધે છે, કે જે અશક્ય અથવા પરિણામે માનવ સમૂહને હાનિકારક છે, માટે વૈદિક, જૈન ઇસ્લામી, ખ્રીસ્તી, પારસી વિગેરેને સરખા ગણી આ દેશમાં સૌને સમાનતા આપવામાં માટે અન્યાય છે, કારણકે આ દેશમાં તો સૌથી પહેલે હક ખાસ કરીને, આ દેશમાં વિકસેલી–આ દેશની પ્રજાને મેટો ભાગ ખાસ જેને માનતો હોય અને તુલનામાં આગળ આવી શકે તેવા હોય તે ધર્મોને જ પહેલું સ્થાન હોવું જોઈએ. તેને બદલે સિને સરખું સ્થાન આપવું, એ એક જાતનું અહીંના ધર્મોનું અપમાન છે. આ જાતનું અપમાન કદાચ સંજોગોને લીધે પ્રજા સહી લે, પરંતુ તેને ન્યાય તો ન જ માની શકે. આ ઉપરથી અન્ય ધર્મોને નિંદવા કે ઉતારી પાડવાનો આશય નથી. પરંતુ સાને સા સૌને હક પોંચતે હોય તે પ્રમાણે જ સ્થાન મળવું જોઈએ, એ ન્યાય છે, એ સ્પષ્ટ કરવાને જ અમારે ઉદ્દેશ છે. જેવી રીતે આ દેશમાંથી ઉત્પન્ન થતી સંપત્તિ અને સગવડોને લાભ ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy