SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જ્ઞાનબિંદુ ભાવ દર્શાવ્યો છે તેનાથી વિપરીત પણે નીચે મુજબ વિશેષણ-વિશેષ્યભાવ (અને તસ્કૃત ગૌણ-મુખ્યભાવ) દર્શાવી શકાય છે. તે આ રીતે–સામાન્યને ગૌણ પણે ગ્રહણ કરતું હોવાથી કેવળજ્ઞાન વિશેષણરૂપ છે તેથી ગૌણ છે અને સામાન્યને મુખ્યરૂપે ગ્રહણ કરતું હોવાથી કેવળદર્શન વિશેષ્યરૂપ છે તેથી મુખ્ય છે. ફલતઃ બંને રીતે ગૌણમુખ્યભાવ છવાસ્થની ઈચ્છાને સાપેક્ષ હોવાથી અમારી કે તમારી અર્થાત્ છદ્મસ્થની બુદ્ધિમાં તે ભલે ભાસતો હોય પરંતુ વાસ્તવમાં કેવળીની દષ્ટિએ કેવળજ્ઞાન-દર્શનમાં મુખ્ય ઉપસર્જનભાવકૃત વિશેષતા છે નહિ. તથા જે તમે ભિન્ન ભિન્ન નયથી ઉપજાવેલી જે વૈજ્ઞાનિક સંબંધ(એકજ્ઞાનવિષયતારૂપ સંબંધ)થી અવચ્છિન્ન મુખ્યતા કે ગણત્વ નામની વિષયતાના આરોપથી, જ્ઞાન-દર્શનમાં મુખ્ય-ઉપસર્જનભાવ તમારે માન હોય તે એ પણ ઈચ્છાધીન જ છે. તે આ રીતે–વિશેષગ્રાહી નયથી એકજ્ઞાનવિયતારૂપ સંબંધદ્વારા જ્ઞાનમાં મુખ્યત્વે નામની અને દર્શનમાં ગૌણત્વ નામની વિષયતા માનશો તે, સામાન્યગ્રાહી નયથી એકજ્ઞાનવિષયનારૂપ સંબંધ દ્વારા દર્શનમાં મુખ્યતા નામની અને જ્ઞાનમાં ગણત્વ નામની વિધ્યતા પણ માની શકાશે. અને આ જાતની ગણત્વ-મુખ્યત્વ રૂપ વિશેષતા છદ્મસ્થદષ્ટિસાપેક્ષ હોવાથી છદ્મસ્થ બુદ્ધિમાં ભલે ભાસે પરંતુ વાસ્તવમાં કેવળીની દષ્ટિમાં મુખ્ય-ઉપસર્જનભાવકૃત વિશેષતા છે નહિ. ખરેખર તો નિશ્ચયથી કેવળીની દ્રષ્ટિમાં જે પદાર્થ ભાસતે હોય તે જ વાસ્તવિક પ્રમાણભૂત ગણાય જ્યારે છદ્મસ્થજ્ઞાન તે સંવાદ આદિ સાપેક્ષ હોવાથી તે તે પદાર્થ વિષે વ્યવહારનયથી જ પ્રમાણભૂત ગણી શકાય. આ રહસ્યનું નિરૂપણ અનેકાન્તવ્યવસ્થા નામના પજ્ઞ ગ્રંથમાં અમે “= ને મેં મા........” ઈત્યાદિ નિયુક્તિ ગાથાની નયભેદથી કરાયેલી બે વ્યાખ્યામાં છેક છેલ્લે કર્યું છે. (હવે પછી, જે અકમાપગઢયવાદી-ઈત્યાદિ જે કહ્યું છે તેને સંદર્ભ કંક આ પ્રમાણે લાગે છે. - ભેદવાદીઓમાં એક કમિવાદી છે અને બીજે યુગપવાદી છે. ક્રમિકવાદીએ સંમતિગ્રંથ ઉપર કઈ વ્યાખ્યા કરી હોય તેવું જાણવામાં નથી. યુગ૫દૂવાદી શ્રી મલવાદીસૂરિ મહારાજે સંમતિ-ગ્રંથ ઉપર ટીકા રચેલી છે. જે આજે ઉપલબ્ધ થતી નથી પણ તેમાં મલવાદી મહારાજે પૂર્વપક્ષરૂપે કમિકવાદનું અને ઉત્તરપક્ષરૂપે યુગપભેદવાદનું સમર્થન જરૂર કર્યું હશે. એટલે સંમતિગ્રંથની સ્વરચિત વ્યાખ્યામાં ઉત્તરપક્ષની ગાથાઓનું પણ તેઓએ યુગપભેદવાદને અનુકુળ જ વ્યાખ્યાન કર્યું હશે. જે અભયદેવસૂરિ મહારાજે જોયું પણ હશે પરંતુ અભયદેવસૂરિ મહારાજ સંમતિકારને અભેદવાદના પુરસ્કર્તા માનતા હોઈ સંમતિની ગાથાઓની વ્યાખ્યા પણ અભેદવાદને અનુકુળ જ કરી છે. એટલે એમના મતે બન્ને ભેદવાદી પૂર્વપક્ષરૂપે હોવાથી તે બન્ને વાદીઓ સામે અલ્પસંખ્યાવાળી આપત્તિનું પ્રસંજન ઈષ્ટ છે તેથી તેમણે “નિયમmરિત્ન” એ શબ્દની વ્યાખ્યા “નિયમા અલ્પ સંખ્યાવાળું' એવી કરી છે. જ્યારે મલવાદી મહારાજે માત્ર કમિવાદી સામે, કેવળદર્શન અને કેવળજ્ઞાનમાં તુલ્ય સંખ્યાની ઉપપત્તિ થાય તે રીતે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરવા માટે નિયમપત્તિ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy