SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ *************શ્રવણq ણ અ************ અને ચક્ષુષ્માન્ નામના બીજા કુલકરના વખતમાં હકારરૂપ દંડનીતિ થઇ. તે વખતે તે યુગલિયો અપરાધ કરતો, તેને તે હકાર રૂપ દંડનીતિથી શિક્ષા કરવામાં આવતી. જેમાં સમુદ્રની ભરતનીનું જળ મર્યાદાને ઉલ્લંઘે નહિ, તેમ હકાર શબ્દથી શિક્ષા કરેલા યુગલિયા તેની મર્યાદા ઉલ્લંઘતા નહિ. ત્યાર પછી અનુક્રમે વધારે પડતો કાળ આવતો ગયો, તેથી યશસ્વી નામના ત્રીજા કુળકર અને અભિચન્દ્ર નામના ચોથા કુળકરના વખતમાં યુગલિયાએ હકારરૂપ દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેથી તે ત્રીજા અને ચોથા કુળકરના વખતમાં થોડો અપરાધ કરતાં હકારરૂપ દંડનીતિ મોટો અપરાધ થતાં મકારરૂપ દંડનીતિ થઇ. ત્યાર પછી તેથી પણ વધારે પડતો કાળ આવ્યો, અને યુગલિયાઓ તે બન્ને દંડનીતિને ગણકારવા ન લાગ્યા, તેથી પ્રસેનજિત્ નામના પાંચમા કુલકર મરુદેવા નામના છઠ્ઠા કુલકર અને નાભિ નામના સાતમા કુલકરના વખતમાં અલ્પ અપરાધ થતાં હકારરૂપ દંડનીતિ, મધ્યમ અપરાધ થતાં મકાર દંડનીતિ, અને ઉત્કૃષ્ટ અપરાધ થતાં ધિક્કારરૂપ દંડનીતિ થઈ. નાભિ કુલકર યુગલિયાઓનો અપરાધ થતાં તેમને એ ત્રણે દંડનીતિ વડે શિક્ષા કરતા. પરન્તુ પડતા કાળના પ્રભાવથી યુગલિયાઓમાં ક્રોધાદિ કષાયો અધિક વધવા લાગ્યા, તેથી તેઓ એ ત્રણે દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. દિવસે દિવસે અપરાધો વધવા લાગ્યા, તેથી યુગલિઆઓએ એકઠા થઈ પ્રભુને જ્ઞાનાદિ ગુણો વડે અધિક જાણી તેમને તે હકીકત નિવેદન કરી. પ્રભુએ કહ્યું કે લોકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેમને શિક્ષા કરનારા રાજા હોય છે, અને તે રાજા અભિષેક કરેલો તથા પ્રધાન વિગેરેથી પરિવરેલો હોય છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી યુગલિયા બોલ્યા કે- “અમારો પણ આવો જ રાજા હો”. પ્રભુએ કહ્યું કે- ‘તમે નાભિકુળકર પાસે જઈ તેમની પાસે તેવા રાજાની માગણી કરો'. ત્યાર પછી યુગલિયાઓ નાભિકુલકર પાસે જઈ રાજાની માંગણી કરી, ત્યારે નાભિકુળકરે કહ્યું કે- “તમારો રાજા ઋષભ જ થાઓ'. તે સાંભળી હર્ષ પામેલા યુગલિયાઓએ પ્રભુ પાસે જઇ તે હકીકત નિવેદન કરી. પ્રભુનો રાજ્યાભિષેક કરવા માટે પાણી લેવા સારું સરોવર તરફ ગયા. આ વખતે શક્રેન્દ્રનું સિંહાસન કંપ્યું. તે અવધિજ્ઞાનથી પ્રભુનો રાજયાભિષેક જાણી અને પ્રથમ તીર્થંકરને રાજ્યાભિષેક કરવાનો પોતાનો આચાર જાણી તુરત દેવો સહિત પ્રભુ પાસે આવ્યા. પછી તે સૌધર્મેન્દ્ર સુવર્ણની વેદિકા કરી તે ઉપર સિંહાસન સ્થાપ્યું. અને દેવોએ લાવેલા તીર્થજળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તેણે પ્રભુને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, અને યોગ્ય સ્થળે રત્નના અલંકારો તથા મસ્તક ઉપર મુગટ પહેરાવી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો. એટલામાં યુગલિયા કમળના પત્રમાં જળ લઈને આવ્યા, તેઓ પ્રભુને દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઇ સિંહાસન પર બેઠેલા દેખી વિસ્મય પામ્યા. “દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થયેલા સ્વામીના મસ્તક ઉપર જળ નાખવું ન ઘટે” એમ વિચાર કરીને તેઓએ પ્રભુના ચરણ ઉપર તે જળ નાખ્યું. તે દેખી સંતુષ્ટ થયેલા ઇન્દ્ર વિચાર્યું કે-“અહો! આ મનુષ્યો વિનીત એટલે વિનયવાળા છે.' એમ વિચારી તેણે કુબેરને આજ્ઞા કરી કે-“અહીં બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી એવી વિનીતા નગરી બનાવો. એ પ્રમાણે કુબેરને આજ્ઞા કરી ઈન્દ્ર પોતાને સ્થાને ગયો. ઇન્દ્રની આજ્ઞા મુજબ કુબેરે બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તારવાળી, રત્ન અને સુવર્ણમય હવેલીઓની પંક્તિથી તથા ફરતા કિલ્લાથી સુશોભિત એવી વિનીતા નગરી વસાવી. | સર્વ રાજાઓમાં પ્રથમ રાજા શ્રી ઋષભદેવ પ્રભુ પોતાના સંતાનની પેઠે પ્રજાનું પાલન કરવા લાગ્યા, તથા ઊંચી જાતના ઘોડા, હાથી, બળદ અને ગાયો વિગેરેનો સંગ્રહ કર્યો. વળી ઉગ્ર ભોગ રાજન્ય અને ક્ષત્રિયરૂપ ચાર કુળ સ્થાપ્યાં તેઓમાં જેઓ ઉગ્ર દંડ કરનારા હતા તેઓને ઉગ્નકુળમાં સ્થાપ્યા, તે આરક્ષક સ્થાનીય એટલે કોટવાલ પ્રમુખ જાણવાં. જેઓ ભોગને યોગ્ય હતા તેમને ભોગકુળમાં સ્થાપ્યા, તે ગુરુસ્થાનીય જાણવા જેઓ સમાન વયવાળા કામ સરમર 217 ***** *****ક્રશ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy