SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ માટે ઉપયોગી હતા. એટલે પ્રસ્તુત ત્રીજા સંસ્કરણમાં અમારે તો માત્ર સરળ ગુજરાતી વિવરણને ઉમેરા જ કરવાનું બાકી હતો. આ વિવરણ તૈયાર કરવા માટે અમે સિંધી સંસ્કરણને જ ભરપૂર ઉપયોગ કર્યો છે તથા આ સંરકરણમાં ગ્રન્થની મૂળ પાઠ સંહિતા પણ અમે સિંધી સંસ્કરણમાં જે પ્રમાણે હતી તે પ્રમાણે જ જાળવી છે. એટલે પરિચ્છેદકમાં પણ તે રીતે જાળવ્યા છે. તેમ છતાં પણ સિંધી સંસ્કરણના મૂળ પાઠના નૂતન સંપાદનમાં કયાંક ક્યાંક પરિમાર્જન આવશ્યક હતુ–તે અમે નીચે જણાવીએ છીએ. ૧. સિંધી સંસ્કરણના પૃ. ૩૮ માં ૧૨૪ મા પરિચ્છેદમાં લગભગ દોઢ પંક્તિ પડી ગયેલી તે આ સંસ્કરણમાં પ્રાચીન હ. લિ. પ્રત અને પૂર્વ મુદ્રિત પ્રતના આધારે યથાવસ્થિત કરી છે જે પૃ. ૧૧૫ માં ફૂદડીના ચિહ્ન વચ્ચે જોઈ શકાશે. ૨. કયાંક કયાંક જે પાઠ જરૂરી અને શુદ્ધ હતો તે અણસમજના કારણે ત્રિપુટી સમ્પાદકે એ નીચે ટીપણમાં પાઠાન્તરરૂપે નેંધીને અશુદ્ધ પાઠ મૂળ પાઠમાં લીધેલ ત્યાં એ અશુદ્ધપાઠ રદ કરીને પાઠાન્તરરૂપે આપેલો શુદ્ધ પાઠ મૂળપાઠ સંહિતામાં જોડ છે. ઉદા. સિંધી સિરિઝના સંરકરણમાં પૃ. ૧૭ ઉપર ૨૬ મી પંક્તિમાં “તાવધિવપિ' ને બદલે શુદ્ધ પાઠ “તારવધિરાષિ” એમ આ સંસ્કરણના પૃ. ૬ બીજી પંક્તિમાં જોઈ શકાશે. ૩. તદુપરાંત સમ્પાદક ત્રિપુટીમાંથી કેઈનેય નવ્ય ન્યાયને અભ્યાસ જોરદાર ન હોવાથી જ્યાં નવ્ય ન્યાયની શૈલીવાળા પરિચ્છેદો આવ્યા ત્યાં એ ત્રિપુટીએ પૂર્વ પક્ષઉત્તરપક્ષના વાકયોના વિભાજન પ્રત્યે મહદંશે ઉદાસીનતા ધારણ કરી છે. આ સંસ્કરણમાં એવી ઉદાસીનતા દૂર કરવા સાથે, જ્યાં જ્યાં ત્રિપુટીએ અર્થભેદ થઈ જાય એ રીતે બિનજરૂરી પૂર્ણવિરામ, અપવિરામ કે અવતરણ ચિહ્ની કરેલા એ બધા પણ સુધારવા પડ્યા છે. જિજ્ઞાસુઓ તેની ખાતરી કરવા માટે બંને સંસ્કરણે સામે રાખી પરિચછેદ ૪૩, ૫૮, ૬૭, ૯૭, ૧૦૯, ૧૨૮, ૧૬૬ વગેરે જોઈ શકશે. તદુપરાંત સિંઘી સંસ્કરણના પૃ. ૪૮ માં ઉપા. મ. ના જે છેલા ઉપસંહારના આઠ ફ્લેક અને પ્રશસ્તિનો એક એમ ૯ શ્લોકો છે તે બધાને ત્રિપુટી સમ્પાદકોએ ગ્રન્થકૃપ્રશસ્તિ'ના શીર્ષકથી ઓળખાવ્યા છે. ખરેખર તે પ્રશસ્તિને શ્લેક છેલ્લો એક જ છે. - જ્યારે વિખ્યાત સમ્પાદકોના સમ્પાદનમાં પણ ક્ષતિઓ રહી જતી હોય તે પછી આ નૂતન સંસ્કરણ સર્વથા ક્ષતિમુક્ત હોવાને દાવો અમે કઈ પણ કરીએ તે નકામો છે. જ્ઞાનબિંદુ ગ્રન્થની પંકિતએ પંક્તિને તાત્પર્યાથ સ્પષ્ટપણે વાચક સમજી શકે એ રીતે ગુજરાતી વિવેચન તૈયાર કરવાની અમારી ભાવના કેટલા અંશે સફળ કે નિષ્ફળ થઈ છે તે તે અભ્યાસી વાચકો જ જણાવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy