SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ | ગુજરાતી વિવેચન સિવાય આ સંકરણમાં ખાસ નવું કાંઈ નથી તે તો પહેલા જ અમે કહી દીધું છે–વધુ સ્પષ્ટતા એ વાતની કરવી છે કે ભૂતપૂર્વ સમ્પાદકે એ જે ટીપણે સંગૃહીત કરેલા તે અભ્યાસીઓને ઉપયોગી થતાં રહે તે માટે ફક્ત પૃષ્ઠ અને પંક્તિના અંકે બદલીને આ સંસ્કરણમાં એવા ને એવા ઓફસેટ પ્રિન્ટીંગથી દાખલ કરાયા છે. તેમજ ત્રિપુટીએ જે પ્રતેના આધારે ગ્રથ પાઠનું સંપાદન કરેલ તે હ. લિ. પ્રતિઓને પરિચય એ જ સંસ્કરણમાંથી ઉદ્ધત કરીને આ સંસ્કરણમાં પાછલા ભાગમાં દાખલ કર્યો છે. આ સંસ્કરણમાં વધુ એક સંવેગી ઉપાશ્રય (અમદાવાદ) ની હસ્તલિખિત પ્રતને અમે ઉપયોગ કર્યો છે. આ સંસ્કરણમાં દરેક પૃષ્ઠ નીચે જે પાઠાન્તર વગેરેની ટીપ્પણે આપેલી છે તે બધી પૂર્વના સંસ્કરણમાંથી જ ઉદ્ધત કરીને આપી છે–તે છતાં કેટલીક જરૂરી ટીપણે અમે ફુદડીને ચિન્હ સાથે નવી ઉમેરી છે. જ્ઞાનબિંદુ ગ્રન્થના વિષયને પરિચય ન લખવાની જરૂર ન હોવાથી ત્રિપુટીના સંસ્કરણમાંથી જ ઉદ્ધત કરીને આ સંસ્કરણુંજી પાછલા બાગમાં આપ્યો છે–સુખલાલ વગેરે આધુનિક પંડિતો પોતાના ઉછું ખલ વિચારોથી શ્રી સંઘમાં પ્રસિદ્ધ હોવાથી તેમના લખાણે “શાસ્ત્ર સમજીને નહિ વાંચતા ક્ષીર–નીરન્યાયથી વાંચવાથી જ ઉપયોગી બની રહે છે. [ગ્રન્થગત કેટલીક ગેય વિશેષતાઓ પૂજ્ય ઉપામહારાજની વિશુદ્ધ પ્રજ્ઞાએ આ ગ્રંથમાં જે સુંદર પ્રસાદી પિરસી છે એમાં કેટલીક ખાસ નોંધપાત્ર છે. (૧) સંમતિ ગ્રંથના આધારે જ્ઞાન કરતાં દર્શન ભિન્ન નથી એ ચર્ચા વિકસિત કર્યા બાદ તેઓશ્રીએ પરિછેદ ૧૬૦ માં દર્શનની જે વ્યાખ્યા તારવી છે-“વ્યંજનાવગ્રહાવિષયાર્થપ્રત્યક્ષત્વમેવ દર્શનત્વમ્ = વ્યંજનાવગ્રહનો વિષય બન્યા વિના જ અર્થ જ્યારે પ્રત્યક્ષ થાય ત્યારે તેવું પ્રત્યક્ષ દર્શન કહેવાય- આ વ્યાખ્યા ખૂબ જ સુંદર છે. વિદ્વાને જે વિચાર કરશે તે આ વ્યાખ્યા તદ્દન વ્યવહારુ પણ જણાશે. (૨) આ ગ્રંથમાં પરિચ્છેદ ૩૯-૪૦-૪૧-૪૨ વગેરેમાં શ્રીમદે જે પ્રામાણ્યવાદ આલેખ્યો છે તે પણ ખૂબ સુંદર છે. તેમાં સૈદ્ધાતિકાદિ વિવિધ મતે પ્રામાણ્યની વ્યાખ્યા તથા તે પછી પ્રવૃત્તિઉપયોગી પ્રામાણ્યની વ્યાખ્યા અને તેમાં સ્વતઃ પરત:વાદની સંકલના સરસ છે. (૩) આઠ થી ૧૩ પરિછેદોમાં જે પ્રાસ ગિક ક્ષે પશમ પ્રક્રિયાનું વર્ણન કર્યું છે તેનાથી “ક્ષપશમ પારિભાષિક શબ્દનો અર્થ પૂબ જ સારી રીતે સ્પષ્ટ થયું છે. | (૪) મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનમાં કેવલજ્ઞાનાવરણની હેતુતાનું શ્રીમદે જે ઉપાદન કર્યું છે તે “આવરણ તે કાંઈ ગુણનો હેતુ બનતું હશે ?' એવી શંકા કરનારાઓ માટે ખાસ મનન કરવા લાયક છે. {પૃષ્ઠ ૫) (૫) કેવલજ્ઞાન-કેવલદર્શનની ચર્ચામાં ત્રણે વાદીઓની વિપ્રતિપત્તિ દર્શાવ્યા બાદ ૧૦૪ મા પરિછેદમાં પ્રાચીન ટીકાકારના મત પ્રમાણે છદ્મસ્થજ્ઞાનદર્શનકાલભેદક સાધક અનુમાન પ્રયોગ દર્શાવ્યા બાદ તેનાથી જુદી રીતે પરિ. ૧૦૫ માં પોતે જે અનુમાન પ્રયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy