SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલદ્વયભેદભેદચર્ચા शेऽज्ञातं विशेषांशे चाऽदृष्टम् , एवमुक्तप्रकारेण केवली सदा भाषते ततः 'एकस्मिन् समये ज्ञातं दृष्ट' च भगवान् भाषते' इत्येष वचनस्य विकल्पो-विशेषो भवदर्शने न सम्भवतीति गृह्यताम् । न चान्यतरकालेऽन्यतरोपलक्षणात् उपसर्जनतया विषयान्तरग्रहणात् उक्तवचनविकल्पो. पपत्तिः, एवं सति भ्रान्तच्छद्मस्थेऽपि तथाप्रयोगप्रसङ्गात् । यदा कदाचित् शङ्गग्राहिकया ज्ञानदर्शनविषयस्यैव पदार्थस्य तबुद्धावनुप्रवेशादिति स्मर्तव्यम् ।। આ ગાથાને વિશેષાર્થ એ છે કે કામક-ઉપયોગદ્વય પક્ષમાં કેવલી સદાય એવું ભાખે છે કે જે જ્ઞાનક્ષણમાં અદષ્ટ હોય છે અને દર્શનક્ષણમાં જે અજ્ઞાત હોય છે. એટલે કે કઈ પણ ક્ષણમાં કેવલી જે પદાર્થોનું પ્રતિપાદન કરે છે તે ક્યાં તે, બધા અદષ્ટ હોય છે, અને ક્યાં તો બધા અજ્ઞાત હોય છે. બીજા સમકાલીન ભિન્ન પક્ષમાં કેવલી સદાને માટે જે કાંઈ ભાખે છે તે બધું જ સામાન્ય અંશમાં અજ્ઞાત હોય છે અને વિશેષાંશમાં અદષ્ટ હોય છે. તાત્પર્ય, કેવલીનું જ્ઞાન માત્ર વિશેષગ્રાહી હોય છે એટલે એનાથી સામાન્ય પદાર્થ અજ્ઞાત રહી જાય છે તે જ રીતે દર્શન માત્ર સામાન્યગ્રાહી હોય છે તેથી તેના વડે વિશેષ પદાર્થો અદષ્ટ રહી જાય છે. આ રીતે બને પક્ષમાં “કેવલી ભગવાન એક જ સમયમાં (સમસ્ત) રાત અને દૃષ્ટ વસ્તુને ભાખે છે.” એવા વચન-વિશેષને જરાયે અવકાશ રહેતું નથી. આ આપત્તિ તમારે સ્વીકારવી પડશે. પ્રશ્ન -જે ક્ષણે જ્ઞાન કે દર્શનને ઉપગ વતી રહ્યો છે તે ક્ષણે ઉપલક્ષણથી સ્વભિને પગ પણ ગ્રહણ કરી લેવામાં કઈ વાંધો નથી. એટલે કે જ્ઞાનક્ષણમાં કે જ્ઞાનપયોગમાં ગૌણપણે સામાન્યરૂપ વિષયાંતરનું ગ્રહણ અને દર્શન ક્ષણમાં કે દર્શનેપયોગમાં ગૌણપણે વિશેષાત્મક વિષયાંતરનું ગ્રહણ પણ સમાવિષ્ટ થઈ જવાથી, “કેવલી ભગવાન, એક જ સમયે જ્ઞાત અને દષ્ટ વસ્તુને ભાખે છે.” એવા વચન–વિશેષનું ઉપપાદન ભેદવાદીના પક્ષમાં પણ કેમ નહિ થઈ શકે? ઉત્તર :- નહિ થઈ શકે એનું કારણ એ છે કે કેવલીમાં “જ્ઞાત અને દષ્ટ વસ્તુને ભાખે છે.” એ વચનનું તમારા કહ્યા મુજબ ઉપપાદન કરવા જઈએ તે બ્રાન્ત છદ્મસ્થ પુરુષ માટે પણ એવા પ્રયોગની આપત્તિ આવશે. શુક્તિમાં રજતનું ભાન કરનાર બ્રાન્ત-છદ્મસ્થ પુરુષ વાસ્તવમાં “જુએ છે શુક્તિને પણ જાણે છે રજતરૂપે એટલે ખરેખર તે એ જ્ઞાત અને દષ્ટ વસ્તુને કહે છે-એમ મનાય નહિ. પણ હવે તમારા કહ્યા મુજબ જ શુક્તિના દર્શનમાં શક્તિવિશેષનું જ્ઞાન ગૌણપણે સમાવિષ્ટ માની લઈએ, તેમજ રજતના જ્ઞાનમાં ગૌણપણે રજનસામાન્યનું દર્શન માની લઈએ તે કોઈ વાંધો નથી. એટલે બ્રાન્તપુરુષ પણ એક સમયે જ્ઞાત અને દષ્ટ વસ્તુ ભાખે છે. એમ કહેવાની આપત્તિ આવશે. જો તમે એમ કહે કે “બ્રાન્ત છદ્મસ્થની બુદ્ધિમાં જે પદાર્થ જ્ઞાનને વિષય છે તે દર્શનને વિષય નથી અને જે પદાર્થ દર્શનનો વિષય છે તે જ્ઞાન વિષય નથી. માટે ઉપરોક્ત આપત્તિ નિરવકાશ છે.” તે એ પણ બરાબર નથી. કારણ કે શંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy