SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયને લીધે મુનિમાર્ગથી પરામુખ બનેલા કપિલે કહ્યું કે હું તો તમારી જ પાસે દીક્ષા લઇશ, જો મુનિમાર્ગ જ મોક્ષનો હેતુ હોય તો તમે આ પરિવ્રાજકનો વેષ કેમ સ્વીકાર્યો?” મરીચિએ કહ્યું કે - કપિલ! હું મુનિમાર્ગ પાળવાને અસમર્થ છું, મુનિઓ તો મન વચન અને કાયના દંડથી વિરત થયેલા હોય છે, હું તેવો નથી' ઇત્યાદિ પોતાની સત્ય હકીકત જણાવી. કપિલે કહ્યું- સ્વામી! શું તમારા મનમાં ધર્મ નથી જ! ત્યારે મરીચિએ વિચાર્યું પોતાની સત્ય હકીકત જણાવી. કપિલે કહ્યું-સ્વામી! શું તમારા મનમાં ધર્મ નથી જ!' ત્યારે મરીચિએ વિચાર્યું કે ખરેખર, આ ભારે કર્મી હોવાથી જિનેન્દ્ર પ્રરૂપેલો સત્ય માર્ગ સ્વીકારતો નથી, માટે મારે જ શિષ્ય કરવો ઠીક છે, મારે યોગ્ય જ આ શિષ્ય મળી ગયો છે. એમ વિચારી કહ્યું કે, “કવિલા! ઇન્દુ પિ ઇયં પિ-કપિલ! જેમ જિનેશ્વરે પ્રરૂપેલા માર્ગમાં ધર્મ છે તેમ આ મારા માર્ગમાં પણ ધર્મ છે”. એવી રીતે મરીચિ ઉત્સુત્ર વાક્યો બોલ્યો. તે સાંભળી કપિલે તેની પાસે દીક્ષા લીધી, મરીચિએ ઉત્સુત્ર પ્રરૂપાવાથી પોતાનો કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધાર્યો. હવે તે કર્મને આલોચ્યા વિના ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પાળી ત્યાંથી કાળ કરીને, (૪) તે વીર પ્રભુનો જીવ ચોથા ભવમાં બ્રહ્મ દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. (૫) ત્યાંથી ચ્યવીને પાંચમા ભવમાં કોલ્લાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળો કૌશિક નામે બાહ્મણ થયો. વિષયમાં આસક્ત, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર અને હિંસાદિકમાં ક્રૂર હૃદયવાળો તે બ્રાહ્મણ ઘણો કાળ ગૃહસ્થવાસ ભોગવી, અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને, ઘણા કાળ સુધી સંસારમાં ભમ્યો, તે ભવો સ્થૂલભવોમાં ગણ્યા નથી. (૬) ત્યાંથી છદ્દે ભવે ધૂણા નગરીમાં બોંતેરલાખ પૂર્વના આયુષ્યવાળો પુષ્પનામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને. (૭) સાતમે ભવે સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. (૮) ત્યાંથી ચ્યવીને આઠમે ભવે ચૈત્ય નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઇ, મૃત્યુ પામીને. (૯) નવમે ભવે ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. (૧૦) ત્યાંથી ચ્યવને દસમે ભવે મંદરનામે ગામમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને. (૧૧) અગીઆરમે ભવે સનસ્કુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. (૧૨) ત્યાંથી ચ્યવીને બારેમે ભવે શ્વેતાંબી નગરમી ચુમ્માલીશલાખપૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને. (૧૩) તેરમે ભવે માહેન્દ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. . (૧૪) ત્યાંથી અવીને કેટલોક કાળ ભવભ્રમણ કરી, ચૌદમે ભવે રાજગૃહ નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળો સ્થાવર નામે બ્રાહ્મણ થયો. તે પણ અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને. (૧૫) ત્યાંથી આવીને ઘણો કાળ સંસારમાં પરિભ્રમણ કરી, સોળમે ભવે રાજગૃહમાં વિશાખભૂતિ નામે યુવરાજની ધારિણી નામે ભાર્યાની કુખે, કરોડ વરસના આયુષ્યવાળો વિશ્વભૂતિ નામે ક્ષત્રિય થયો. વિશ્વભૂતિ એક વખત પોતાના અંતઃપુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો, તે જોઇ તેના કાકાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy