SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ આવી રીતે ગૌતમ ગોત્રના શ્રી ઇન્દ્રભૂતિથી માંડીને પ્રભાસ પયંત અગિયાર જણાએ પોતાના ચુમ્માલીસ સો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. તે મુખ્ય અગિયાર જણાએ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય, એટલે દરેક પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને દ્રવ્યરૂપે નિત્ય છે, એ પ્રમાણે પ્રભુ પાસેથી ત્રિપદીનું સ્વરૂપ જાણી અગિયાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરી, અને પ્રભુએ તેમને ગણધર પદે સ્થાપ્યા. તેમાં ગણધરોએ દ્વાદશાંગીએ રચના કર્યા બાદ પ્રભુ તેમને તેની અનુજ્ઞા કરે છે, શક્રેન્દ્ર દિવ્યચૂનો ભરેલો વજય દિવ્યસ્થાલ લઇને પ્રભુ પાસે ઉભો રહે છે. ત્યારપછી રત્નમય સિંહાસનથી ઉઠીને ચૂર્ણની સંપૂર્ણ મુષ્ટિ ભરે છે, તે વખતે ગૌતમ વિગેરે અગિયાર ગણધરો જરા નમ્યા છતાં અનુક્રમે પ્રભુ પાસે ઉભા રહે છે, અને દેવો વાજિંત્રના ધ્વનિ ગાયન વિગેરે બંધ કરી મૌન રહ્યા છતાં સ્વસ્થ ચિત્તે સાંભળે છે. પછી પરમાત્મા શ્રી મહાવીર બોલ્યા કે-“ગૌતમને દ્રવ્યગુણ અને પર્યાય વડે તીર્થની આજ્ઞા આપું છું” એમ કહીં, પ્રભુએ પ્રથમ શ્રી ગૌતમસ્વામીના મસ્તક ઉપર ચૂર્ણ નાખ્યું. પછી અનુક્રમે બીજાઓના મસ્તક ઉપર ચૂર્ણ નાખ્યું, એટલે દેવોએ પણ હર્ષિત થઈ તે અગિયાર ગણધર ઉપર પુષ્પ અને સુગંધી પદાર્થોની વૃષ્ટિ કરી. ત્યાર પછી પ્રભુએ સુધર્માસ્વામીને મુનિસમુદાયમાં અગ્રેસર સ્થાપી તેમને ગણની અનુજ્ઞા આપી.૧૨૧. રૂતિગળ રવાડા तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे अट्ठियगामं नीसाए पढमं अंतरावासं वासावासं उवागाए चंपं च पिट्ठचंपं च नीसाए तओ अंतरावासे वास्रावासं उवागए वेसालिं नगरि वाणियगाम च नीसाए दुवालस अंतरावासे वासावासं उवागएरायगिंह नगरं नालंदच बाहिरियं नीसाए चउद्दस अंतरावासे वासावासं उवागए छ मिहिलाए, दो भदियाए; एगं आलंभियाए, एगं सावत्थीए एगं पणियभूमीए एगं पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए ॥६॥६।१२२॥ (તેનું તેમાં તે સમer) તે કાળે અને તે સમયે (સમ માવં મહાવીર) શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (ામં નીક્ષા)અસ્થિગ્રામને આશ્રીને (મં ગંતવાસં ) વર્ષાકાળમાં રહેવા માટે પહેલું અંતરાવાસ એટલે ચોમાસું કર્યું. (વાંવર્દૂિવાંવનHIV) ચંપા અને પૃષ્ઠચંપાની નિશ્રાએ (તડકો ખંત વાતે વાવાસં વIT) વર્ષાકાળમાં રહેવા માટે ત્રણ ચોમાસા કર્યા. (વેસલિં નારિ) વૈશાલી નગરી (વાળવIIમાનીતાણ) અને વાણિજ્ય ગ્રામની નિશ્રાએ (વાતH અંતરાવાતે વાસાવાસં વગણ) વર્ષાકાળમાં રહેવા માટે બાર ચોમાસાં કર્યા. ( શik નહિં નાનંદં ર વારિવં નHTT) રાજગૃહ નગરની બહાર ઉત્તર દિશામાં નાલંદ નામના શાખાપુર એટલે નાલંદ નામના પાડાની નિશ્રાએ ( વન વંતરાવ વાવસંવાUિ) વર્ષાકાળમાં રહેવા માટે ચૌદ ચોમાસાં કર્યાં. ( fમહિલાણ) છ ચોમાસાં મિથિલા નગરીમાં, ( મક્વાણ) બે ચોમાસાં ભદ્રિકા નગરીમાં, (wાં પ્રાસંભિવાઈ) એક ચોમાસું આલંભિકા નગરીમાં, (વિત્થg).એક ચોમાસું શ્રાવસ્તી નગરીમાં, (wifીમૂનીeએક પ્રણિતભૂમિ એટલે વ્રજભૂમિ નામના અનાર્યદેશમાં, (pi) અને એક (ાવો મઝામા) મધ્યમ પાપા નગરીને વિષે (હત્યિવારૂ છો) હસ્તિપાલ રાજાના (ZIમાણ) રજુક એટલે કારર્ણનોની જીર્ણ સભામાં (પમિત્તમ 'વંતરાવાસં વાસાવાસં વાગ) વર્ષાકાળમાં રહેવા માટે અપશ્ચિમ એટલે છેલ્લું ચોમાસું કર્યું. પહેલાં તે નગરીનું નામ “અપાપા' હતું, પણ પ્રભુ તે નગરીમાં કાળધર્મ પામ્યા. તેથી દેવોએ તે નગરીનું પાપાપુરી” એવું નામ પાડ્યું. આવી રીતે પ્રભુના છદ્મસ્થકાળમાં અને કેવલિ અવસ્થામાં સર્વ મળી બેતાલીસ ચોમાસાં થયાં.૧૨૨. (તત્વ) તેને વિષે શ્રમણ ભગવાન્ મહાવીરે (ને તે પાવા મઠ્ઠામા.) જે વર્ષાકાળમાં મધ્યમ પાપાપુરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy