SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી વીરચંદ રાઘવજી બાર એટ. લે. પ્રતિનિધિ તરીકે ત્યાં ગયા હતા, તેનું કેમ? એ ગયા હતા, પરંતુ સકલ જૈન સંઘના પ્રતિનિધિ તરીકે હતા ગયા. કારણકે એક પક્ષ અનુકૂળ હતો, ત્યારે મેટે વર્ગ સખ્ત વિરુદ્ધ હતું. અને ઘણા ભાગને તેની માલૂમજ હતી. વિરુદ્ધ મતવાળાઓ તરફથી ભારે મતભેદ હતું, અને મારામારી જેવું થયું હતું. આ સ્થિતિમાં તેમને આખી ધર્મ સંસ્થાના પ્રતિનિધિ ગણી શકાશે કે? જેઓ અજ્ઞાન હોય તેઓને માલુમ ન પડ્યું હોય, કે તેમને મત ન મળે હૈય, તેથી શું? જવાબમાં–મતાધિકારમાં અજ્ઞાન સજ્ઞાનની દલીલ ચાલી શકતી નથી. સભ્ય હોય એટલે જ તેને સીધે યા તેના પ્રતિનિધિ દ્વારા મત મેળવ જોઈએ.સગીરની મિલક્ત ખાઈ જવાને સગાંસંબંધીઓની બહુમતી પણ કામમાં ન આવતાં કાયદે તેને રક્ષણ આપે છે. નહીંતર એ અજ્ઞાન બાળકની મિક્ત રક્ષણ કરવાની શી જરૂર? ઉમર લાયકના હાથમાં જવાથી મિલ્કત જાહેરમાં આવે, તેમાંથી નવું ઉત્પન્ન પણ થાય, અને ઘણાનું ભરણપોષણ શરૂ થાય. એ સ્થિતિમાં કાયદે તેની મિલ્કત શા માટે રક્ષણ તળે લે છે? ભારતમાં દરેકેદરેક ખાસ સંસ્થાઓમાં બાળક–સ્રી–વૃનુંયે પ્રતિનિધિત્વ ગોઠવાયેલું છે, સૌને મતાધિકાર છે. મતાધિકારના હક્કની બાબતમાં સજ્ઞાન અજ્ઞાનની દલીલ ખાસ ઉપયોગી નથી, મત આપવાનો જેનો હક પહોંચતો હોય તેને મત મળ જરૂરને હોય છે, સલાહ, સમ્મતિ કે અભિપ્રાય મેળવવાની બાબતમાં જ્ઞાની અજ્ઞાની જવાનું છે, વહીવટના આગેવાને નિમવાની બાબતમાં એ જોવાનું છે. પણ મતાધિકારની બાબતમાં સર્વત્ર એ વાતને વળગી રહેવામાં અન્યાય થવા ખાસ સંભવ છે. એટલા માટે વીરચંદભાઈ ૧૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy