SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપદમાદિભાવ र्ध कानि विपाकोदयमागतानि भवन्ति, तदा तद्विषय औदयिको भावः केवलः प्रवर्तते । केवलं अवधिज्ञानावरणीयसर्वघातिरसस्पर्धकानां देशघातितया परिणामः कदाचिद् विशिष्टगुणप्रतिपत्त्या कदाचिच्च तामन्तरेणैव स्यात् , भवप्रत्ययगुणप्रत्ययभेदेन तस्य द्वैविध्योपदर्शनात् । मनःपर्यायज्ञानावरणीयस्य तु विशिष्टसंयमाऽप्रमादादिप्रतिपत्तावेव, तथास्वभावानामेव बन्धकाले तेषां बन्धात् । चक्षुर्दर्शनावरणादेरपि तत्तदिन्द्रियपर्याप्त्यादिघटितसामग्रथा तथापरिणामः ।। [ પશમગર્ભિત ઔદયિકભાવ કઈ રીતે?] જ્યારે સર્વઘાતી સ્પર્ધકનું દેશઘાતીમાં રૂપાંતર થઈ જાય ત્યારે અવધિજ્ઞાનાવરણ મન:પર્યય જ્ઞાનાવરણ અને ચક્ષુદ્ર્શનાવરણ આદિ પ્રકૃતિઓના દેશઘાતી રસસ્પર્ધામાંથી કેટલાકનો ક્ષયોપશમ થઈ જાય અને કેટલાકનો ઉદય ચાલુ રહે ત્યારે ક્ષયોપશમવિશિષ્ટ ઔદયિક ભાવ પ્રવર્તે છે. અર્થાત્ ઉદયના કારણે અમુક અંશે અવધિજ્ઞાનાદિ દબાયેલા રહે છે, અને અમુક અંશે ક્ષપશમના પ્રભાવે અવધિજ્ઞાનાદિ પ્રગટ પણ થાય છે. એટલે જ ઉદયમાં આવતા સ્પર્ધકેમાં જેમ જેમ ક્ષોપશમવાળા સ્પર્ધકે વધતા જાય તેમ તેમ અવધિજ્ઞાનમાં વધારો થાય છે. અને જેમ જેમ ક્ષયોપશમ ભાવના રસસ્પર્ધક ઘટતા જાય તેમ તેમ અવધિજ્ઞાન ઓછું થતું જાય.) પ્રશ્ન - અવધિજ્ઞાનાવરણ આદિ કર્મને પશમ રહિત કેવળ ઔદયિક ભાવ પ્રવતે ખરો ? ઉત્તર – હા, જ્યારે અવધિજ્ઞાનાવરણ આદિ પ્રકૃતિઓના સર્વઘાતી રસસ્પર્ધકે દેશઘાતી રૂપે પરિવર્તિત થયા વિના વિપાકેદયમાં હોય ત્યારે અવધિજ્ઞાનાદિ પ્રકૃતિને લગતે ફક્ત ઔદયિક ભાવ જ પ્રવર્તે. કારણ કે સર્વઘાતી રસસ્પર્ધકને ઘાત ન થાય ત્યાં સુધી અવધિજ્ઞાન પ્રગટ થતું નથી. પણ અહીં એટલું સમજી રાખવાનું કે અવધિજ્ઞાનાવરણના સર્વઘાતી રસસ્પર્ધકોને ઘાત અર્થાત્ દેશઘાતીરૂપે પરિણમન બે રીતે થઈ શકે છે. ક્યારેક વિશિષ્ટ સમ્યગદર્શનઆદિ ગુણની પ્રાપ્તિથી સર્વઘાતી ઘાત થાય અને ક્યારેક વિશિષ્ટ ગુણ વિના પણ દેવ કે નરકના ભવના પ્રભાવે જ સર્વઘાતી સ્પર્ધકોને ઘાત થાય છે. એટલા માટે જ તત્વાર્થસૂત્ર આદિ શાસ્ત્રોમાં અવધિજ્ઞાનના ભવમૂલક અને ગુણમૂલક આવા ભેદથી બે પ્રકાર દર્શાવ્યા છે. પ્રશ્ન –મન:પર્યય જ્ઞાનાવરણના સર્વ ઘાતી સ્પર્ધકનો ઘાત ક્યારે થાય? ઉત્તર :-વિશિષ્ટ સંયમ સાધનામાં અપ્રમત્તભાવ આદિ ગુણ જાગૃત થાય ત્યારે જ મનઃ પર્યાય જ્ઞાનાવરણના સર્વઘાતી રસસ્પર્ધ કેને ઘાત થાય છે. કારણ કે જે સમયે મન:પર્યય જ્ઞાનાવરણના સર્વઘાતી રસસ્પર્ધકે બંધ થયો હતો તે સમયે જ તે એવા સ્વભાવવાળા બંધાયેલા કે વિશિષ્ટ અપ્રમત્તભાવ પ્રાપ્ત થયા વિના તે દેશઘાતીમાં પરિણમે જ નહિ તાત્પર્ય, સપ્તમ આદિ ગુણઠાણુમાં જ મન:પર્યય જ્ઞાનાવરણને ક્ષોપશમ અને મનપર્યાય જ્ઞાન ઉત્પન્ન થઈ શકે. (એકવાર ઉત્પન્ન થયા પછી સંયમી સાધુ પ્રમત્તભાવના છઠ્ઠા ગુણઠાણે ઉતરી જાય તો પણ તે જ્ઞાન ટકે ખરું, પણ ટકે જ એવો નિયમ નહિ અને છઠ્ઠાથી નીચેના ગુણઠાણામાં તે રહે જ નહિ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy