SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ *************(જીવ ણ ભઅક્રમ******* દ્રવ્યરૂપે નિત્ય છે, અને તેથી આત્મા પરલોકમાં જાય છે તથા પરલોકથી આવે છે. આત્મા અનંતા છે, જે આત્માએ જેવા કર્મ કર્યા હોય તે અનુસાર તેને ગતિ મળે છે'.. આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મેતાર્યને જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય થયો કે પરલોક છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષી લીધી. તિ શમોગાર: | ૨૦ || ૧૧-મોક્ષ છે કે નહિ? આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે દસ જણને દીક્ષિત થયેલા સાંભળી અગિયારમા પ્રભાસ નામના પંડિતે વિચાર્યું કે “જેના ઇન્દ્રભૂતિ વિગેરે દસે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી તે પ્રભાસ પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે“હે પ્રભાસ! તને એવો સંશય છે કે મોક્ષ છે કે નહિ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે નરામર્થ વા ય નહોત્રા “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે મોક્ષ નથી. તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે-જે અગ્નિહોત્ર હોમ તે જરામર્મ એટલે માવજીવ કરવો, અર્થાત્ અગ્નિહોત્રની ક્રિયા આખી જિંદગી સુધી કરવી. અગ્નિહોત્ર ક્રિયા કેટલાકને બંધનું કારણ અને કેટલાકને ઉપકારનું કારણ હોવાથી દોષમિશ્રિત છે. તેથી અગ્નિહોત્ર કરનારને સ્વર્ગ મળે છે, મોક્ષ મળતો નથી. આવી રીતે ફક્ત સ્વર્ગરૂપ જ ફળ આપનારી ક્રિયાને આખી જિંદગી સુધી કરવાનું કહેલું હોવાથી મોક્ષરૂપ ફળ આપનારી ક્રિયા કરવાનો કોઇ કાળ રહ્યો નહિ, કેમકે આખી જિંદગી સુધી અગ્નિહોત્ર કરનારને એવો કયો કાળ બાકી રહ્યો કે જે કાળે મોક્ષના હેતુ ભૂતક્રિયા કરી શકાય? તેથી મોક્ષ સાધનારી ક્રિયાનો કાળ ન કહેલો હોવાથી જણાય છે કે મોક્ષ નથી. પણ વળી "द्वे ब्रह्मणी वेदितव्ये, परम् अपरं च। तत्र परं सत्यज्ञानम् अनन्तरं ब्रह्मेति" “(હે બ્રહ્મની વેદિતણે) એટલે બે બ્રહ્મ જાણવાં, (પરમ્ અપ ) એક પર અને બીજું અપર. (તત્ર પરં સત્યજ્ઞાનમ) તેઓમાં પર સત્ય છે, (અનન્તરં બ્રહ્મતિ) અને અનન્તર બ્રહ્મ એટલે મોક્ષ છે. એ વેદપદોથી તથા “ઔષા ગુઠા પુરવIIT-એટલે સંસારને વિષે આસક્ત એવા પ્રાણીઓને તે આ મુક્તિરૂપી ગુફા દુરવગાહ એટલે પ્રવેશ: થઈ શકે એવી છે” ઇત્યાદિ વેદપદોથી મોક્ષની સત્તા જણાય છે. આવી રીતે તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડયો છે કે મોક્ષ છે કે નથી; પરંતુ હે પ્રભાસ! તારો આ સંશય અયુક્ત છે, કેમકે “નરામ વા નોત્રમ” એ વેદપદોનો અર્થ તુ સમજયો નથી તે વેદપદોમાં જે ‘વા’ શબ્દ છે તે “અપિ' એટલે “પણ” અર્થવાળો છે, તેથી એ વેદપદોનો અર્થ એમ થાય છે કે-ચાવજીવ સુધી પણ અગ્નિહોત્ર હોમ કરવો. અર્થાત જે કોઇ સ્વર્ગનો અર્થી હોય તેણે આખી જિંદગી સુધી પણ અગ્નિહોત્ર કરવો અને જે કોઈ મોક્ષનો અર્થી હોય તેણે અગ્નિહોત્ર છોડીને મોક્ષસાધકક્રિયા પણ કરવી; પણ દરેક પ્રાણીએ અગ્નિહોત્ર જ કરવો, એવો નિયમ નથી, આ પ્રમાણે વિ' શબ્દનો અર્થ છે. તાત્પર્ય એ છે કે જેને ફક્ત સ્વર્ગની ઈચ્છા હોય તેણે તો આખી જિંદગી સુધી અગ્નિહોત્ર કરવો, પણ જે મા મોક્ષનો અર્થી હોય તેણે તો અગ્નિહોત્ર ન કરતાં મોક્ષસાધકક્રિયા કરવી. આ પ્રમાણે તે વેદપદોનો અર્થ હોવાથી મોક્ષ સાધક ક્રિયાનો પણ કાળ હ્યો જ છે. માટે મોક્ષ છે. શુદ્ધ જ્ઞાનદર્શન અને ચારિત્ર વડે કર્મનો ક્ષય થાય છે, અને આત્મા થકી સમગ્ર કર્મનો ક્ષય થવો એ મોક્ષ છે.” આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી પ્રભાસનો સંશય દૂર થયો. તેમને નિર્ણય થયો કે મોક્ષ છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. રૂતિ વગાડશો | Tઘર II ૨૨II. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy