SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શાવ્યો છે તેમાં શ્રીમદની વિશિષ્ટ પ્રજ્ઞાનો ચમકારો દેખાય છે. એ જ રીતે પરિ. ૧૧૦ માં પ્રજ્ઞાપના સૂત્રને અર્થ પ્રાચીન ટીકાકારના અભિપ્રાય મુજબ જણાવ્યા પછી “સત્ર ચપ....(પૃ. ૧૪૧ પંક્તિ ૩) થી..વચનામઃ સુધી જે પોતે મીમાંસા કરીને સૂત્રને સુંદર અર્થ દર્શાવ્યું છે તે પણ વિશિષ્ટ પ્રજ્ઞાને પ્રસાદ છે. તે જ રીતે પરિ. ૧૪૮માં “પ્રાચીન ટીકાકારનો મત કઈ રીતે શોભાસ્પદ છે?” એમ કહીને પ્રાચીન ટીકાકારના મતની વિચારણીયતા દર્શાવી છે એ પણ શ્રીમદની શુદ્ધ અને સંગત અર્થની અવેષણ દૃષ્ટિની વિશાળતાને નિર્દેશ આપી જાય છે. (૬) છેલ્લે પૂ. ઉપા. મહારાજે ઉપસંહારના લોકમાં પૂ. સિદ્ધસેન દિવાકર, પૂ. મલવાદીસૂરિ મ. અને પૂ. જિનભદ્રગણું મ. ના ત્રણ જુદા જુદા મતને જુદા જુદા નયથી સમન્વય કરીને જે સામંજસ્યની સ્થાપના કરી દેખાડી છે તે આ વિષમકાળના એકાતવાદીઓ માટે ખૂબ જ માર્ગદર્શક બની રહે તેમ છે. જિજ્ઞાસુઓ વારંવાર એ ઉપસંહારનું મનન કરશે તે તેઓ એક સુંદર સુગ્ય સમન્વયદષ્ટિ જરૂર પ્રાપ્ત કરી શકશે. આવા કાર્યમાં જે સ્વર્ગસ્થ પરમ ગુરૂદેવશ્રીની પાવન કૃપાના મેઘ વરસી રહ્યા છે તે સિદ્ધાંત મહોદધિ-જનશાસનશણગાર—અણગારશિરોમણિવિબુધવઘ—ચારિત્રચકવતી–કર્મસાહિત્યનિષ્ણાત પ. પૂસ્વ. આ ચાર્યશિરોમણિ સુવિશાલગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના અનંત ઉપકાર કેમ ભૂલાય? તે જ રીતે સન્માર્ગ બેધદાતા–સ્યાદ્વાદસિદ્ધાંતસંરક્ષક ૧૦૮ વર્ધમાન આયંબીલ ઓળીતપ આરાધક–ન્યાયવિશારદ-ભદધિતારક-સુવિશાલ મુનિગણુ વામી પ. પૂ. આચાર્યદેવશ્રીમદ્દ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મ. સા. ના ઉપકારે પણ ભૂલી ન શકાય તેવા છે. શ્રી સંઘનું હિત તેઓશ્રીના હૈયે સદા રમતું રહ્યું છે. વર્તમાનકાલીન વિષમતાઓમાંથી શાસન અને સંઘને ઉગારવા માટે જાનના જોખમે પૂજ્ય ગુરૂદેવશ્રીએ જે જહેમત ઉઠાવી છે તેનું જેટલું મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. સિદ્ધાંતદિવાકર-સકલગતાથગ્રણ–પ્રવચનિકપ્રભાવક પ. પૂ. ગુરુદેવ શ્રી જયઘોષ સૂરિ મહારાજ સાહેબની મંગલ પ્રેરણા ન હોય તો આવું ઉત્તમ કાર્ય શી રીતે થઈ શકે? ખરેખર આજની વિષમ પરિસ્થિતિમાં તેઓશ્રી શ્રીસંઘના અગ્રણીઓને જે બહુમૂલ્ય માર્ગદર્શન પુરૂં પાડી રહ્યા છે તે પૂજ્યપાદ સ્વ, ગુરૂદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. ની ઝાંખી કરાવી જાય છે. આ પૂજ્ય ગુરુભગવંતોની પરમ કૃપાના બળે તૈયાર કરેલા આ ગુજરાતી વિવેચન સમ્પાદનાદિમાં કઈને ક્યાંય પણ ક્ષતિ જણાય છે તેનું પરિમાર્જન કરવા વિનમ્ર પ્રાર્થના છે. આવા ઉત્તમ ગ્રન્થોના અધ્યયન મનન દ્વારા જિજ્ઞાસુ મુમુક્ષુ સર્વ જી કમ નિર્જરા કરી મુક્તિપદ પ્રાપ્ત કરે એ મંગલ કામના. –જયસુંદર વિજય વિ, સં. ૨૦૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy