SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુ (१२६) ज्ञानस्य हि व्यक्तता रूपम् दर्शनस्य पुनरव्यक्तता । न च क्षीणावरणेऽर्हति व्यक्तताऽव्यक्तते युज्येते, ततः सामान्यविशेषज्ञेयसंस्पश्युभबैकस्वभाव एवायं केवलिप्रत्ययः । न च ग्राह्यद्वित्वात् ग्राहकद्वित्वमिति सम्भावनापि युक्ता, केवलज्ञानस्य ग्राद्यानन्त्येनानन्ततापत्तेः । विषयभेदकृतो न ज्ञानभेद इत्यभ्युपगमे तु दर्शनपार्थक्ये का प्रत्याशा ? आवरणद्वयक्षयानुभयकस्वभावस्यैव कार्यस्य सम्भवात् । न च एकस्वभावप्रत्ययस्य शीतोष्णस्पर्शवत् परस्परविभिन्नस्वभावद्वयविरोधः, दर्शनस्पर्शनशक्तिद्वयात्मकैकदेवदत्तवत्स्वभावद्वयात्मकैकप्रत्ययस्य केवलिन्यविरोधात् । ज्ञानत्वदर्शनत्वधर्माभ्यां ज्ञानदर्शनयोर्मेदः, न तु धर्मिभेदेनेति परमार्थः । अत एव तदावरणभेदेऽपि स्याद्वाद एव । तदुक्त स्तुतौ ग्रन्थकृतैव વારનવિજ્ઞાન અપમાડ્યગુરૌદ્મવત્ !. તવાવાળ'મળે ન વા વાર્થવિશેષતઃ (નિશ્ચય૦ ગ્રા૮) રૂતિ . (૧૨૫ અને ૧૨૬) દર્શન અવ્યક્ત સ્વભાવરૂપ છે–એ પણ એક હેતુ છે જેનાથી એ સિદ્ધ થાય છે કે કેવલીમાં જ્ઞાનથી પૃથક્ દર્શન હોતું નથી. આ વાત “પરિશુદ્ધ સાયાર........”ઇત્યાદિ ગાથાથી કહી છે. વ્યક્તતા એ જ્ઞાનનું સ્વરૂપ છે. જેમના સર્વ આવરણ ક્ષીણ થઈ ગયા હોય એવા અરિહંત કેવલિમાં સ્પષ્ટ છે કે સંપૂર્ણ પણે વ્યક્તતા જ ઘટી શકે, નહિ કે વ્યક્તતા અને અવ્યક્તતા બને. એટલે ફલિત થાય છે કે કેવલિની પ્રતીતિ સામાન્યયસ્પશિ અને વિશેષયસ્પશિ એવા યુગ્મથી ગર્ભિત એકસ્વભાવ-વાળી હોય છે. ગ્રિાહ્યભેદથી ગ્રાહક ભેદ અસિદ્ધ) શંકા ગ્રાહ્ય પદાર્થ તો સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારના હોવાથી તેના ગ્રાહકરૂપે પણ જ્ઞાન અને દર્શન એવા બે ઉપયોગની સંભાવના શું યુક્તિયુક્ત નથી? સમાધાન -ના. જે ગ્રાહ્યના જેટલા પ્રકાર હોય તેટલા ગ્રાહકના પણ હોય તેવી કલ્પના કરીએ તે એક કેવલિને એક સમયે અનંત કેવળજ્ઞાન માનવાની આપત્તિ આવશે. કારણ કે કેવળજ્ઞાનથી ગ્રાહ્ય પદાર્થો પણ અનંત પ્રકારના છે. જો એમ માને કે “વિષયો ભલે ભિન્ન ભિન્ન અનંત હોય પરંતુ એટલા માત્રથી તેના ગ્રાહકજ્ઞાનમાં ભેદ હોત નથી, (અર્થાત્ જ્ઞાન એક જ હોઈ શકે છે.) તો પછી હવે જ્ઞાન ભિન્ન દર્શનને માનવાને અવકાશ પણ કયાં રહ્યો ? સામાન્ય-વિશેષ વિષયરૂપ ભેદ હોવા છતાં પણ તેની એકજ્ઞાનાત્મક પ્રતીતિ માની શકાય છે. કારણ કે જ્ઞાન અને દર્શન ઉભયના આવરણનો જ્યારે એક સમયે ક્ષય થાય ત્યારે જ્ઞાનત્વ દર્શનત્વ ઉભયથી ગર્ભિત એક સવભાવાત્મક પ્રતીતિરૂપ કાર્ય જ ઉત્પન્ન થવાનો સંભવ છે, નહિ કે જ્ઞાન–શનરૂપ જુદા-જુદા કાર્યા. [વગર વિધે ધર્મિ-ઐક્ય સંગતિ] ' શકે ક–એક સ્વભાવવાળા દ્રવ્યમાં જેમ ભિન્ન સ્વભાવવાળા શીત અને ઉષ્ણ બને સ્પર્શી સાથે રહેતા નથી તે એની જે એકસ્વભાવવાળી કેવલિની પ્રતીતિમાં ૧. વામાવૌથશવ7 ()–નિશ્ચય | ૨. નિત્યે નિશ્ચય | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy