SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ કે ફકર કરે છે જીવPપૂરતૂસન્મ- કેન્દ્ર છે કે તે ફરી ફરી ઠલ્પસૂત્ર વિષે –– શ્વેતાંબર આમ્નાય માં કલ્પસૂત્રની વિશેષ મહત્તા છે. તે પવત્રિ અને પર્યુષણમાં વંચાતુ શાસ્ત્ર છે. કલ્પસૂત્રનું અપરનામ પર્યુષણાકલ્પ છે. આ ગ્રંથના રચનાકાર અંતિમઋતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી હતા. જો કે ગ્રંથ નથી તે દશાશ્રુત-સ્કંધનામક ગ્રંથનો દશમો અધ્યાય છે. ગ્રંથનો આઠમો અધ્યાય પર્યુષણા કલ્પ' છે. અને પર્યુષણ પર્વમાં આનું સ્વતંત્ર રૂપે વાંચન થવાથી સ્વતંત્ર રૂપે તેની મહત્તા સ્થાપિત થઇ છે. - કલ્પ એટલે આચાર, નીતિ અથવા સમાચારી. આચાર્ય ઉમાસ્વામી ના શબ્દોમાં “જ્ઞાન શીલ અને તપને જે વૃધ્ધિ કરે, દોષોથી નિગ્રહ કરાવે તેજ કલ્પ છે. સામાન્ય રીતે જૈન દર્શનમાં આવા દસ કલ્પોનો ઉલ્લેખ છે તે પૈકી પર્યુષણાકલ્પને મહત્વપૂર્ણ ગણવામાં આવ્યો છે. પર્યષણ પર્વ લોકોત્તર પર્વ માનવામાં આવે છે. એટલે આ દિવસોમાં કલ્પસૂત્ર નું પઠન અને શ્રવણ બંને પવિત્ર માનવામાં આવે છે. જેથી કલ્પવૃક્ષની જેમ મનોવાંછિત રિધ્ધિ - સિદ્ધિ-સમૃદ્ધિ અને આત્મિક સુખ મળે છે. આચાર્યોએ લખ્યું છે કે જે વ્યક્તિ એકાગ્રતાપૂર્વક એકવીસ વખત શ્રદ્ધા સહિત કલ્પસૂત્રનું શ્રવણ કરે તે ભવ-સાગરથી મુક્તિ પામે. કલ્પ સૂત્રના મુખ્ય ત્રણ વિભાગ છે. જેમાં (૧) તીર્થકરોનો પરિચય (૨) સ્થવિરાવલી (૩) સાધુઓની સમાચારી. કલ્પસૂત્રનું લખાણ ૨૯૧ કંડિકાઓમાં છે જે ૧૨૦૦થી વધુ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે તેથી તેને બારસાસૂત્ર પણ કહેવામાં આવે છે. પર્યુષણના છેલ્લા સંવત્સરીના દિવસે સાધુગણ સંપૂર્ણ શાસ્ત્રનું વાંચન કરે છે. કલ્પસૂત્રમાં કુલ ૯ વ્યાખ્યાનો છે. જો કે આ ગ્રંથમાં ભ. મહાવીરના જીવન ચરિત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવેલું છે સાથો સાથ ભ. 28ષભદેવ, ભ. નેમીનાથ અને ભ. પાર્શ્વનાથ ના જીવન ચરિત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે અન્ય તીર્થકરોના જીવન સંક્ષિપ્ત રૂપે આપેલા છે. પ્રથમ વ્યાખ્યાનમાં ભ. ઋષભદેવથી ભ. મહાવીર ઉપરાંત બીજા થી ત્રેવીસમાં તીર્થકર સુધીના સાધુઓની સરળતા અને વક્રતા કે નમ્રતાની ચર્ચા કરી છે. પ્રારંભ સાધુના ૧૦ કલ્પોં થી કરવામાં આવી છે. કલ્પસૂત્રનો મહિમા, તેના પઠન પાઠનના અધિકારી અંગે સમજૂતી આપવામાં આવી છે. અને સાધુના પાંચ મુખ્ય કર્તવ્યો જેમા - ચૈત્યપરિપાઠી, સાધુવંદના, સાંવત્સરિક પ્રતિક્રમણ, સાધર્મિક ખમાવવા અને અઠ્ઠમ તપના મહત્ત્વને વિશેષ દૃષ્ટાંત થી સમજાવવામાં આવેલ છે. આ અધ્યાયમાં જિનેશ્વર ચરિત્ર, ગણધરાવલી, સ્થિવિરાવલી, સમાચારી ભગવાન મહાવીરના ગર્ભ ચ્યવન, માતાના ૧૪ સ્વપ્ન ની સાથે પુરુષનાં ૩ર લક્ષણ, સામુદ્રિક દૃષ્ટિએ લક્ષણ, સૌધર્મઇન્દ્રના વૈભવનું વર્ણન છે. અરિહંત શબ્દની વિષદ વ્યાખ્યાની સાથે મેઘકુમાર નું દૃષ્ટાંત ચર્ચવામાં આવ્યુ છે. બીજા વ્યાખ્યાનમાં પ્રભુનું દેવાનંદાના ગર્ભમાં ચ્યવન કરવાના કારણની ચર્ચા કરી તેને ૧૦ ઉછેરામાં એક ગણવામાં આવેલ છે. ૧૦ અછેરાની ચર્ચા કરી છે. મરીચી ની કથા, નવા ઢોંગી ધર્મની શરુઆત, તેના વિરુદ્ધાચરણ ની ચર્ચા ની સાથે આઠ મદ થી થતાં નીચ ગોત્રની ચર્ચા છે. ભ. મહાવીર ના ૨૭ ભવમાં ઉત્તરોત્તર ચારિત્રિક વૃધ્ધિની ઉત્તમ પ્રગતિ ની ચર્ચા છે. આ વ્યાખ્યાનમાં કુન્ડગ્રામ સુધી આવતા ઈન્દ્રોના માર્ગનું સૌંદર્યપૂર્ણ વર્ણન ખૂબજ સાહિત્યિક છે. આચાર્ય ની ગર્ભ શધ્ધિ-ગર્ભહરણ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. માતા ત્રિશળાના શયન કક્ષનાં વર્ણનમાં આચાર્યની કવિત્વ શક્તિ અને મૂર્ત ચિત્રણની કળા નીખરી છે. ૧૪ સ્વપ્નો માં લક્ષ્મી' સુધીનું વર્ણન આ વ્યાખ્યાનમાં છે. ત્રીજા વ્યાખ્યાનમાં સ્વપ્ન વર્ણન ચાલે છે. અને મહારાજ સ્વપ્ન ના ફળ વર્ણન કરી મહાન તીર્થંકર પ્રભુના જન્મ ની સંભાવના પ્રસ્તુત કરે છે. આ વ્યાખ્યાનમાં પણ આચાર્યની વર્ણન શૈલી -કવિતામય ભાષા દૃષ્ટવ્ય છે. તેમાં પ્રકૃતિ-ચિત્રણ, મહારાજ સિધ્ધાર્થ ના સ્નાનાગાર, સ્નાન, માલિશ,શૃંગાર, રાજ સિંહાસન વગેરેનું વર્ણન છે. અહિંયા આચાર્યના જયોતિષજ્ઞાનનું પરિચય મળે છે. તેઓ નિમિત્ત શાસ્ત્રની દૃષ્ટિએ ૮ અંગોનું વર્ણન કરે છે. ચોથું વ્યાખ્યાન ત્રીજાના અનુસંધાન સ્વરૂપે છે, જેમા મહારાજ તીર્થકર જનની (ભવિષ્ય) નું સન્માન કરે છે. અહીં આચાર્ય સ્વપ્ન શાસ્ત્ર ની જ જાણે કે રચના કરે છે. વિવિધ સ્વપ્ન અને તેના ફળ વર્ણવે છે. મા ત્રિશલાને કેવો પુત્ર અવતરશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy