SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅ ++++++પીવDqQR +******* नागुत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेइस्स उदएणं (નાગુત્તરવાહમ્મ) સંજ્ઞા વડે નીચ ગોત્ર નામનું જે કર્મ, કેવું?તે કહે છે- (અવસ્વરૂ) જેની સ્થિતિનો ક્ષય થયો નથી (વેH QUI) જેનો રસ અનુભવ્યો નથી એટલે વેદ્યો નથી (ગળUOTH) તથા જે કર્મના પ્રદેશો જીવપ્રદેશ થકી નાશ પામ્યાં નથી એવા પ્રકારના નીચ ગોત્ર નામના કર્મના ઉદએ) ઉદયથી શ્રી મહાવીર તીર્થકર નીચગોત્રમાં બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે. તે નીચ ગોત્ર ભગવાને સ્થૂળ સત્યાવીસ ભવની અપેક્ષાએ ત્રીજે ભવે બાંધ્યું હતું, તે આ પ્રમાણે શ્રી મહાવીર સ્વામીના સત્યાવીશ ભવ પહેલા ભવમાં વીરપ્રભુનો જીવ પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતો. તે એક વખત પોતાના સ્વામીની આજ્ઞાથી કાષ્ટ માટે વનમાં ગયો. બપોર વખતે સેવકોએ ભોજન તૈયાર કર્યું, ત્યારે તેને વિચાર થયો કે“અહો! આ સમયે કોઈ અતિથિ આવી જાય તો બહુ સારું. એમ વિચારી ચારે તરફ દૃષ્ટિ ફેરવે છે, તેવામાં સાર્થથી ભૂલા પડેલા સાધુઓને જોયા. સાધુઓને જોઇ તે બહુ ખુશી થયો, અને “અહો! હું કેવો ભાગ્યશાળી કે ભોજન વખતે આવા સુપાત્ર સાધુઓનો મને સમાગમ થયો’ એમ વિચારી, રોમાંચિત થઇ, તે સાધુઓને વિપુલ રસોઈ વહોરાવી. પછી પોતે ભોજન કરી, સાધુઓ પાસે જઈ, નમસ્કાર કરીને કહ્યું કે- “હે મહાત્માઓ! પધારો, હું આપને રસ્તો બતાવું છું. એમ કહી સાધુઓ સાથે ચાલ્યો. માર્ગમાં ચાલતાં સાધુઓએ તેને યોગ્ય જાણી, એક વૃક્ષ નીચે બેસી ધર્મનો ઉપદેશ આપ્યો અને તેથી સમકિત પામ્યો. હવે નયસાર પોતાના આત્માને ભાગ્યશાળી માનતો થકો સાધુઓને વંદન કરી પોતાને ગામ આવ્યો. આયુષ્ય પૂરું થતાં અંતે પંચ પરમેષ્ટીના નમસ્કારપૂર્વક મૃત્યુ પામ્યો (૧) (૨) બીજે ભવે સૌધર્મકલ્પમાં પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. (૩) ત્યાંથી ચ્યવીને ત્રીજે ભવે ભરત ચક્રવર્તીનો મરીચિ નામે પુત્ર થયો. મરીચિને વૈરાગ્ય થવાથી શ્રી ઋષભદેવ પ્રભુ પાસે તેણે દીક્ષા લીધી, અને સ્થવિરો પાસે અગીયાર અંગો ભણ્યો. એક દિવસ ઉનાળામાં તાપ આદિકથી પીડિત થઇ વિચારવા લાગ્યો કે - “સંયમનો ભાર તો બહુજ આકરો છે, હું તેને વહન કરવાને શક્તિમાન નથી, વળી આ છોડીને ઘેર જવું એ પણ ઠીક નથી'. એમ વિચારી તેણે નવીન જાતનો વેષ રચ્યો, તે આ પ્રમાણે“સાધુઓ તો મનદંડ, વચનદંડ અને કાયદંડ, એ ત્રણ દંડથી વિરત થયેલા છે, હું ત્રણ દંડથી વિરત નથી, માટે મારે ત્રિદંડનું ચિન્હ રાખવું. સાધુઓ દ્રવ્યથી મુંડિત થયેલા છે, તેમ રાગ-દ્વેષ વર્જેલા હોવાથી ભાવથી પણ મુંડિત થયેલા છે, હું તેવો નથી, માટે હું મસ્તક પર ચોટલી રાખી હજામત કરાવીશ. સાધુઓને સર્વ પ્રાણાતિપાતાહિકથી વિરતિ છે, હું તેવો નથી, માટે સ્થૂળ પ્રાણાતિપાતાદિકથી વિરતિ પાળીશ. સાધુઓ શીયળ રૂપ સુગંધીથી વાસિત થયેલા છે, હું તેવો નથી, માટે હું શરીરે ચંદનાદિ સુગંધી વસ્તુઓનું વિલેપન કરીશ. સાધુઓ મોહરિહત છે, હું મોહથી આચ્છાદિત થયેલો છું, માટે હું છત્ર રાખીશ. સાધુઓ પગરખાં વિના ઉઘાડે પગે ચાલનાર છે, હું પગમાં પાવડીઓ પહેરીશ. સાધુઓ કષાયરહિત છે, હું તો કષાયસહિત છું; તેથી હું રંગેલાં-ભગવાં કપડાં પહેરીશ; સાધુઓ સ્નાનથી વિરતીવાળા છે, પણ હું તો પરિમિત જળથી સ્નાન અને પાન કરીશ''. એવી રીતે તેણે પોતાની જ બુદ્ધિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy