SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ગુજરાતી વિવરણની પાશ્વભૂમિ કાળને પ્રભાવ પણ વિચિત્ર છે. કર્તાને તે પિતાના પ્રવાહમાં તાણી જઈ શકે છે પણ કૃતિને તાણી જવાનું એના માટે ય દુષ્કર છે. તીર્થકર જેવા તીર્થકરને કાળ ખેંચી જઈ શકે છે–પણ એમની મહાન્ કૃતિ-ધર્મતીર્થને આજે ૨૫૦૦ વર્ષ પછી પણ જગત્ ભરમાં ડંકો વાગી રહ્યો છે. મહો. યશોવિજય મ. ને પણ કાળ તાણી ગયો એને ૩૦૦ વર્ષ પૂરા થયા પણ એમની એક એકથી ચઢિયાતી સંખ્યાબંધ કૃતિઓ ભારતીય સાહિત્ય ગગનમાં મોખરે રહીને ઝળકી રહી છે. કે. મૂ સંઘમાં કર્યો એ સાધુ હશે કે જે આ મહાપુરુષથી પ્રભાવિત ન હોય ! પણ હર્ષની વાત છે કે માત્ર સાધુ જ નહિ, શ્રાવકવર્ગ માં પણ એવા છે જેને મહા યશવિજય મ. પ્રત્યે અનહદ માન છે–તેમના હૈયામાં અરમાને છે કે ઉપાય મહારાજના ત્રિશતાબ્દી વર્ષે કોરા ભાષણો કે લુખી વાતોને બદલે કંઈક ચિરસ્થાયી નક્કર શુભ કાર્ય થવું જોઈએ. પૂજ્યપાદ વર્ધમાન તનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. તથા સિદ્ધાન્ત દિવાકર પ. પૂઆચાર્ય શ્રી જયઘોષસૂરિજી મ. સા.-આ ગુરુદેવોના અંતરમાં પણ આ ભાવના ગુંજતી હતી. બીજી બાજુ, શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘના સુશ્રાવકે હર્ષદશાઈ, જિતેન્દ્રભાઈ વગેરેએ પૂજ્યશ્રીને વિનંતી કરી કે મહ૦ યશવિજય મ. ના ત્રિશતાબ્દી વર્ષ નિમિત્તે તેઓશ્રીના પ્ર સુંદર–સરળ ગુજરાતી વિવેચનો સાથે સુસંપાદિત કરીને અમારા શ્રી સંઘ તરફથી પ્રગટ કરવાની ભાવના છે માટે આપ આપના વિદ્વાન મુનિઓ દ્વારા આ કાર્ય કરાવી અને તે પ્રગટ કરવાને લાભ મળે તેમ કરો. ઘણી ચર્ચા-વિચારણાના સુખદ પરિણામ રૂપે પ્રતિમાશતક-ધર્મપરીક્ષા-સામાચારીપ્રકરણ-જ્ઞાનબિંદુ વગેરે શક્ય એટલા વધુ ગ્રન્થરો ગુજરાતી વિવેચન સાથે પ્રગટ કરવા શુભ નિર્ણય લેવાયો. પૂજ્યપાદ ગુરુભગવંતોએ તે કાર્ય માટે પિતાના અંતેવાસિ મુનિઓને પ્રેરણાપ્રોત્સાહન-માર્ગદર્શન આપ્યા. “જ્ઞાનબિંદુ' ગ્રન્થનું કાર્ય મારા ફાળે આવ્યું. પૂજ્ય ગુરુદેવોએ તે માટે અન્તઃકરણને આશિર્વાદ આપ્યા. સહવત્ત મુનિઓનો શુભેચ્છાપૂર્ણ સહકાર મળ્યો. અને અભ્યાસી જિજ્ઞાસુ શ્રી હર્ષદભાઈનો પૂરો સાથ મળ્યો ત્યારે આ કાર્ય સંઘ સેવામાં પ્રસ્તુત થઈ શકયું છે. એમ લાગે છે કે આ કાર્યની સફળતામાં સ્વર્ગમાં બેઠા બેઠા પૂ. મહોપાધ્યાય પણ સતત કૃપા વરસાવી રહ્યા હશે, નહીં તે ટૂંકા ગાળામાં આવું કાર્ય થાય જ શી રીતે ? ૩૦૦ વર્ષ પૂર્વે જૈનશાસનને અજવાળી જનાર આ પુણ્યમૂર્તિના આપણને સાક્ષાત્ દર્શન ભલે નથી થયા પણ વિવિધ ગ્રન્થમાં આલેખાયેલા તેમના જીવન ચરિત્રને ટૂંક સાર પણ રોમાંચ ઊભા કરાવી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy