SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન જ્ઞાનબિંદુ નામના આ ગ્રંથની રચના પ. પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કરેલી છે. તે મૂળ ગ્રંથ પ્રથમવાર ગુજ૨ ભાવાનુવાદ સાથે પ્રકાશમાં આવી રહ્યો છે. આ ગ્રંથના પ્રકાશનને લાભ અમારા શ્રી સંઘને પ્રાપ્ત થયો છે તેને અમને અપૂર્વ આનંદ છે. જ્ઞાનનો મહિમા : શાસ્ત્રકાર ભગવતેએ અનેક સ્થળે જ્ઞાનનો મહિમા સુંદર રીતે સમજાવ્યો છે જેમ કે – (૨) “પઢમં નાળ તો વયા વિરૂ સંગ | अन्नाणी किं काही किंवा नाहीइ छेअपावगं ॥" = પ્રથમ જ્ઞાન મેળવાય છે તો પછી સાચી દયા પળાય છે. આ રીતે સર્વ સંયત પણું વ્યવસ્થિત છે. અર્થાત્ સારી રીતે જળવાય છે. અજ્ઞાની તે શું જીવદયા આદિ પાળે કે હિતાહિતને શું જાણી શકે ? (२) जे अन्नागी कम्मं खवेइ बहुआई वासकोडीहिं । __ तं नाणी तिहिं गुत्तो खवेइ उसासमित्तेण ॥ = બહુકોડા વર્ષોમાં પણ અજ્ઞાની જીવ, તપ વગેરેથી જે કર્મો ખપાવે છે તેને ત્રણ ગુપ્તિથી ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસમાત્ર કાળમાં ખપાવે છે. બીજ અને વૃક્ષ પરસ્પર સંકળાયેલા છે, એકબીજાના પૂરક છે. બીજ હોય તે વૃક્ષ ઉત્પન્ન થતું હોય છે. અને વૃક્ષ હોયે છતે બીજ મળતું રહેવાનું. તેવી જ રીતે અજ્ઞાન અને મોહ પણ પરસ્પર ગુંથાયેલા છે. એકની હાજરીમાં બીજાની ઉત્પત્તિ થતી રહે છે. પ્રમાણ જ્ઞાન આ બંનેનું વિરોધી છે, તે બંનેને દૂર કરવાનું સમર્થ સાધન છે. જરૂર છે માત્ર સંવેદનાત્મક જ્ઞાનની. સવેદન એટલે શું? જ્ઞાનને મહિમા આપણે ઘણીવાર સાંભળે છે, વાંચ્યો છે, અને સમજ્યા પણ છીએ. પરંતુ આપણી આ સમજ બહુ બહુ બૌદ્ધિક કક્ષાની રહી છે. હજી સુધી સંવેદનરૂપે પરિણમી હોય તેમ જણાતું નથી. ઈછાનિષ્ટ વસ્તુનું સચોટ સંવેદન ત્યારે થયું ગણાય કે જ્યારે તે વસ્તુ મેળવીને/કે દૂર કરીને જ જંપીશ એવી ભાવના રોમેરેામ વ્યાપી જાય. ઈષ્ટ વસ્તુ ન મળે ત્યાં સુધી સતત પ્રયત્ન જારી રહે. તેમ છતાં પણ પ્રતિકૂળતા કે સંજોગવશાત્ વસ્તુ મળવામાં વિલંબ થતો રહે તો તે વાતનું ઉંડું ઉંડું દુઃખ રહ્યા કરતું હોય. સંવેદન જાગે તે તે ઈષ્ટ વસ્તુ આજે નહિ તે ભવિષ્યમાં જરૂર પ્રાપ્ત કરીને જ રહે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy