SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પાધિકધર્મવિષમ तात्त्विकधर्मसन्न्यासलाभे क्षायोपशमिकाः क्षमादिधर्मा अपि अपगच्छन्तीति तत्र तत्र (यो. इ. श्लो. १०) हरिभद्राचार्यैः निरूपितम् । निरूपितं च योगयत्नकर्मनिर्जरणहेतुफलसम्बन्धनियतसत्ताकस्य क्षायिकस्यापि चारित्रधर्मस्य' मुक्तावनवस्थानम् । न च वक्तव्यम्-"केवलज्ञानावरणेन बलीयसा आवरीतुमशक्यस्य अनन्ततमभागस्य दुर्बलेन मतिज्ञानावरणादिना न आवरणसम्भवः” इति कर्मणः स्वावार्याऽऽवारकतायां सर्वघातिरसस्पर्धकोदयस्यैव बलत्वात् , तस्य च मतिज्ञोनावरणादिप्रकृतिष्वपि अविशिष्टत्वात् । મતિજ્ઞાનાદિ પણ ઉપન્ન થયા હોત તો ફકત એક પરિપૂર્ણ જ્ઞાનનું જ નહિ, મતિજ્ઞાન વગેરેનું પણ અસ્તિત્વ હોત. તાત્પર્ય, પરિપૂર્ણ જ્ઞાનમાં કેવલ્ય સ્વભાવની સંગતિ થાત નહિ. કારણ કે કે એક જ વસ્તુનું અસ્તિત્વ હોય ત્યારે “કેવળ એ જ છે.” એમ કહેવાય, પણ એના જેવી બીજી બે ચાર વસ્તુઓ ભેગી હોય તે કેવળ એ જ છે.” એમ કહેવાય નહિ. પાધિક ધર્મ ઉપાધિની નિવૃત્તિ થવાથી નિવૃત થાય છે. એટલા માટે જ હરિભદ્રસૂરિ મહારાજાએ પણ “યોગદષ્ટિસમુચ્ચય' નામના ગ્રંથમાં દશમાં કલેકમાં જણાવ્યું છે કે દ્વિતીય અપૂર્વકરણમાં તાત્વિક ધર્મસંન્યાસ નામનો સામર્થ્યોગ પ્રગટ થાય ત્યારે પશમભાવના ક્ષમા વગેરે ધર્મો પણ ચાલ્યા જાય છે. એટલે જ તે ધર્મસંન્યાસ વેગ કહેવાય છે. સંન્યાસ એટલે ત્યાગ. આઠમાં ગુણઠાણું પૂર્વ ઉપાધિભૂત મોહનીય કર્મ આદિના ક્ષયોપશમ નિમિત્તે જે ક્ષમા વગેરે ધર્મો ઉત્પનન થયેલા તે, દ્વિતીય અપૂર્વકરણથી માંડીને ઉપાધિભૂત મોહનીય કર્મ આદિ ક્ષય શરૂ થવાથી, નષ્ટ થતા જાય છે. (તે સંપૂર્ણ ક્ષીણ થયા પછી ક્ષાયિક ભાવના તે તે ધર્મો પ્રગટ થાય છે.) ફક્ત ક્ષાપશમિક ધર્મ જ નહિ કિન્તુ ક્ષાયિક ભાવને ચારિત્રધર્મ પણ મુક્તિમાં રહેતું નથી. [મુક્તિમાં ચારિત્રનો અભાવ શી રીતે?] પ્રશ્ન :-સ્થિરતા રૂપ ક્ષાયિક ચારિત્ર તે મુક્તિમાં પણ દર્શાવ્યું છે, તે પછી મુક્તિમાં ચારિત્રને અભાવ શી રીતે ? ઉત્તર :-આત્મપ્રદેશોની થિરતા રૂ૫ ચારિત્ર મુક્તિમાં હોય છે. પરંતુ સમિતિગુપ્તિના પાલનરૂપ અથવા ક્રિયારૂપ ચારિત્ર કે ગસ્થિરતારૂપ ક્ષાયિકભાવનું ચારિત્ર મુક્તિમાં હોતું નથી. કારણ કે આ બધા ચારિત્ર મન-વચન-કાયાના યોગને સાપેક્ષ છે અને મુક્તિમાં આ યોગો હેતા નથી. મોહનીય ક્ષય થયા પછી જે ક્ષાયિક ચારિત્રની સત્તા હોય છે તે યોગના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે અને એ ચારિત્રનું ફળ કર્મની નિર્જરા હોય છે. એટલે જ્યાં સુધી ત્યાગ અને કર્મ, આ બેની સત્તા હોય ત્યાં સુધી જ એ ચારિત્ર રહી શકે. મુક્તિમાં કર્મ અને યોગ બને ન હોવાથી કર્મ. નિર્જરાફલક યોગ પ્રયત્નજનિત ચારિત્રની સત્તા શી રીતે હોઈ શકે ? ન જ હોય. २. चारित्रभावस्य मुक्ता त । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy