SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ --- -- - - - - -- "रात्रैश्चतुर्षु यामेषु, दृष्टः स्वप्नः फलप्रदः । मासैद्धदिशभिः षड्भि - सिभिरेकेन च क्रमात ॥४॥ निशान्त्यघटिकायुग्मे, दशाहात् फलति ध्रुवम्। दृष्टः सूर्योदये स्वप्नः, सद्यः फलति निश्चितम्॥५॥ मालास्वप्नोऽलि दृष्टश्च, तथाऽऽधि-व्याधिसम्भवः ।मल-मूत्रादिपीडोत्थः स्वप्नः सर्वो निरर्थकः ॥६॥" રાત્રિના ચાર પહોરમાં દેખેલ સ્વપ્ન અનુક્રમે બાર છે ત્રણ અને એક મહિને ફળ આપનારું થાય છે, એટલે કે, પહેલે પહોરે દેખેલ સ્વપ્ન બાર મહિને, બીજે પહોરે દેખેલ સ્વપ્ન છ મહિને, ત્રીજા પહોરે દેખેલ સ્વપ્ન ત્રણ મહિને અને ચોથે પહોરે દેખેલ સ્વપ્ન એક મહિને ફળ આપનારું છે.૪. વળી રાત્રિની છેલ્લી બે ઘડીમાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી દસદિવસમાં ફળે છે, અને સૂર્યોદય થતાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી તુરત ફળે છે. ૫.” પણ માળાસ્વપ્ન, એટલે ઉપરા ઉપર આવેલ સ્વપ્ન, દિવસે દેખેલ સ્વપ્ન, માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિથી ઉત્પન્ન થયેલું સ્વપ્ન, મલ-મૂત્રાદિની રોકાવટ કરવાથી થયેલી પીડાથી ઉત્પન્ન થયેલું સ્વપ્ન, એ સર્વ સ્વપ્નાઓ નિરર્થક સમજવાં, એટલે એ સ્વપ્નાઓનું કાંઈ ફળ મળતું નથી ૬. (સાવૃત્ત-) “ધરતઃ સમધાતુની સ્થિત્તિ નિત્તેન્દ્રિય. સાડા प्रायस्तस्य प्रार्थित-मर्थं स्वप्नः प्रसाधयति ॥७॥" न श्राव्यः कुस्वप्नो, गुवदिस्तदितरः पुनः श्राव्यः । योग्यश्राव्याऽभावे, गोरपि कर्णे प्रविश्य वदेत् ॥८॥ “જે મનુષ્ય ધર્મમાં આસક્ત હોય, રસ--રુધિરાદિ ધાતુઓ જેની સમ એટલે સરખી હોય, સ્થિર ચિત્તવાળો હોય, ઇન્દ્રિયોને કાબૂમાં રાખનાર હોય, અને દયાવાળો હોય, તેને આવેલું સ્વપ્ન પ્રાયઃ ઇચ્છિત અર્થને સાધે છે.....” ખરાબ સ્વપ્ન કોઈને પણ સંભળાવવું નહિ, અને સારું સ્વપ્ન આવ્યું હોય તો ગુરુ મહારાજ વિગેરે યોગ્યને સંભળાવવું, કદાચ સ્વપ્ન સાંભળનાર તેવા યોગ્યનો સમાગમ ન થાય તો છેવટે ગાયના કાનમાં પણ કહેવું .૮. इष्टं दृष्ट्वा स्वप्नं , न सुप्यते नाप्यते फलं तस्य। नेया निशाऽपि सुधिया, जिनराजस्तवनसंस्तवतः ॥9॥ स्वप्नमनिष्टं दृष्टवा सुप्यात् पुनरपि निशामवाप्यापि। नाऽयं कथ्यः कथमपि, केषाञ्चित् फलति न स तस्मात्॥१०॥ पूर्वमनिष्टं दृष्ट्वा, स्वप्नं यः प्रेक्षते शुभं पश्चात्। स तु फलदस्तस्य भवेद्, दृष्टव्यं तद्वदिष्टेऽपि ॥११॥ ઉત્તમ સ્વપ્ન જોઇને બુદ્ધિમાન માણસે સૂવું નહિ, કેમકે સૂઈ જવાથી તે ઉત્તમ સ્વપ્નનું ફળ મળતું નથી, માટે આખી રાત્રિ જિનેશ્વર પ્રભુના ગુણસ્તવનમાં જ ગુજારવી .૯ ખરાબ સ્વપ્ન જોઇને રાત્રિએ ફરીથી સૂઈ જવું. વળી તે ખરાબ સ્વપ્ન કોઈને પણ કહેવું નહિ, અને તેથી તે ફળવંત થતું નથી. જે મનુષ્ય પહેલાં ખરાબ સ્વપ્ન જોઇને પાછળથી શુભ સ્વપ્ન દેખે છે તેને તે શુભ ફળ દેનારું થાય છે. તેવીજ રીતે જે મનુષ્ય પહેલાં શુભ સ્વપ્ન જોઇને પાછળથી ખરાબ સ્વપ્ન દેખે છે તેને તે અશુભ ફળ દેનારું થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy