SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ६६६६६६६६४ श्रीकल्पसूत्रम् શ્રીદેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણે આ સૂત્રપાઠ લખ્યો છે. તેથી આ પાઠનો અર્થ આ પ્રમાણે થાય છે- શ્રી વીરનિર્વાણથી નવસો એંશીવરસ વ્યતીત થતાં પુસ્તકરૂઢ થયો,તેવખતે ક્લ્પસૂત્ર પણ પુસ્તકારૂઢ થયું એટલેકેશ્રીવીરનિર્વાણથીનવસોએંશી વરસે વલ્લભીપુર નગરમાં દેવર્કિંગણ ક્ષમાશ્રમણ વિગેરે સકળ સંઘે મળી આગમ લખ્યાં, ત્યારે શ્રીકલ્પ પણ લખ્યું. પણ વાચનાંતરમાં એટલે બીજી પ્રતિમાં નવસો ત્રાણુમો સંવત્સરકાળ જાય છે એમ દેખાય છે. તાત્પર્ય કે કોઈ પુસ્તકમાં લખ્યું છે, કે શ્રી વીરનિર્વાણથી નવસો એંશી વરસ વ્યતીત થતાં ક્લ્પસૂત્ર પુસ્તક લખાયું, અને કોઇ પુસ્તકમાં લખ્યું છે, કે નવસો ત્રાણું વરસ વ્યતીત થતાં ક્લ્પસૂત્ર પુસ્તક ૫૨ લખાયું.’’ વળી કેટલાક આ સૂત્રપાઠનો અર્થ આવી રીતે કરે છે ‘શ્રીવીરનિર્વાણથી નવસો એંશી વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ થઇ, એમ જણાવવાને આ સૂત્રપાઠ દાખલ કર્યો છે. એટલે કે-શ્રીવીર નિર્વાણથી નવસો એંસી વરસ વ્યતીત થતાં આનંદપુરની અંદર પુત્રના મરણથી શોકગ્રસ્ત થયેલા ધ્રુવસેન રાજાના શોકને દૂર કરવા માટે મહોત્સવ સહિત સંઘ સમક્ષ કલ્પસૂત્ર વાંચવું શરૂ થયું. પણ વળી વાંચનાંતરમાં એટલે બીજી પ્રતિમાં નવસો ત્રાણુમો સંવત્સરકાળ દેખાય છે. તાત્પર્ય કે- કોઇ પુસ્તકમાં લખ્યું છેકે, શ્રીવીરનિર્વાણથી નવસો એંશી વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઇ. અને કોઇ પુસ્તકમાં લખ્યું છે કે -નવસો ત્રાણું વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઇ.’’ વળી કેટલાંક આ સૂત્રપાઠનો અર્થ આવી રીતે કરે છે આ સૂત્રમાં બે વાક્યો છે, એક કલ્પસૂત્ર લખાયાનો સમય જણાવે છે, અને બીજું વાક્ય સભાસમક્ષ કલ્પસૂત્ર વંચાયાનો સમય સૂચવે છે. તે આ પ્રમાણે-શ્રીવીરનિર્વાણથી નવસો એંશીમો સંવત્સરકાળ જાય છે, એટલે કસૂત્ર લખવાનો હેતુભૂત એવો નવસો એંશીમો સંવત્સર કાળ જાય છે, આ વાક્યથી ક્લ્પસૂત્રને લખવારૂપ વાચનાનો સમય જણાવ્યો. વળી વાચનાંતરમાં એટલે કલ્પસૂત્રને લખવારૂપ વાચનાથી સભાસમક્ષ વાંચવા રૂપ બીજી વાચનામાં નવસો ત્રાણુમો સંવત્સર કાળ જાય છે; આ વાક્યથી કલ્પસૂત્રને સભાસમક્ષ વાંચવારૂપ વાચનાનો સમય જણાવ્યો. તાત્પર્ય કે-શ્રીવીર નિર્વાણથી નવસો એંશીમે વરસે કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું એટલે પુસ્તક પર લખાયું, અને નવસો ત્રાણુમા વરસે સભા સમક્ષ વંચાયું.” આવી રીતે જુદા જુદા આચાર્યોના ભિન્ન ભિન્ન મત છે, તત્ત્વ કેવલીભગવાન જાણે.૧૪૮. II કૃતિ શ્રીવીઘરિત્રમ્ ॥ ॥ કૃતિ ષષ્ટ વ્યાધ્યાનમ્ || Jain Education International $183*** For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy