SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ એક ક ળ ન ક ા તા. હતા તે ને રાજ્યકુળમાં સ્થાપ્યા, તે મિત્ર-સ્થાનીય જાણવા. અને બાકીના પ્રધાન પ્રજાલોકને ક્ષત્રિયકુળમાં સ્થાપ્યા. હવે કાળની ઉત્તરોત્તર હાનિથી શ્રી ઋષભદેવ પ્રભુના વખતમાં કલ્પવૃક્ષનાં ફળો મળતાં નહોતાં, તેથી જેઓ ઇક્વાકુવંશના હતા તેઓ શેરડી ખાતા, તથા બીજાઓ પ્રાયઃ વૃક્ષોનાં પત્ર, પુષ્પ અને ફળાદિ ખાતા. વળી તે વખતે અગ્નિ ન હોવાથી તેઓ ચોખા વગેરે ધાન્ય કાચું ખાતા, પરન્તુ કાળના પ્રભાવથી તે ન પચવાથી થોડું થોડું ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પ્રભુના કહેવા પ્રમાણે ચોખા પ્રમુખ ધાન્યને હાથથી મસળીને તેનાં ફોતરાં કાઢી નાખીને ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પ્રભુના કહેવા પ્રમાણે ધાન્યને હાથથી મસળી તેનાં ફોતરાં કાઢી નાખી પાંદડાના પડિયામાં જળથી ભીંજાવીને ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી તેઓ પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધાન્યને જળથી ભીંજાવી કેટલોક વખત મૂઠીમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધાન્યને જળથી ભીંજાવી કેટલીક વખત કાખમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. આ પ્રમાણે ધાન્યને પચાવવા તેઓ ઘણા ઘણા ઉપાયો કરવા લાગ્યા. હવે એવામાં એક વખતે વૃક્ષો ઘસાવાથી નવીન અગ્નિ ઉત્પન્ન થયો, અને તૃણકાષ્ટાદિકને બાળતાં તે અગ્નિની જવાળાઓ વધવા લાગી. કોઇ પણ વખત ન દેખેલા તે અગ્નિને જોઇ વિસ્મિત થયેલા યુગલીઆઓએ નવીન રત્નની બુદ્ધિથી તેને ગ્રહણ કરવાને હાથ લાંબો કર્યા, પણ ઉલટા તેઓ બળવા લાગ્યા. અગ્નિથી હાથે દાઝેલા તેઓએ ભયભીત થઇ પ્રભુ પાસે આવી તે વાત જણાવી. પ્રભુએ અગ્નિની ઉત્પત્તિ જાણી તેઓને કહ્યું કે- “હે યુગલિકો! એ અગ્નિ ઉત્પન્ન થયો છે, માટે હવે તમે તે અગ્નિમાં ચોખા વિગેરે ધાન્ય સ્થાપન કરીને પછી ખાઓ, જેથી તે ધાન્ય તમોને સુખેથી પચશે”. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અજીર્ણથી કંટાળેલા તેઓ હર્ષ પામ્યા, પણ પકાવવાનો અભ્યાસ ન હોવાથી ઉપાયને બરોબર રીતે ન જાણતા એવા તેઓ ચોખા વિગેરે ધાન્યને અગ્નિમાં નાખી કલ્પવૃક્ષ પાસેથી જેમ ફળો માગતા હતા તેમ અગ્નિ પાસેથી તે ધાન્ય માગવા લાગ્યા. પરન્તુ અગ્નિથી તે બધું ધાન્ય તદન બળી ગયેલું જોઇને “અરે ! આ પાપાત્મા તો વેતાલની પેઠે અતૃપ્ત જ રહ્યો અને પોતે જ બધુ ખાઇ જાય છે, આપણને કાંઇ પણ પાછું આપતો નથી માટે તેનો આ અપરાધ સ્વામીને કહી તેને શિક્ષા કરાવશું”. આ પ્રમાણે બોલતા છતાં અને અગ્નિને શિક્ષા કરાવવાની બુદ્ધિવાળા તે ભોળા મનુષ્યો પ્રભુ પાસે જવાને ચાલ્યા. તેઓ રસ્તામાં ચાલતાં પ્રભુને હાથી ઉપર બેસીને સામાં આવતા જોઇ પ્રભુને યથાસ્થિત હકીકત નિવેદન કરતા બોલ્યા કે-“હે સ્વામિન્! એ અગ્નિ તો નાખેલા સમગ્ર ધાન્યને કોઈ પેટભરાની પેઠે ભૂખાળવો થઈ એકલો જ ખાઈ જાય છે! અમને કાંઈ પણ પાછું આપતો નથી.” પ્રભુએ કહ્યું કે “તમારે વાસણ વિગેરેના વ્યવધાન વડે ધાન્યને અગ્નિ ઉપર પકાવવું જોઇએ, વાસણને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યને પકાવી પછી ભક્ષણ કરો'. એમ કહીને તે વખતે પ્રભુએ યુગલિકો પાસે જ ભીની માટીનો પિંડ મંગાવ્યો, તે પિંડને હાથીના કુંભસ્થળ ઉપર મૂકાવી મહાવત પાસે તેનું વાસણ બનાવરાવીને પ્રભુએ પહેલું કુંભારનું શિલ્પ પ્રગટ કર્યું. પછી તેઓને પ્રભુએ કહ્યું કે- “આવી રીતે બીજાં પણ પાત્રો બનાવી, અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યોને પકાવી પછી ભક્ષણ કરો'. પ્રભુએ બતાવેલી કળાને બરોબર ધ્યાનમાં લઈને તે યુગલીઆઓ તે પ્રમાણે વાસણ બનાવવા લાગ્યા એવી રીતે પહેલી કુંભારની કળા પ્રવર્તી. ત્યાર પછી પ્રભુએ લુહારની, ચિતારાની, વણકરની અને નાપિતની કળારૂપ ચાર કળાઓ પ્રગટ કરી. આ પાંચમૂળ શિલ્પોના પ્રત્યેકના વીશ ભેદ થવાથી એક સો શિલ્પો થયાં. -------- -- ૧. કળા. ૨. વાળંદની. ૩. કળાઓના. ૨૮૩૪ કઅન- અમ 2 18 *************** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy