SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનનું સંવેદન જાગે કેવી રીતે? આપણે ઉપર જોઈ ગયા કે સંવેદન પ્રવૃત્તિકારક છે. અને જે પ્રવૃત્તિરૂપ છે તે જ્ઞાનાધીન છે. કારણ કે પ્રવૃત્તિ ઈચ્છાને આધીન છે અને ઈચ્છા જ્ઞાનજન્ય છે. તેથી જ્ઞાનનું જ્ઞાન મેળવવામાં આવે એટલે કે જ્ઞાન એ શું છે? તેની પ્રતીતિ સમગ્રતયા કરવામાં આવે તે સંવેદનાત્મક જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાય મળી રહે પ્રસ્તુત ગ્રંથ જ્ઞાન અને તત્ સંબંધી વિષયેની સમગ્રતયા ઝાંખી કરાવતે ગ્રંથ છે. માટે તેની ઉપાદેયતા નિર્વિવાદ સિદ્ધ છે. ચારિત્રસમ્રાટ કમ સાહિત્યનિષ્ણાત સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂજ્યપાદ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મ. સા. નું અત્રે અમે ખૂબ જ આદરથી સ્મરણ કરીએ છીએ. તેઓશ્રીની અમારા સંઘ ઉપર અસીમ કૃપાદૃષ્ટિ રહી છે. તેઓશ્રીના પટ્ટાલંકાર, તારક એવાં ગુરૂપદને શોભાવતા, ૧૦૮ વર્ધમાન તપની ઓળીને આરાધક પ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ની અમારા ઉપર સદાએ અમી વર્ષ રહી છે. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન દ્વારા પ્રગટ થતું અમારું આ શ્રુતભક્તિ રૂ૫ ઝરણું તેઓશ્રીની અમીવર્ષાને કારણે વહેતું રહ્યું છે. તેઓશ્રીના શિષ્યરત્ન પ. પૂ. મુનિરાજ શ્રી ધર્મઘોષવિજયજી મહારાજના ગીતાર્થ શિષ્યરત્ન ૫ પૂ. આચાર્ય શ્રીમદ વિજય જયઘોષ સૂરીશ્વરજી મ. સા. અમારા માટે શ્રેષ્ઠ તરૂ છે. કારણ કે તેઓશ્રીની શાખાઓને આધારે અમને આ ઝરણામાં ડુબકી મારવાનું સરલ રહે છે. તેઓશ્રીના સર્વસંયમ આરાધક નિપુણ કુશાગ્રબુદ્ધિ, બહુશ્રુત વિદ્વાન પ. પૂ. મુનિરાજ શ્રી જયસુંદર વિજયજી મ. સા. આ ગ્રંથના ભાવાનુવાદક છે. તેઓશ્રીએ આ ગ્રંથનો સફળ ભાવાનુવાદ કરી આપી અમારા ઉપર મહાન અનુગ્રહ કરેલ છે. તેઓશ્રીનો ઉપકાર અમે એટલે માનીએ તેટલો ઓછો છે. આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપનાર શ્રી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિકસંચાલક તથા સાક્ષાત્ કે પરોક્ષ રીતે જેઓએ આ ગ્રંથના પ્રકાશનમાં અમને સહાય કરી છે તે શ્રી મોહનભાઈ જે. શાહ વગેરે સહુને અમે આ સ્થળે હાર્દિક આભાર માનીએ છીએ. પ્રાતે,–જ્ઞાનસંવેદનરૂ૫ સમુદ્રને પાર કરવા આ ગ્રંથ નાવડું છે. આ નાવડામાં બેસી ભાવિક લોક સુખપૂર્વક ધ્યેયને પ્રાપ્ત કરે એ જ મંગળ કામના. प्रीयन्ताम् गुरवः। લિ. હર્ષદ સંઘવી જિતેન્દ્ર સંઘવી તા. ૪-૭-૧૯૮૭, કાર્યકર–શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy