SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ खल्वे गमकमपेक्षितमिति गमकान्तरमपि अपेक्षणीयम् । न च 'ईहाया बहुविधत्वात् यत्र न करणसाद्गुण्यविचारः तत्रैव उक्तस्वतस्त्वपरतस्त्वव्यवस्था' इति वाच्यम् , ईहायां क्वचिदुक्तविचारव्यभिचारोपगमे आभ्यासिकापायपूर्वे हायां अनुपलक्ष्यमाणस्यापि तद्विचारस्य' नियमकल्पनानुपपत्तेः । न चोक्तविचार ईहायां प्रमाजनकतावच्छेदकः न तु तज्ज्ञप्तिजनकतावच्छेदक इत्यपि युक्तम् , करणगुणादेव प्रमोत्पत्तौ तस्याऽतथात्वात् । न च 'भावि ज्ञानस्य असिद्धत्वात् उक्तविचारवत्याऽपीहया तद्गतप्रामाण्याग्रहः' इत्यपि सोम्प्रतम् ; विचारेण करणसाद्गुण्यग्रहे' भाविज्ञानप्रामाण्यग्रहस्थापि संभृतसामग्रीकत्वात्-इत्यादि विचारणीयम् । બાધક જ્ઞાનની અપેક્ષાથી (અનુક્રમે) જે જ્ઞાનગત પ્રામાણ્ય કે અપ્રામાણ્યનું જ્ઞાન થાય તે પરતઃ એટલે કે પરસાપેક્ષ કહેવાય અને આવું અનભ્યાસદશામાં બને. અર્થાત્ “એના એ વિષયનું વારંવાર જ્ઞાનરૂ૫ અભ્યાસ ન હોય ત્યારે એ બને. વળી, આ વિભાગ વિષયની અપેક્ષાએ જાણ નહિ કે જ્ઞાનના સ્વરૂપ માટે પણ, જ્ઞાન દ્વિઅંશી હોય છે, વિષયાંશ અને સ્વરૂપાંશ (=ાનાંશ). સ્વરૂપમાં તો બધું જ્ઞાન સ્વતઃપ્રામાણ્યનિશ્ચયાત્મક જ હોય છે. અર્થાત્ મને જ્ઞાન થયું કે નહિ એવી શંકા કદાપિ પડતી નથી, અથવા મારું જ્ઞાન સ્વગ્રાહી છે કે નહિ એવી પણ શંકા પડતી નથી. જે કાંઈ વિવાદ કે વિભાગ છે તે વિષયાંશમાં જ છે. [પરતંજ્ઞપ્તિ સૂચક સૂત્ર સાથે વિરોધ]. પ્રસ્તુતમાં ઉપરોક્ત સૂત્ર સાથે વિરોધ એટલા માટે થાય છે કે જે ઈહાથી જ અપાયજ્ઞાનમાં પ્રામાણ્ય નિશ્ચય પણ ઉત્પન્ન થઈ જતો હોય તે ઉક્ત સૂત્રમાં સંવાદક જ્ઞાનની અપેક્ષાએ પરતઃ જ્ઞપ્તિ કહેવાનો અર્થ શું રહ્યો ? પ્રામાણ્ય નિશ્ચય માટે ઈન્દ્રિયગુણવત્તાના વિચાર રૂપ ગમકની એકવાર તો અપેક્ષા થઈ ગઈ, હવે ફરીથી પ્રામાણ્ય નિશ્ચય માટે બીજા સંવાદક જ્ઞાનરૂપ ગમકની અપેક્ષા રાખવાની હેય નહિ. તે પછી જનમતમાં અનભ્યાસદશામાં જ્ઞપ્તિમાં પરતઃ પ્રામાણ્યની કથા જ પૂરી થઈ જશે. અહીં એમ પણ કહી શકાય તેમ નથી કે-ઈહા તો અનેક પ્રકારની છે, તે જે ઈહામાં ઈન્દ્રિય આદિ કરણની ગુણવત્તાને વિચાર ન હોય ત્યાં જે અપાય થશે તે પ્રામાણ્યગ્રહ શૂન્ય હોવાથી અનભ્યાસદશામાં સંવાદક જ્ઞાનની અપેક્ષા પ્રામાણ્યગ્રહ માટે ઉભી રહેશે અને અભ્યાસ દશામાં નહિ રહે. એ રીતે પરત: અને સ્વતઃ વ્યવસ્થા થઈ જશે–પણ આમ કહેવું એટલા માટે યોગ્ય નથી કે કોઈક ઈહામાં ઈન્દ્રિયની ગુણવત્તાના વિચારને અભાવ માનશો તે પછી “અભ્યાસદશામાં કાળની સૂક્ષમતાને કારણે લક્ષમાં ન આવનાર કરણની ગુણવત્તાના વિચારનું અસ્તિત્વ તો હોય જ છે' એવા નિયમની કલ્પના જે ઉપર દેખાડી છે તે નહિ ઘટી શકે. જો એમ કહો કે“કારણની ગુણવત્તાને વિચાર દરેક ઈહામાં હોય જ છે પણ એ માત્ર પ્રામાણ્યની જનતાને જ અવર છેદક છે અર્થાત્ પ્રામાણ્યની ઉત્પત્તિમાં જ હેતુ છે–પ્રામાયના નિશ્ચયની જનતાને અવ છેદક નથી. માટે અભ્યાસ કે અભ્યાસદશામાં સંવાદક જ્ઞાનની , નિરગુપ મુ. ૨. તારા પ્રત્યે તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy