SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અકસ્મશ્રીવાસ્વપૂર્ણ અસર કરે ચોથું અચ્છેરું-અભાવિત પર્ષદા એટલે તીર્થંકરની દેશના નિષ્ફળ થવી. તીર્થકરની દેશના કોઈ પણ વખતે નિષ્ફળ થતી નથી પણ આ અવસર્પિણીમાં શ્રીવીરપ્રભુએ કેવળજ્ઞાન પામ્યા બાદદેવોએ રચેલા પહેલા સમવસરણની અન્દર દેશના દીધી, છતાં કોઈને વિરતિ પરિણામ થયો નહિ, એ અચ્છેરું થયું.૪. પાંચમું અચ્છેરું - દ્રૌપદી માટે નવમા વાસુદેવ શ્રીકૃષ્ણનું અપરકંકા નામે નગરીમાં ગમન થયું. તે આ રીતેએક દિવસ પાંડવોની ભાર્યા દ્રોપદી પાસે નારદ ઋષિ આવ્યા. તે વખતે તેણીએ નારદને અસંયતિ જાણીને ઉભા થઈ સામે આવવું' વિગેરે આદર સત્કાર કર્યો નહિ, તેથી ગુસ્સે થયેલા નારદે વિચાર્યું કે મારું અપમાન કરનારી દ્રૌપદીને ગમે તેમ કરી કષ્ટમાં નાખું.' એમ વિચારી નારદ ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં અપરકંકા નગરીનો રાજા પૌોત્તર સ્ત્રીઓમાં અત્યન્ત લુબ્ધ હતો, તેથી તેની પાસે જઈ દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું. તેથી પોત્તરે દ્રોપદી ઉપર અનુરાગી થઈ, પોતાના મિત્ર એક દેવ પાસે તેણીનું હરણ કરાવી, પોતાના અન્તઃપુરમાં રાખી. મહાસતી દ્રૌપદીએ ત્યાં પણ પોતાનું સતીપણું જાણ્વી રાખ્યું. હવે પાંડવોની માતા કુંતીએ દ્રૌપદી ગુમ થયાની વાત કૃષ્ણને જાહેર કરી. તેથી તેણે ઘણે સ્થળે શોધકરાવી, પણ પત્તો લાગ્યો નહિ. એટલામાં નારદને મોઢેથી જ દ્રૌપદીના સમાચાર મળ્યા. પછી કૃષ્ણ લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવનું આરાધન કર્યું, પ્રસન્ન થયેલા દેવે સમુદ્રમાં માર્ગ આપ્યો; તેથી બે લાખ યોજન વિસ્તારવાળા લવણસમુદ્રને કૃષ્ણ તથા પાંડવોના રથ તરી ગયા. અને પછી અમરકંકામાં જઇ, નરસિંહનું રૂપ કરી, કૃષ્ણ પક્વોત્તર રાજાને જીત્યો. દ્રૌપદીના વચનથી તેને જીવતો છોડ્યો. દ્રૌપદીને સાથે લઇ પાછા ફરતાં કૃષ્ણ પોતાનો શંખ ફૂક્યો, તે શંખનો શબ્દ સાંભળી ત્યાંના કપિલ વાસુદેવને આશ્ચર્ય થયું. અને તેથી તેણે ત્યાં વિચરતા શ્રી મુનિસુવ્રત જિનેશ્વરને પૂછયું, ત્યારે તેમણે કૃષ્ણ વાસુદેવ આવ્યાનું જણાવ્યું. આ પ્રમાણે સાંભળી કપિલ વાસુદેવ કૃષ્ણ વાસુદેવને મળવા માટે ઉત્સુક થઇ તુરત સમુદ્રને કાંઠે આવ્યો, અને પોતાનો શંખ ફૂંક્યો, સમુદ્રમાં ગમન કરતાં કૃષ્ણ પણ પોતાનો શંખ ફૂક્યો, તે બન્ને વાસુદેવના શંખનાદો મળ્યા. આવી રીતે પહેલા કોઈ વખત થયું નથી, તેથી અચ્છેરું થયું. પ. છઠું અચ્છેરું - કૌશંબી નગરીમાં ભગવાન્ શ્રી મહાવીરને વાંદવા માટે સૂર્ય અને ચંદ્ર પોતાના મૂળ વિમાનો સાથે ઉતર્યા હતા, એવું કોઈ વખત થયું નથી, તેથી અચ્છેરું થયું ૬. સાતમું અચ્છેરું - હરિવંશ કુળની ઉત્પત્તિ. તે આવી રીતે -કૌશંબી નગરીના રાજા સુમુખે વીરક નામના શાળવીની વનમાળા નામની સ્ત્રીને અત્યન્ત રૂપાળી દેખી અન્તઃપુરમાં બેસાડી દીધી. તેથી તે શાળવી પોતાની પ્રાણપ્રિયાના વિયોગથી એટલો બધો ગાંડો થઈ ગયો છે, જેને દેખે તેને ‘વનમાળા, વનમાળા' કહી ને બોલાવવા લાગ્યો. કૌતુકપ્રિય લોકો અને બાળકોથી ઘેરાએલો તે ગાંડો વીરક એક વખત રાજાના મહેલ નીચે આવ્યો, અને ‘વનમાળા, વનમાળા' પોકારવા લાગ્યો, ઝરૂખામાં બેસી ક્રીડા કરી રહેલા રાજાએ અને વનમાળાએ તેને દેખ્યો. ત્યારે વીરકની આવી દયાજનક હાલત જોઈ તેઓ ખેદ કરવા લાગ્યા કે, “આપણે આ કામ અનુચિત કર્યું, આપની વિષય લાલસીની તૃપ્તિ ખાતર આ નિરપરાધી માણસની જિંદગી બરબાદ કરી. વિષયને વશ થઈ કામાંધ માણસો શું શું અનર્થ નથી કરતા?”. આ પ્રમાણે પોતે કરેલા અનુચિત કાર્ય માટે ખેદ કરે છે, તેવામાં ભવિતવ્યતાને યોગે તેઓ ઉપર વિજળી પડવાથી તેઓ બન્ને મરીને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિયા થયા. હવે રાજા અને વનમાળા મરી ગયા જાણી વીરકને શુદ્ધિ આવી, તે વિચારવા લાગ્યો કે –“ઠીક થયું, પાપીઓને પાપ નડ્યું'. ધીરે-ધીરે વીરક ડાહ્યો થઈ ગયો. ત્યાર પછી તે વૈરાગ્યભાવથી તાપસ થઈ તપ તપીને મૃત્યુ પામી વ્યંતર દેવ થયો. તે વ્યંતર વિર્ભાગજ્ઞાન વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy