SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું વર્ણન છે. આચાર્ય સામાજિક રચનાના વર્ણન સાથે ગ્રામ, શહેર વગેરેની રચનામાં વાસ્તુ શાસ્ત્રી તરીકે દેખાય છે. વર્ધમાન નામની સાર્થકતા વર્ણવે છે. મહાવીર ગર્ભમાં સ્થિર થયા છે તેથી માતાની વેદનામાં મમતા અને વાત્સલ્ય છલકાય છે અને પુનઃ હલન-ચલન થી થતી પ્રસન્નતામાં પણ તેજ ભાવ છે. આચાર્ય ગર્ભવતી માતાના કર્તવ્યો તેની રહેણી-કરણી ભોજન, ચિંતન વિષે વિશદ છણાવટ કરે છે. પાચમું વ્યાખ્યાન ભગવાનના જન્મોત્સવને વર્ણવે છે. ભગવાન ના જન્મ સમયે પ્રકૃતિની મનોહારી છટા દ્વારા લેખકનું પ્રકૃતિ પ્રેમ જોઇ શકાય છે. દિકકુમારિઓનું વર્ણન, હરિસેગમેપી દ્વારા ઘંટારવ અને જન્મોત્સવ જોવાની ઉત્કંઠા ને તાદશ્ય શબ્દોમાં ઉતારી છે. ભગવાન ના અભિષેક માટેના કળશનું વર્ણન, કૃત્રિમ નગર-રચના, સિધ્ધાર્થ મહારાજ ની દૈનિક ચર્ચા, રાજયવ્યવસ્થા, દંડની વિધિ નું વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્યાખ્યાનમાં પ્રભુના બાળકાળના પ્રસંગો જેમાં વિદ્યાભ્યાસ, લગ્ન, પુત્રી વગેરેની ચર્ચા છે. વજ વૃષભનારાચ શરીર -ધારી ભગવાન ની દીક્ષા પૂર્વ અને દીક્ષાનું વર્ણન કરતા આચાર્યો વર્ષીદાન, શોભાયાત્રા, ચંદ્ર પ્રભા પાલખીનું ખૂબજ રમણીય વર્ણન કર્યું છે. અને પાલખીમાં વિરાજમાન પ્રભુના દર્શન માટે સ્ત્રિયોં માં જે તલાવેલી છે તે વર્ણનતો સૂરની યાદ આપે છે. જેમાં ગોપિયોની વિહ્વળતાનું વર્ણન છે. દીક્ષા માટે પ્રભુનું જ્ઞાતવ્ય વનમાં ગમન, પંચમુષ્ટિ કેષાંચન અને રાજસી વસ્ત્રાભૂષણ ના ત્યાગની સાથે ઇન્દ્ર આપેલ દેવદૂષ્ય વસ્ત્રનું વર્ણન છે. ભગવાનની સ્વયંભૂ દીક્ષા લેવાની ચર્ચા છે. છઠ્ઠા વ્યાખ્યાનમાં તપમાં લીન પ્રભુપર થયેલા ઘોર ઉપસર્ગો ની ચર્ચા છે. તેમનાં વિવિધ સ્થળોના કઠિન વિહાર ની ચર્ચા અને તેમાં બનેલી ઘટનાઓનું વર્ણન છે. દીક્ષાના ૧૩ મહિના પછી નગ્ન રૂપે તપસ્યા કરવાનો ઉલ્લેખ છે. પ્રભુ નગ્ન અને કરપાત્રી ભોજન કરતા હતા તેની છણાવટ કરી છે. શૂલપાત્રી યક્ષનો ઘોર ઉપસર્ગ અને તેમાં મહાવીરની સમતાક્ષમતા શ્રધ્ધા પ્રેરનારી છે. ચંડકૌશિકના પ્રસંગનું સુન્દર કથાત્મક શૈલીમાં વર્ણન છે. ભગવાનની ગોચરી પછીનાં પંચાશ્ચર્યની કથા છે. ગોશાળક નું પ્રભુ સાથે વિહાર વગેરે પ્રસંગો પણ વર્ણવ્યા છે. આ વ્યાખ્યાનમાં જો લેશ્યા, સંગમદેવના ઉપસર્ગો ચંદનબાળાનું ઉધ્ધાર વગેરેની ચર્ચા છે. સૌથી મહત્વપૂર્ણ આ વ્યાખ્યાનમાં ઇન્દ્રભૂતિ વગેરે જે ૧૧ વિદ્વાન બ્રાહ્મણો ભગવાનના શિષ્ય થયા તેમની શંકાઓનું જે તર્ક-પૂર્ણ રીતે નિવારણ કર્યું અને જે ગણધરવાદ ના નામે પ્રસિધ્ધ છે તે ખૂબ જ સુંદર વર્ણન છે. આ અંગે જુદેથી ગણધરવાદ પુસ્તક લખ્યું છે) સાતમાં વ્યાખ્યાનમાં પાર્શ્વપ્રભુનું, અરિહંત નેમી ભગવાન નું ચરિત્રનું વર્ણન છે. સાથોસાથ ભગવાન ઋષભદેવ વિશે વર્ણન છે જેમા વંશસ્થાપના, દંડવ્યવસ્થા, કૃષિ,અસિ વ્યાપાર, કળા, ભોજન રાંધવાની કળા વગેરે ના વર્ણનની સાથે સ્ત્રિયોની ૬૪ અને પુરુષોની ૭ર કળાઓનું અદ્ભુત જ્ઞાનપૂર્ણ ઉલ્લેખ છે. આઠમાં વ્યાખ્યાનમાં નવગણ-૧૧ ગણધાર તેમના જ્ઞાનભંડાર વિષે ચર્ચા છે. સુધર્માને મુખ્ય ગણધર પદે, સ્થાપવાની સાથે અંતિમ કેવલી જંબુસ્વામીનું વર્ણન છે. અને પછી શ્રુત પરંપરા અને તેના આચાર્યોનું વર્ણન છે. જેમાં આર્ય સુદસ્તી સુધીની આચાર્ય પરંપરાનું વર્ણન છે. નવમાં વ્યાખ્યાનમાં સાધુ સમાચારી, પર્યુષણના નિયમો, વર્ષકાળમાં સાધુની ચર્યા, ભોજન પ્રમાણ અને છેલ્લે સંલ્લેખના વગેરેનું શાસ્ત્રીય વિવેચન છે હકીકતે આ વ્યાખ્યાન આચારસંહિતા જ છે. સંપૂર્ણ કલ્પસૂત્ર ને વાંચતા સમજાય છે કે તે માત્ર તીર્થકરોની કથાનું શાસ્ત્ર નથી પણ તેની સાથે તત્કાલીન સામાજિક, આર્થિક, ન્યાયિક પરંપરાઓને પણ અંકિત કરે છે. પૂર્ણ ગ્રંથમાં જ્યોતિષ, ગણિત, પ્રકૃતિ ચિત્રણ, નગરવર્ણન વિવિધ કળાઓની જે રીતે સમીક્ષા અને વર્ણન કરવામાં આવ્યા છે. તે આચાર્યની દીર્ધ અને સૂક્ષ્મ દૃષ્ટિ જ્ઞાનને સૂચવે છે. પુણ્યની સાથે જ્ઞાન પ્રાપ્તિનું ઉત્તમ શાસ્ત્ર છે. ૧૯૯૭ના પર્યુષણમાં મને બોસ્ટન ખાતે જે સત્સંગનો અવસર મળ્યો અને ૫ દિવસ જે કલ્પસૂત્ર વિશે પ્રવચનો આપ્યા તેના માત્ર સાર રૂપ આ નિચોડ અહીં મુકી શકયો છે. આશા છે આ ગ્રંથ વાચક-શ્રાવકોને જરૂ આપશે. ડૉ. શેખરચન્દ્ર જૈન ** **** ****** V D **** **** **** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy