SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ~~ કેવલભેદભેદચર્ચા दर्शनपदस्य परिभाषणम् (१५३) कथं तर्हि शास्त्रे चक्षुर्दर्शनादिप्रवाद इत्यत आह" नाणमपुटे (जो) अविसए अ अत्थम्मि दंसण होइ । મુહૂળ &િો ચાવાકું !” (સન્મતિ રાવ) (१५४) अस्पृष्टेऽर्थे चक्षुषा य उदेति प्रत्ययः स ज्ञानमेव सत् चक्षुर्दर्शनमित्युच्यते, इन्द्रियाणामविषये च परमावादावर्थ मनसा च उदेति प्रत्ययः स ज्ञानमेव सदचक्षुर्दर्शनमित्युच्यते । अनुमित्यादिरूपे मनोजन्यज्ञानेऽतिप्रसङ्गमाशङ्कयाह-अनागतातीतविषयेषु यल्लिङ्गतो ज्ञानमुदेति 'अयं काल आसन्नभविष्यदृष्टिकस्तथाविधमेघोन्नतिमत्त्वात् , अयं प्रदेश आसन्न: वृष्टमेघः पुरविशेषवत्त्वात्' इत्यादिरूप तन्मुक्त्वा । इदमुपलक्षण भावनाजन्यज्ञानातिरिक्त. परोक्षज्ञानमात्रस्य, तस्याऽस्पृष्टाविषयार्थस्याऽपि दर्शनत्वेनाऽव्यवहारात् ।। શરૂઆતમાં જે કહ્યું છે ત્યાં શેષ ઇદ્રિયસ્થળમાં દર્શનનો નિષેધ કરવા માટે જ માત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે ત્યાં જ એનો એ અર્થ ફલિત થઈ જાય છે કે ચક્ષુઇંદ્રિયને અવગ્રહ જ દર્શનરૂપ છે. ત્યાં શેષઈ દ્રિયસ્થળમાં દર્શનને નિષેધ કરવાનું કારણ એ છે કે ત્યાં તેવા પ્રકારનો વ્યવહાર થતો નથી. તાત્પર્ય એ છે કે શ્રોત્રાદિ ઇંદ્રિય સ્થળમાં “શ્રોત્રજ્ઞાન, ઘાણજ્ઞાન....” ઈત્યાદિ જ્ઞાનરૂપે જ વ્યવહાર થતો દેખાય છે. કોઈપણુ આગમમાં શ્રોત્રદશન કે પ્રાણદર્શન ઈત્યાદિ વ્યવહાર પ્રસિદ્ધ નથી. આ એકદેશિના કથનના વિરોધમાં સંમતિકાર કહે છે કે ચક્ષુના વિશે પણ એમ જ સમજી લો કે ચક્ષજ્ઞાનરૂપે જ એને વ્યવહાર થાય છે નહિ કે ચક્ષુદર્શન રૂપે. જે અહીં એમ કહે કે “ચક્ષુદર્શનનો વ્યવહાર થાય છે, તે પછી અન્ય ઇંદ્રિયેના વિશે શ્રોત્રદર્શન આદિનો વ્યવહાર પણ માની લો ! શું વાંધો છે? યુક્તિ તે બને સ્થળે સમાન પણે ઉપલબ્ધ થાય છે. [ચક્ષુદર્શન અને અચક્ષુ (માનસ) દશનની ઉપપત્તિ ] (૧૫૩ અને ૧૫૪) ઉપર તમે ચક્ષુને અંગે જ્ઞાનમાત્રના ગ્રહણને અને દર્શનના નિષેધને “વુંfમ વિ તહેવ..” એમ કહીને જે અતિદેશ કર્યો, તેના ઉપર પ્રશ્ન છે કે શાસ્ત્રમાં ચક્ષુદર્શને આદિ સંબંધિ જે પ્રવાહો પ્રચલિત છે તેની કઈ રીતે ઉપપત્તિ કરશે? આના જવાબમાં સંમતિકાર કહે છે કે – “અપૃષ્ટ અને અવિષય અર્થમાં જે જ્ઞાન તે જ દર્શન છે. સિવાય કે જે લિંગદ્વારા અનાગત-અતીતવિષયક જ્ઞાન થયું હોય.” (૨-૨૫) તાત્પર્યાર્થ:- નેત્ર દ્વારા જે અસ્પૃષ્ટઅર્થવિષયક પ્રતીતિ ઉત્પન્ન થાય છે તે જ્ઞાનરૂપ પણ છે અને જ્ઞાનરૂપ હેવા સાથે ચક્ષુદર્શન રૂપ પણ છે. ઉપરાંત ઇન્દ્રિયાતીત પરમાણુ આદિ અર્થ વિષયક જે પ્રતીતિ મનદ્વારા ઉત્પન્ન થાય છે તે જ્ઞાન હવા સાથે અચક્ષુદર્શન કહેવાય છે. કદાચ એવી શંકા થાય કે મન દ્વારા ઇન્દ્રિયાતીત પદાર્થની અનુમિતિ થાય છે, તે તે પણ શું દર્શન છે? તેના જવાબમાં કહ્યું કે લિંગ દ્વારા જે અનાગત-કે અતીતવિષયક અનુમિતિરૂપ જ્ઞાન થાય છે તેને અહીં છોડી દેવું. અનાગત વિષયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy