SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જ્ઞાનબિંદુ प्रासङ्गिकी क्षयोपशमप्रक्रिया (८ अ) 'कथ तर्हि क्षयोपशम' इति चेत् ? अत्रेयं अर्हन्मतोपनिषद्वेदिनां प्रक्रिया-इह हि कर्मणां प्रत्येकं अनन्तानन्तानि रसस्पर्ध कानि भवन्ति । तत्र केवलज्ञानावरणकेवलदर्शनावरणाऽऽद्यद्वादशकषायमिथ्यात्वनिद्रालक्षणानां विंशतः प्रकृतीनां सर्वघातिनीनां सर्वाण्यपि रसस्पर्ध कानि એમ નહિ કહેતા કે “બળવાન એવા કેવળજ્ઞાનાવરણ વડે જે અનંતમે ભાગ આવૃત થઈ શક્યો નહિ તેનું આવરણ દુર્બલ મતિજ્ઞાનાવરણ વગેરેથી સંભવી શકે નહિ.”–આવું કહેવાનો નિષેધ કરવાનું કારણ એ છે કે પોતાના આવાયનું આવરણ કરવામાં સર્વઘાતી રસપર્ધકને ઉદય એ જ અહીં બળરૂપ છે, કે જે મતિજ્ઞાનાવરણ વગેરેમાં પણ ભેદભાવ વિના વિદ્યમાન છે. તાત્પર્ય એ છે કે કેવળજ્ઞાનાવરણ વડે આવાર્ય જે અનંત બહુભાગ છે તેનાં આવરણમાં મુખ્ય પ્રભાવ સર્વઘાતી રસસ્પર્ધકના ઉદયનો છે. એટલે કેવળજ્ઞાનાવરણ વડે આવરણ થઈ શકે છે તે રીતે મતિજ્ઞાનાવરણથી આવાર્ય જે અનંતમો ભાગ છે તેનું આવરણ પણ સર્વઘાતી રસસ્પર્ધકોના ઉદયવાળા મતિજ્ઞાનાવરણ આદિ કર્મોથી જ થાય છે. સર્વ ઘાતી રસસ્પર્ધક એટલે શું તે હવે નીચે ક્ષપશમની પ્રક્રિયામાં સ્પષ્ટ થશે. (“ક્ષપશમ પ્રક્રિયામાં સ્પર્ધકાદિ પ્રરૂપણું) પ્રશ્ન : મતિજ્ઞાનાવરણ વગેરેમાં સર્વ ઘાતી રસસ્પર્ધકે ઉદયમાં હોય છે છતાં ઉપર ક્ષપશમના કારણે મતિ આદિ જ્ઞાનમાં વૈવિધ્ય જણાવ્યું છે તે તે ક્ષયપશમ શું છે? ઉત્તર આહંત મતના જાણકારો આ વિષયમાં ક્ષયપશમની પ્રક્રિયા નીચે મુજબ જણાવે છે – જન મત પ્રમાણે એકેક કમ પ્રકૃતિમાં અનંત-અનંત રસસ્પર્ધકે હોય છે. ૫ધક એટલે તરતમ સંખ્યાવાળા રસાણુઓ ધરાવનાર અનંત કમ પરમાણુઓની બનેલી અનંત વર્ગઓનો જથ્થો. આશય એ છે કે જીવે બાંધેલા કર્મ પરમાણુઓમાં જે તીવ્ર, મંદ વિપાક-ફલ ઉપન્ન કરવાની શક્તિ પડેલી છે તે રસ અથવા અનુભાગ કહેવાય છે. દરેક બાંધેલા કર્મ પરમાણુઓમાં આ રસ એકસર હોતો નથી. પણ ઓછામાં ઓછા રસવાળા જે કપરમાણમાં છે તે એકેકમાં રહેલા રસના લઘુતમ અંશે (રસાણ) અનંત સંખ્યાથી ઓછા હોતા નથી. સર્વ જીવોની સંખ્યાને અને તે ગુણીએ તેટલા રસાણુઓ તે ઓછામાં ઓછા દરેક બાંધેલા કમપરમાણુઓમાં હોય છે. આવા ઓછામાં ઓછા રસાણુઓવાળા કમ પરમાણુઓનો એક વર્ગ તેને પહેલી વણું કહેવાય. એમાં અનંતાનંત કમ પરમાણુઓ હોય છે. હવે પહેલી વગણના કોઈ પણ એક કમ પરમાણુમાં વિદ્યમાન રસાણુ સંખ્યાથી એક રસાણના વધારાવાળા જેટલા કર્મ પરમાણુ હોય તેને જ તે બીજી વગણ. આવી રીતે ક્રમશઃ ઉત્તરોત્તર વણાગત પરમાણુઓમાં ઉત્તરોત્તર એક એક રસાણની વૃદ્ધિ જાણવી. અભવ્ય જીવરાશિ કરતાં અનંતગુણ પણ સિદ્ધ જીવરાશિ કરતાં અનંતભાગ (અર્થાત્ પાંચમા અનંતા જેટલી) વગણએ સુધી આ રીતે એક એક રસાણની વૃદ્ધિ જાણવી. આ બધી વણાઓને સમુદાય તેને પહેલું સપર્ધક કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy